લખાણ પર જાઓ

ઉચપા (તા. ધરણીધર)

વિકિપીડિયામાંથી
ઉચપા
  ગામ  
ઉચપાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વાવ-થરાદ
તાલુકો ધરણીધર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ઉચપા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા વાવ-થરાદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ધરણીધર તાલુકામાં આવેલું એક ગામ છે. ઉચપા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. દાડમની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં શ્રી નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે, જ્યાં કારતક સુદ બીજના દિવસે મેળો ભરાય છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ મેરાયો નૃત્ય હોય છે.આ ઉપરાંત અહીં વિષ્ણુભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે []

અહીંથી નર્મદા કેનાલ ની નાની કેનાલ નીકળે છે જે સિંચાઇનું મુખ્ય માધ્યમ છે

અહી રોજગારની અલ્પ સુવિધાઓના કારણે લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર પામ્યા છે જેમકે થરાદ, અહમદાબાદ,કલોલ, ભાવનગર વગેરે

લોકો મુખ્યત્વે ખેતી,પશુપાલન, હીરાકામ, ખેતમજૂરી, જેવા વ્યવસાય કરે છે આ ઉપરાંત ઘણા લોકો ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે


  1. પ્રત્યક્ષ અનુભવ