આમરણ (તા. જોડિયા)
| આમરણ (તા. જોડિયા) | |||||||
| — ગામ — | |||||||
| અક્ષાંશ-રેખાંશ | 22°41′57″N 70°18′06″E / 22.69904°N 70.301721°E | ||||||
| દેશ | |||||||
| રાજ્ય | ગુજરાત | ||||||
| જિલ્લો | જામનગર | ||||||
| તાલુકો | જોડિયા | ||||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
|---|---|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
| વિસ્તાર • ઉંચાઇ |
• 5 metres (16 ft) | ||||||
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી | ||||||
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન | ||||||
| મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી | ||||||
|
કોડ
| |||||||
આમરણ (તા. જોડિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જોડિયા તાલુકામાં આવેલું એક ગામ છે. આમરણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આમરણ નવાનગર રજવાડાંના ખવાસ કુટુંબના વારસોનું નિવાસ સ્થાન હતું, જે બ્રિટિશ શાસન દરમિયાન તેમના રાજ નીચે હતું.[૧]
આમરણ પ્રાચીન નગર છે અને મુસ્લિમ પીર દાવલ શાહની દરગાહ અહીં આવેલી છે. દાવલ શાહ મહમદ બેગડાના રાજદરબારી મલિક મહમદ કુરૈશીનો પુત્ર હતો. તેમનું મૂળ નામ મલિક અબ્દ-ઉલ-લતિફ હતું પરતું તેમણે દાવર-ઉલ-મુલ્ક નામ સુલ્તાન તરફથી મેળવ્યું હતું. તેઓ આમરણના ફોજદાર હતા અને તેમણે આજુ-બાજુના રાજપૂતો પર ભારે ધાક જમાવી હતી. તેમની હત્યા ૧૫૦૯માં રાજપૂત દ્વારા થઇ હતી અને તેમને મૃત્યુ બાદ દાવલ શાહ પીર તરીકે ઓળખવામાં આવ્યા. દાવલ શબ્દ એ તેમના અપાયેલા નામ દાવર-ઉલ-મુલ્કથી અપભ્રંશ થયેલ છે. તેમની દરગાહ આજે પણ ધાર્મિક સ્થળ તરીકે મુલાકાત લેવાય છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). ખંડ VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૫૬.
આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે.: Gazetteer of the Bombay Presidency: Kathiawar. ખંડ VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૫૬.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |