કબંધ
કબંધ એક રુન્ડ વાળો રાક્ષસ હતો જેનો રામ અને લક્ષ્મણે વધ કર્યો હતો. વાસ્તવમાં એમ કરી ને તેને શ્રાપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કબંધની કથા રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે.
કબંધ પૂર્વ જન્મમાં વિશ્વાવસુ નામનો ગંધર્વ હતો. એક વખત સ્થૂલશિરા ઋષિ તેના ગાયનથી અપ્રસન્ન થયા ત્યારે તેને હસવું આવ્યું. આથી ઋષિએ તેને રાક્ષસ થવાનો શાપ આપ્યો. બ્રહ્માની તપશ્વર્યા કરી તેણે દીર્ધાયુ થવાનુ વરદાન પ્રાપ્ત કર્યું હતું. વરદાનના ગર્વથી તે હમેશા ઇન્દ્રનું અપમાન કર્યા કરતો. આથી ગુસ્સે થઈ ને ઇન્દ્રે તેના ઉપર વજ્રપ્રહાર કર્યો અને તેનાં જાંધ, મોઢું અને મસ્તક તોડી નાખ્યાં. પછી તેની વિનવણીથી તેના હાથ યોજન પ્રમાણ લાંબા કરી દીધા અને તેના પેટની અંદર તીક્ષ્ણ દાંતયુક્ત મુખ બનાવી દીધું. તે પછી તે દંડકરણ્યમાં રહેવા લાગ્યો અને સિંહ, વાઘ વગેરેને પકડીપકડીને ખાવા લાગ્યો. જ્યારે રામચંદ્રજી દંડકારણ્યમાં આવ્યા ત્યારે તેના હાથને કાપી નાખી તેને મુક્ત કર્યો. મરતી વખતે તેમાંથી એક દિવ્ય પુરુષ નીકળી રામની સ્તુતિ કરી અદૃશ્ય થઇ ગયો.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |