અમૃતધારા ધોધ

વિકિપીડિયામાંથી
અમૃતધારા જળપ્રપાત, હસદેવ નદી, છત્તીસગઢ

અમૃતધારા ધોધ ભારત દેશના છત્તીસગઢ રાજ્યમાં આવેલા પ્રાકૃતિક સંપદાથી ભરપૂર એવા કોરિયા જિલ્લામાં આવેલ એક ધોધ છે, જે હસદેવ નદી પર આવેલ છે, જે મહા નદીની ઉપનદી છે. આ ધોધની ઊંચાઈ આશરે ૯૦ ફૂટ જેટલી છે[૧][૨]. આ સ્થળ પર મનેન્દ્રગઢ થી વૈકુંઠપુર જતા રાજ્ય ધોરી માર્ગ પરથી જઈ શકાય છે. આ ધોધથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન નાગપુર રોડ અહીંથી ૧૨ કિલોમીટર અને ચિરમીરી ગિરિમથક અહીંથી ૨૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ સ્થળનું ભૌગોલિક સ્થાન ૨૩°૧૯'૫૫ ઉત્તર અક્ષાંશ અને ૮૨°૧૯'૧૪ પૂર્વ રેખાંશ ખાતે આવેલ છે.

આ સ્થળ નજીક એક શિવ મંદિર પણ આવેલ છે. કોરિયા રજવાડાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંઘ જુદેવ દ્વારા ૧૯૩૬ના વર્ષમાં આ મંદિર ખાતે મેળો યોજવામાં આવ્યો હતો, જે પરંપરા વર્તમાન સમયમાં પણ ચાલુ છે[૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://bharatdiscovery.org/india/अमृतधारा_जल_प्रपात
  2. Hydrology and Water Resources of India by Sharad K. Jain, Pushpendra K. Agarwal, Vijay P. Singh, 2007
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-04.