લખાણ પર જાઓ

અપૂર્વ અવસર

વિકિપીડિયામાંથી
અપૂર્વ અવસર
લેખક
  • મનોજ શાહ
  • રાજુ દવે
રજૂઆત તારીખ28 February 2007 (2007-02-28)
રજૂઆત સ્થળપૃથ્વી થિયેટર, મુંબઈ
મૂળ ભાષાગુજરાતી
વિષયશ્રીમદ્ રાજચંદ્ર
શૃંખલાજીવનચરિત્રાત્મક નાટક
અધિકૃત વેબસાઇટ

અપૂર્વ અવસર એ ૨૦૦૭ માં મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત ભારતીય જૈન દાર્શનિક અને રહસ્યવાદી શ્રીમદ્ રાજચંદ્ર વિશેનું જીવનચરિત્રાત્મક નાટક છે. આ નાટક મનોજ શાહ અને રાજુ દવે દ્વારા સહ-લેખિત છે.

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

મનોજ શાહે જૈન પર્ફોર્મિંગ આર્ટ્સના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે જૈન વ્યક્તિત્વો પર અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું છે જેમાં, આનંદઘન પર આધારિત 'અપૂર્વ ઘેલા', મહાવીર પર આધારિત 'વીરાયણ', સિદ્ધર્ષિ ગણી પર આધારિત 'ભવપ્રપંચ', હેમચંદ્ર પર આધારિત સિદ્ધહેમ, બે ભાઈઓ વસ્તુપાળ અને તેજપાળ પર આધારિત 'વસ્તુપાળ તેજપાળ' અને 'જિયો જી ભર કે' નો સમાવેશ થાય છે.[]

'અપૂર્વ અવસર' આ શ્રેણીના નાટકોમાં બીજા ક્રમે છે. નાટકનું શીર્ષક રાજચંદ્રની કવિતા "અપૂર્વ અવસર એવો ક્યારે આવશે" પરથી લેવામાં આવ્યું છે.[] આ નાટકનું પ્રીમિયર ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ પૃથ્વી થિયેટરના મુંબઈ ખાતે થયો હતો.[] આ નાટક રાજચંદ્રના બાળપણથી લઈને ગુજરાતના નાના નાના દૂરના ગામોમાં વિતાવેલા તેમના જીવનની વાર્તા વર્ણવે છે, અને દર્શાવે છે કે જૈન ધર્મે ભારતીય વારસો, ધર્મ, ભાષા, સાહિત્ય, કલા અને ફિલસૂફીના વિકાસમાં કેવી રીતે ફાળો આપ્યો છે.[][]

કલાકારો અને પાત્રો

[ફેરફાર કરો]

આ નાટકમાં નીચે મુજબના કલાકારો સામેલ છે:[]

  • શ્રીમદ્‌ રાજચંદ્ર તરીકે ધર્મેન્દ્ર ગોહિલ
  • પુલકિત સોલંકી
  • પ્રતિક ગાંધી

પ્રતિસાદ

[ફેરફાર કરો]

રંગમંચ વિવેચક ઉત્પલ ભાયાણી આ નાટકને 'ઉમદા પ્રયાસ' માને છે કારણ કે તે નાયકના આશ્ચર્યજનક અને લગભગ જાદુઈ જીવનને કેદ કરવાનો પ્રયાસ કરે છે, જેની પાસે પાછલા જન્મોને જાણવાની, એકસાથે અનેક કાર્યો કરવાની અને મન વાંચવાની દૈવી શક્તિઓ હતી. તેમણે જણાવ્યું કે આ દૃશ્યો ખૂબ જ રસપ્રદ તો છે પણ પેચીદા પણ છે. આ દૃશ્યો લંબાવવામાં આવ્યા હોય એવા લાગે છે ખાસ કરીને બીજા ભાગમાં નાટકીય સંવાદોનો અભાવ પણ તે લાગણીને વધારે છે. ભાયાણી કહે છે કે મનોજ શાહ, જે સહ-લેખક પણ છે, નાટક લખવા કરતાં તેના દિગ્દર્શન કરવામાં વધુ માહેર છે. કેટલાક ઔપચારિક અને દિગ્દર્શકીય હસ્તક્ષેપો, ખાસ કરીને પ્રોપ્સનો નવતર ઉપયોગ, વોઇસ ઓવર, લાઇટ ડિઝાઇન વગેરે સ્ટેજ સ્પેસને રોચક અને ઉલ્લેખનીય બનાવે છે. નાયકની ભૂમિકામાં, ધર્મેન્દ્ર ગોહિલે કમાલ કરી છે અને એક અભિનેતા તરીકે તેમની વિવિધતાનો પરિચય કરાવ્યો છે.[]

ધ્વનિલ પારેખ નોંધે છે કે 'અપૂર્વ અવસર'ના સ્થિર દૃશ્યો, જ્યાં સંવાદો બેસીને બોલવામાં આવે છે અથવા મંચના કેન્દ્રમાં એક પલંગ રાખીને બોલવામાં આવે છે, તે મંચની જગ્યાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. જોકે, લાલ અને નારંગી લાઇટનો વ્યાપક ઉપયોગ, જે સામાન્ય રીતે ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે, તણાવ અને તીવ્રતાની ભાવનાને સારી રીતે વ્યક્ત કરે છે. પ્રકાશનો સર્જનાત્મક ઉપયોગ નાટકના મુખ્ય હકારાત્મક પાસાઓમાંનું એક છે.[]

મુંબઈ થિયેટર ગાઈડના દીપા પુંજાણીએ આ ખ્યાલ અને ફિલસૂફીની પ્રશંસા કરી હતી, પરંતુ શ્રીમદ્ રાજચંદ્રના અઢી કલાકના જીવનચરિત્રાત્મક વર્ણન દ્વારા ગુજરાતી બુદ્ધિજીવીઓના "મહિમામંડન"થી તેઓ નિરાશ થયા હતા. આ નાટ્યરૂપાંતરણ મુખ્યત્વે એક પ્રતિભાશાળી બાળકની સારપ અને સાદગી પર કેન્દ્રિત છે જેણે તેમના અકાળ મૃત્યુ પહેલાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આ એક કેવી કથનાત્મક પસંદગી છે જે તેમના મતે, પ્રેક્ષકોને રાજચંદ્રના જીવનના નાટકીય તણાવમાં સક્રિય રીતે ઓતપ્રોત કરવાના બદલે નિષ્ક્રિય દર્શકો તરીકે છોડી દે છે. જોકે, આ ખામી એવી ઘટનાઓ દ્વારા દૂર થાય છે જ્યાં રાજચંદ્ર, મહાત્મા ગાંધીને મળે છે, જેમના પર તેમનો નોંધપાત્ર પ્રભાવ હતો. જોકે, પુંજાણી નિરાશાના ભાવ વ્યક્ત કરતાં જણાવે છે કે, આ આખું નાટક વિચારો પર કેન્દ્રિત હોવાથી કાવ્યાત્મક અને સુંદર રીતે રચાયેલી પટકથા અને વાર્તા નબળી પડે છે. તેમ છતાં તેણીએ ગોહિલ, ગાંધી અને સોલંકીના અભિનય તેમજ સંગીત અને પ્રકાશની પ્રશંસા કરી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ભટ્ટ, આરાધના (September 2020). દોશી, દીપક (સંપાદક). "મનોજ શાહ: એક મુલાકાત". નવનીત સમર્પણ. 41 (5). મુંબઈ: પી. વી. શંકરાંકુટ્ટી, ભારતીય વિદ્યા ભવન: 65–72. ISSN 2455-4162.
  2. 1 2 પારેખ, ધ્વનિલ (September–October 2011). "મનોજ શાહ દિગ્દર્શિત નાટકો-એક અભ્યાસ". Sahityasetu. 1 (5). ISSN 2249-2372. મૂળ સંગ્રહિત માંથી 2020-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-26. {{cite journal}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. 1 2 ભાયાણી, ઉત્પલ (2009). Rangbhoomi 2007: Reviews of Dramas Performed on Stage in Different Languages and Other Articles on Theatre During 2007. મુંબઈ: Image Publication Pvt. Ltd. pp. 13–15. ISBN 81-7997-285-4.{{cite book}}: CS1 maint: ignored ISBN errors (link)
  4. "A Walk in the Woods". Indian Express. 19 July 2012. મૂળ સંગ્રહિત માંથી 12 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 26 October 2020. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  5. "Manoj Shah's Apurva Avsar today". Mumbai Mirror. 19 March 2011. મૂળ સંગ્રહિત માંથી 27 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 26 October 2020. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  6. "Apurva Avsar Gujarati Play/Drama". www.MumbaiTheatreGuide.com. મૂળ સંગ્રહિત માંથી 25 September 2017 પર સંગ્રહિત. મેળવેલ 26 October 2020. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  7. Punjani, Deepa. "Apurva Avsar play review". www.MumbaiTheatreGuide.com. મૂળ સંગ્રહિત માંથી 29 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 26 October 2020. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)