લખાણ પર જાઓ

ઉવએસપદ

વિકિપીડિયામાંથી

ઉવએસપદ (સંસ્કૃત: ઉપદેશપદ) પ્રાકૃતભાષામાં આઠમી સદીમાં રચાયેલ એક ઉપદેશલક્ષી કૃતિ છે.[] ૧૦૩૯ ગાથાઓમાં રચાયેલ આ કૃતિની રચના જૈન આચાર્ય હરિભદ્રસૂરિએ કરી છે.[]

આ કૃતિમાં ૧૦૩૯ ગાથાઓ છે જેમાં ૭૦ લઘુકથાઓને મનોરંજક શૈલીમાં રજૂ કરવામાં આવી છે. ઉવએસપદની ૩ કથાઓ ઘટનાપ્રધાન, ૧૯ કથાઓ ચરિત્રપ્રધાન, ૨ કથાઓ વ્યંગપ્રધાન, ૯ કથાઓ બુદ્ધિપ્રધાન, ૫ કથાઓ મનોરંજનપ્રધાન તથા અન્ય ૫ કથાઓ ભાવના-વૃત્તિપ્રધાન છે.[]

આ કૃતિ ઉપર મુનિ ચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૭૪માં ‘સુખબોધિની’ નામની ટીકાની રચના કરી છે જેમાં તેમણે ઉવએસપદની મૂળ કથાઓનો વિસ્તાર કર્યો છે.[] મુક્તિકમલ જૈન મોહનલાલ દ્વારા વડોદરાએ આ ઉપદેશપદ ટીકા સહિત સંવત ૧૯૨૩ અને ૧૯૨૫માં એમ બે ભાગમાં પ્રકાશિત કરેલું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 5 "ઉવએસપદ (ઉપદેશપદ) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-07-27. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)