અમલેશ્વર (તા.ભરૂચ)

વિકિપીડિયામાંથી



અમલેશ્વર (તા.ભરૂચ)
—  ગામ  —
અમલેશ્વર (તા.ભરૂચ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°44′18″N 72°49′08″E / 21.738453°N 72.818885°E / 21.738453; 72.818885
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
"મુખ્ય ખેતપેદાશો" કપાસ, તુવર, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૯૨ ૦૧_
    વાહન • જીજે - ૧૬

અમલેશ્વર (તા.ભરૂચ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે. અમલેશ્વર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અમલેશ્વર મહાદેવનુ પૌરાણિક સ્વયંભૂ પ્રગટ શિવલિંગ ધરાવતુ શિવમંદિર હોવાને કારણે આ ગામનુ નામ અમલેશ્વર પડ્યુ હોવાનું મનાય છે. નજીકમાં કેસરોલ, એકસાલ, સાંખવડ, ચોલદ જેવા ગામો આવેલા છે.

ગામના તળાવને કાંઠે ભવ્ય શિવાલય આવેલું છે, ચારે બાજુ આંબા, બોરડી, વડ, પીપળા જેવા વૃક્ષોથી આવેલા છે.