લખાણ પર જાઓ

કત્તિગેયાણુવેકખા

વિકિપીડિયામાંથી

કત્તિગેયાણુવેકખા (સંસ્કૃત: કાર્તિકેયાનુપ્રેક્ષા) એ શૌરસેની પ્રાકૃતમાં કાર્તિકેયમુનિ દ્વારા આશરે નવમી સદીમાં રચાયેલી ૪૮૯ ગાથાઓની કૃતિ છે.[] આ ગ્રંથમાં અનુપ્રેક્ષા અર્થાત ભાવનાઓનું વિસ્તારમાં વર્ણન કરાયું છે.

જૈન ધર્મમાં વૈરાગ્યને પુષ્ટ કરતી બાર ભાવનાઓ પ્રસિદ્ધ છે: અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મભાવના. આ ગ્રંથમાં મુખ્યત્વે બાર અનુપ્રેક્ષાઓનું વર્ણન હોવાથી તેને ‘બારસ અણુવેકખા’ નામથી પણ ઓળખવામાં આવે છે.[] કાર્તિકેય નામના દિગંબર જૈનમુનિએ આ ગ્રંથની રચના કરી હોવાથી તેને 'કત્તિગેયાણુવેક્ખા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રંથ પર આચાર્ય શુભચંદ્રે સંસ્કૃત ટીકા પણ લખી છે.[]

કાર્તિકેય મુનિના સમય તથા પરિચય વિશે પ્રમાણભૂત માહિતી અપ્રાપ્ય છે. કેટલાક દિગંબર જૈન ગ્રંથોમાં કાર્તિકેયનું કથાનક આવે છે, જેમાં તેમને અગ્નિ નામક રાજાના પુત્ર બતાવ્યા છે અને તેઓ કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ ઉગ્ર તપશ્ચરણ કરી સ્વર્ગમાં ગયા હોવાનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાનો કાર્તિકેય મુનિનો સમય પ્રાચીન માને છે. પણ ડૉ. ઉપાધ્યેએ એક ગાથાના આધારે તેમને નવમી શતાબ્દી પછીના માન્યા છે.[]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 શાહ, રમણિકભાઈ મ. "કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-08-13. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)