લખાણ પર જાઓ

કપ્પૂરમંજરી

વિકિપીડિયામાંથી

કપ્પૂરમંજરી (સંસ્કૃત: કર્પૂરમંજરી) કવિરાજ રાજશેખરે ઇ.સ. દસમી સદીમાં રચેલ પ્રાકૃત ભાષાનું સંગીતરૂપક છે. માત્ર પ્રાકૃતભાષામાં રચાયેલાં નાટકોને સટ્ટક કહેવામાં આવે છે અને આ સટ્ટકો પૈકી કપ્પૂરમંજરી સૌપ્રથમ અને વિશિષ્ટ છે.[]

હર્ષની રત્નાવલીની જેમ કપ્પૂરમંજરીનું કથાવસ્તુ ચાર જવનિકા એટલે કે અંકોમાં બનેલું છે. આ કથામાં રાજા ચંડપાલ અને કુંતલની રાજકુમારી કર્પૂરમંજરીની પ્રણયગાથાને પદ્યાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. કાપાલિક ભૈરવાનંદ તંત્રવિદ્યાથી નાયિકાને રાજસભામાં હાજર કરે છે. નાયિકાને જોતાં જ ચંડપાલ પ્રથમ ર્દષ્ટિએ જ તેને ચાહવા લાગે છે. ત્યારબાદ વિદૂષકની મદદથી બંનેનું મિલન યોજાય છે. આ દરમિયાન મહારાણી વિભ્રમલેખા પ્રણયમાં વિઘ્નરૂપ બને છે. અંતે કાપાલિક ભૈરવાનંદની સહાયથી રાજા અને કર્પૂરમંજરીના વિવાહ થાય છે.[]

રમણિકભાઈ મ. શાહના મતે "અનુપમ પદલાલિત્ય અને ગીતિસૌન્દર્યથી મંડિત ‘કપ્પૂરમંજરી’ પ્રાકૃત ભાષાનું ઉત્તમ રૂપક ગણાય છે."[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • કુવલયમાલા, આઠમી સદીમાં રચાયેલી પ્રાકૃત નવલકથા
  • કણ્હચરિય, પ્રાકૃત ભાષામાં રચાયેલું શ્રીકૃષ્ણનું ચરિત્ર

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 શાહ, રમણિકભાઈ મ. "કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2025-08-22. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]