અદમ ટંકારવી

વિકિપીડિયામાંથી
અદમ ટંકારવી
અદમ ટંકારવી, અમદાવાદ ખાતે, જાન્યુઆરી ૨૦૨૪
અદમ ટંકારવી, અમદાવાદ ખાતે, જાન્યુઆરી ૨૦૨૪
જન્મઅદમ મૂસા ઘોડીવાલા
ટંકારીયા, ભરૂચ જિલ્લો, ગુજરાત
વ્યવસાયશિક્ષક
નાગરિકતાયુ.કે.
શિક્ષણપીએચ.ડી.

અદમ ટંકારવી (મૂળ નામ: અદમ મૂસા ઘોડીવાલા) ગુજરાતી ભાષાના ગઝલકાર છે જે, ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના વતની છે. હાલમાં બ્રિટનના રહીશ એવા અદમ ટંકારવી ગુજલિશ (ગુજરાતી અને અંગ્રેજી મિશ્રિત) ગઝલોના પ્રણેતા છે. તેમનાં આઠ ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે.

પારિતોષિક[ફેરફાર કરો]

અદમ ટંકારવીને ૨૦૧૧માં આઈ.એન.ટી.નો પ્રતિષ્ઠિત કલાપી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. છાયા, જ્વલંત (૨૮ ડિસેમ્બર ૨૦૧૧). "૨૦૧૧નું વર્ષ કળા-સાહિત્યક્ષેત્રે લઇ આવ્યું માઠા સમાચાર". સમાચાર-પૂર્તિ. દિવ્ય ભાસ્કર (કલશ). મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૭.