ઉવએસરયણાયર
દેખાવ
ઉવએસરયણાયર (સંસ્કૃત: ઉપદેશરત્નાકર) મુનિ સુન્દરસૂરિ દ્વારા રચિત પ્રાકૃતગ્રંથ છે. આ ગ્રંથના લેખક સહસ્ત્રાવધાની હતા તથા તેમને બાલસરસ્વતી કે વાદિગોકુલષણ્ડ નામથી સમ્માનિત કરવામાં આવતા હતા. આ રચનાનો સમયગાળો વિક્રમ સંવત ૧૩૧૯ પહેલાંનો મનાય છે.[૧]
લેખન
[ફેરફાર કરો]આ ગ્રંથમાં ચાર વિભાગ અને બાર તરંગ છે. આમાં અનેક ઉદાહરણો વડે ધર્મનું સ્વરૂપ સરળતાથી સમજાવ્યું છે. તદુપરાંત વિવિધ ગ્રંથો જેવા કે મહાભારત, મહાનિશીથ, વ્યવહારભાષ્ય, ઉત્તરાધ્યયનવૃત્તિ, પંચાશક વગેરેમાંથી અહીં અવતરણો મૂકવામાં આવેલ છે. બાર ર્દષ્ટાંત વડે યોગ્ય-અયોગ્ય ગુરુનું સ્વરૂપ સમજાવ્યું છે. અર્ક, દ્રાક્ષ, વટ અને આમ્રની ઉપમા આપીને અનુક્રમે મિથ્યા-ક્રિયા, સમ્યકક્રિયા, મિથ્યાદાનયાત્રા અને સમ્યકદાનયાત્રા સમજાવ્યાં છે.[૧]