આયાવેજ (તા. જેસર)

વિકિપીડિયામાંથી
(આયાવેજ (તા. પાલીતાણા) થી અહીં વાળેલું)
આયાવેજ (તા. જેસર)
—  ગામ  —
આયાવેજ (તા. જેસર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°22′39″N 71°44′16″E / 21.377379°N 71.737912°E / 21.377379; 71.737912
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આયાવેજ (તા. જેસર) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ઇતિહાસ[ફેરફાર કરો]

આયાવેજ સરવૈયાઓનાં મુખ્ય ગામ પૈકી એક હતું. તે ઉના સરવૈયા વિસ્તારનું નાનું સ્વતંત્ર ખંડણી ભરતું રજવાડું હતું અને પાલીતાણાની દક્ષિણ-પશ્ચિમે ૧૦ માઇલના અંતરે આવેલું છે. શેત્રુંજી નદી ગામથી ઉત્તરે એકાદ માઇલના અંતરે વહે છે. આયાવેજ પ્રાચીન ગામ છે અને ખોડિયાર માતાના મંદિર માટે પ્રખ્યાત છે. જુનાગઢના રાજા રા' દિયાસનો અણહિલવાડ પાટણના રાજા દ્વારા વધ થતાં બાળ રા' નવઘણને દાસી દ્વારા અહીં લવાયો હતો. બ્રિટિશ શાસન સમયે તે આયાવેજ અને વિરપુર ગામનો તાલુકો હતો અને ચોક થાણા હેઠળ આવતું હતું.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  2. Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૫.

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૫.


જેસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન