કમ્મપયડી
કમ્મપયડી (સંસ્કૃત: કર્મપ્રકૃતિ) શિવશર્મસૂરિરચિત જૈન કર્મસિદ્ધાંતનો પ્રાકૃત ભાષાનો પ્રાચીન ગ્રંથ છે.[૧] શિવશર્મસૂરિ એક પ્રતિભાસંપન્ન અને બહુશ્રુત વિદ્વાન હતા તથા તેમનું કર્મ વિષયનું જ્ઞાન ગહન હતું.[૧] આ ગ્રંથ ઉપર કુલ ત્રણ ટીકાઓ પ્રકાશિત થઈ છે.
લેખન
[ફેરફાર કરો]આ ગ્રંથમાં ૪૭૫ ગાથાઓ છે. આ ગ્રંથમાં કર્મસંબંધી બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણ એ આઠ કરણો અને ઉદય તથા સત્તા એ બે અવસ્થાઓનું તેમજ કર્માષ્ટનાં આઠ કરણો, કર્મની આઠ મૂલ પ્રકૃતિઓનું અને ઉત્તર પ્રકૃતિઓનું બારીકીથી વિવેચન છે.[૧]
ટીકા
[ફેરફાર કરો]કમ્મપયડીની એક પ્રાકૃતચૂર્ણિ અને બે સંસ્કૃત ટીકા એમ મળીને ત્રણ વ્યાખ્યાઓ પ્રકાશિત થઈ છે. આ પૈકી પ્રાકૃતચૂર્ણિના લેખકનું નામ અજ્ઞાત છે. મલયગિરિએ આઠ હજાર સંસ્કૃત શ્લોકોમાં તથા ન્યાયાચાર્ય યશોવિજયજીએ બાર હજાર સંસ્કૃત શ્લોકોમાં આ ગ્રંથની ટીકા પ્રકાશિત કરી છે.[૧]