અશેરી કિલ્લો
| અશેરી કિલ્લો | |
|---|---|
| પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર | |
હાઇવે પરથી દેખાતો અશેરી કિલ્લો | |
| અક્ષાંશ-રેખાંશ | 19°49′13.5″N 72°55′16″E / 19.820417°N 72.92111°E |
| પ્રકાર | પર્વતીય કિલ્લો |
| ઊંચાઈ | ૧૬૮૦ ફીટ |
| સ્થળની માહિતી | |
| આધિપત્ય | ભારત સરકાર |
| જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
| સ્થિતિ | ખંડેર |
| સ્થળ ઈતિહાસ | |
| બાંધકામ સામગ્રી | પથ્થર |
અશેરી કિલ્લો અથવા અશેરી એ મુંબઈથી ૧૦૨ અને થાણેથી ૮૮ કિ.મી. અંતરે આવેલો એક કિલ્લો છે. તે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલો છે. પાલઘર જિલ્લાના એક મહત્વપૂર્ણ કિલ્લોમાં ગણાતો આ કિલ્લો મુંબઈ-અમદાવાદ હાઇવે પર મેંધાવન ખીંડ નજીક ટેકરીઓ પર સ્થિત છે. તેની તળેટીમાં આવેલું ખોડકોના ગામ એક નાનું આદિવાસી ગામ છે. કિલ્લાનું પુનઃનિર્માણ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ કિલ્લો શિલાહાર વંશના ભોજરાજાએ બનાવ્યો હતો. માહિમ (પાલઘર) ના બિંબ રાજાએ આ કિલ્લો કોળીઓ પાસેથી કબજે કર્યો હતો.[૧] આ કિલ્લો લગભગ ૮૦૦ વર્ષ જૂનો છે. તેના પર ગુજરાત સલ્તનતનું શાસન હતું. વસઇના પોર્ટુગીઝ કપ્તાન, એન્ટોનિયો મોનિઝ બેરેટોએ ૧૫૫૬માં કિલ્લાના એબિસિનિયન કપ્તાનને લાંચ આપીને અશેરીગઢને પોતાના કબજામાં લીધો હતો.[૨] મનોરનો કિલ્લો પાછળથી કબજે કરવામાં આવ્યો. આ કિલ્લો પોર્ટુગીઝ પ્રદેશની ઉત્તરીય સીમા હતો. પોર્ટુગીઝોએ તેને ૩૮ ગામો અને ૬ વિસ્તારોની રાજધાની તરીકે રાખ્યો હતો. કિલ્લામાં વીસ પાણીના કુંડ અને બે તળાવ હતા. ૧૭૩૭ માં, આ કિલ્લો ચિમાજી અપ્પાના નેતૃત્વ હેઠળના મરાઠા દળોએ પ્રોવેન્સિયા દો નોર્ટે સામે જીતી લીધો હતો, પરંતુ ઉત્તરના નવા સેનાપતિ એન્ટોનિયો કાર્ડિમ ડી ફ્રોઇસે દ્વારા વળતા આક્રમણમાં તેને ફરી જીતી લીધો હતો. ફેબ્રુઆરી ૧૭૩૯ માં, તે ફરી મરાઠાઓના હાથમાં આવ્યો. ૧૮૧૮ માં કેપ્ટન ડિકિન્સને આ કિલ્લો કબજે કર્યો અને તે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ગયો.
સ્થાન
[ફેરફાર કરો]કિલ્લાનું નજીકનું શહેર મનોર છે, જે થાણેથી ૮૦ કિ.મી. આવેલું છે. આ કિલ્લો મસ્તાન નાકા અને ચારોટી નાકાની વચ્ચે આવેલો છે. ખોડકોના ખરકોના ગામ સુધી પહોંચવા માટે બંને નાકાઓથી સ્થાનિક રિક્ષાઓ ઉપલબ્ધ છે. કિલ્લા સુધી જવાનો માર્ગ ખોડકોનાની ઉત્તરે આવેલી ટેકરીથી શરૂ થાય છે. આ રસ્તો ખૂબ જ સલામત અને પહોળો છે અને તેના પર ગાઢ જંગલ આવેલું છે. કિલ્લાની ટેકરીની નીચે સુધી પહોંચવામાં લગભગ એક કલાક લાગે છે. ટેકરીની પૂર્વ બાજુએ ચઢતો સાંકડો રસ્તો કિલ્લાના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે.[૩] કિલ્લા પર રાત્રિ રોકાણ કિલ્લા પરની ગુફામાં કરી શકાય છે. સ્થાનિક ગ્રામજનો વાજબી કિંમતે રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરે છે.
જોવા લાયક સ્થળો
[ફેરફાર કરો]કિલ્લા પર ખડક કાપીને બનાવેલા કમળના ફૂલોથી ભરેલા તળાવ અને સાધુઓ માટે રહેવાની ગુફા સિવાય જોવાલાયક કંઈ ખાસ બાંધકામ નથી.
છબીઓ
[ફેરફાર કરો]- કિલ્લા પર ખડકમાં કોતરાયેલ પોર્ટુગીઝ પ્રતિક
- કિલ્લા પર ખડક કોતરેલા પગથિયાં
- વાઘ્ય દેવ, આદિવાસી દેવતા
- કિલ્લા નીચેનું જંગલ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Thane Places". maharashtra.gov.in.
- ↑ "Toponymic Navigation Place". hpip.org.
- ↑ "Thane Places". maharashtra.gov.in.