આચારાંગ સૂત્ર
| આચારાંગ સૂત્ર | |
|---|---|
| માહિતી | |
| ધર્મ | જૈન ધર્મ |
આચારાંગ સૂત્ર જૈન ધર્મનો સૌથી જૂનો અને સૌથી મહત્વનો ગ્રંથ છે. ગ્રંથના પ્રથમ પુસ્તકની રચના ઇ.સ.ની ૫થી ૪થી સદી પૂર્વે અને બીજા પુસ્તકની રચના ઇ.સ.ની ૪થી ૨જી સદી પૂર્વે થઈ હતી.[૧][૨] આ ગ્રંથમાં ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીના ઉપદેશોનો સમાવેશ છે. આ ગ્રંથ જૈન ધર્મના પિસ્તાળીસ આગમોમાંના બાર અંગમાંથી પ્રથમ છે.
જૈન ધર્મના શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા ઉપયોગમાં લેવાતા આચાર્યાંગ સૂત્રના હાલના લખાણનું પુનઃસંકલન અને સંપાદન આચાર્ય દેવર્ધિગણી ક્ષમાશ્રમણ દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય ક્ષમાશ્રમણે આશરે ઇસવીસન ૪૫૪માં વલભી ખાતે યોજાયેલી પરિષદનું નેતૃત્વ કર્યું હતું.
દિગંબરો જો કે ઉપલબ્ધ લખાણને ઓળખતા નથી, અને મૂળ લખાણને તેના મૂળ સ્વરૂપમાં ખોવાઈ ગયેલું માને છે. દિગંબરોનું લખાણ, મૂલાચાર મૂળ આચાર્યાંગ સૂત્ર પરથી ઉતરી આવ્યું હોવાનું મનાય છે અને તે દિગંબર સાધુના વર્તનની ચર્ચા કરે છે.
પરિચય
[ફેરફાર કરો]ભાષાકીય દૃષ્ટિએ આચારાંગ સૂત્ર સૌથી જૂનું આગમ છે, જે અર્ધમગધી પ્રાકૃતમાં લખાયેલું છે. સૂત્રમાં બે પુસ્તકો અથવા શ્રુતસ્કંધ છે. પહેલું પુસ્તક જૂનું ભાગ છે, જેમાં પાછળથી અન્ય ગ્રંથો ઉમેરવામાં આવ્યા હતા. આ પુસ્તક સાધુ જીવનના આચરણ અને વર્તનનું વર્ણન કરે છે: ખોરાક, વાટકો, કપડાં, ચાલતી વખતે અને બોલતી વખતે આચરણ અને સાધુ-સાધ્વીઓ દ્વારા સંપત્તિનું નિયમન. આ પુસ્તક મહાન નાયક મહાવીરની તપસ્યા અને સાધુ જીવનનું પણ વર્ણન કરે છે.
બીજું પુસ્તક કુળ નામના ચાર વિભાગોમાં વહેંચાયેલું છે. મૂળરૂપે પાંચ કુળ હતા, પરંતુ પાંચમા નિસિહિયાગ્ગણને હવે એક અલગ કૃતિ તરીકે ગણવામાં આવે છે. પ્રથમ અને બીજા ભાગમાં તપસ્વીઓના આચરણ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
સંદર્ભો
[ફેરફાર કરો]સ્ત્રોતો
[ફેરફાર કરો]- Ācārya, Tulsi; Ācārya, Mahāprajña (2001). Acharanga-bhasyam: English Translation of the Original Text of Ayaro Together with Its Roman Transliteration and Bhasyam (Sanskrit Commentary). Jain Vishwa Bharati.
- Jain, Sagarmal (1998). "Jain Literature [From earliest time to c. 10th A.D.]". Aspects of Jainology: Volume VI.
- Dundas, Paul (2002) [1992]. The Jains (2nd આવૃત્તિ). Routledge. ISBN 0-415-26605-X.
- Jacobi, Herman (1884). Friedrich Max Müller (સંપાદક). The Sacred Books of the East: Gaina Sutras, pt. 1. Clarendon Press.
- Illustrated SRI ACARANGA SUTRA (2 volumes), Ed. by Pravartaka Amar Muni, Shrichand Surana Saras, Eng. tr. by Surendra Bothra, Prakrit Gatha — Hindi exposition — English exposition and Appendices
- Ācārāṅgasūtra with Śīlāṅka’s commentary, in Muni Jambūvijaya (ed.). Ācārāṅgasūtram and Sūtrakṛtāṅgasūtram (re-edition of Āgamodaya Samiti edition), Delhi, 1978.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- હર્મન જેકોબી દ્વારા અનુવાદિત આચારાંગ સૂત્ર (ID૧)