અનિલ કાકોડકર

વિકિપીડિયામાંથી
અનિલ કાકોડકર

જન્મની વિગત (1943-11-11) 11 November 1943 (ઉંમર 80)
બડવાની, મધ્ય પ્રદેશ, બ્રિટીશ ભારત
શિક્ષણ સંસ્થાડી. જી. રૂપારેલ મહાવિદ્યાલય
વીરમાતા જીજાબાઈ પ્રૌદ્યોગિકી સંસ્થા (VJTI), મુંબઈ વિશ્વવિદ્યાલય
નૉટિંગમ યુનિવર્સિટી
પ્રખ્યાત કાર્યઓપરેશન શક્તિ
પોક્ખરણ-૨
ભારતીય પરમાણુ કાર્યક્રમ
પુરસ્કારોપદ્મશ્રી (૧૯૯૮)
પદ્મભૂષણ (૧૯૯૯)
પદ્મવિભૂષણ (૨૦૦૯)[૧]
મહારાષ્ટ્ર ભૂષણ (૨૦૧૧)
જી ફાઈલ્સ ઍવોર્ડ (૨૦૧૫)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રમિકેનિકલ એન્જીનીયરીંગ
કાર્ય સંસ્થાઓપરમાણુ ઉર્જા આયોગ
પરમાણુ ઉર્જા વિભાગ
ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર (BARC)

અનિલ કાકોડકર (મરાઠી: अनिल काकोडकर) ભારત દેશના પ્રસિદ્ધ પરમાણુ -વૈજ્ઞાનિક છે. નવેમ્બર, ૨૦૦૯ સુધી તેઓ ભારત દેશના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તેમ જ ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગના સચિવ પણ હતા. આ પહેલાંના સમય પૂર્વે તેઓ ઇ. સ. ૧૯૯૬ થી ઇ. સ. ૨૦૦૦ના વર્ષ સુધી ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના નિર્દેશક (director) હતા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસે એમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અનિલ કાકોડકરે ઇ. સ. ૨૦૦૮ના વર્ષમાં ભારત તથા અમેરિકા દેશોની વચ્ચે અસૈન્ય પરમાણુ કરાર કરાવવાના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાકોડકર વૈજ્ઞાનિકોના એવા દળના એક સદસ્ય રહ્યા હતા, જેણે સફળતાપૂર્વક પોખરણ - પ્રથમ (૧૯૭૪) અને પોખરણ - દ્વિતીય (૧૯૯૮) પરમાણુ પરીક્ષણ સંપન્ન કર્યાં હતાં.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.