લખાણ પર જાઓ

કુબ્જા

વિકિપીડિયામાંથી
કુબ્જા
ત્રિવક્ર (કુબ્જા) તરફથી ભેટ સ્વીકારતા કૃષ્ણ.
જોડાણોત્રિવક્રા
રહેઠાણGoloka
ગ્રંથોભાગવત પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને સૂરસાગર
જીવનસાથીકૃષ્ણ (આધ્યાત્મિક)[]

કુબ્જા મથુરાની એક સુપ્રસિદ્ધ કુબડી (કુંભ) સ્ત્રી છે, જેનો હિન્દુ દેવતા કૃષ્ણએ સુંદર બનાવી તેણીનો ઉદ્ધાર કર્યો હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ ઘટનાનું વર્ણન ભાગવત પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને સૂરદાસ દ્વારા લખાયેલા સૂરસાગરમાં કરવામાં આવ્યું છે.

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

ભાગવત પુરાણમાં જણાવાયું છે કે પોતાના મિત્ર સુદામાને મળ્યા પછી, કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામ મથુરાની શેરીઓમાં ફરતા હતા અને રાજા કંસની એક યુવાન કુંભાળ દાસી કુબ્જાને મળ્યા. તેણીનો ચહેરો સુંદર હતો અને તેણી પાસે મલમની થાળી હતી. કૃષ્ણ તેણીની સુંદરતાની પ્રશંસા કરે છે અને વરદાનના બદલામાં મલમ માંગે છે. તેણી પોતાને ત્રિવક્ર તરીકે રજૂ કરે છે, જે ત્રણ જગ્યાએ વાંકી છે.

કૃષ્ણના આકર્ષણથી મંત્રમુગ્ધ થઈને, પોતાની પાસે રહેલો લેપ (મલમ) કૃસણને આપી દે છે, જે તેણી રાજા માટે લઈ જઈ રહી હતી. પ્રસન્ન થઈને, કૃષ્ણ તેના પગની આઁગળિઓ તેણીના પગ પર મૂકે છે અને પોતાના હાથોની એક-એક આંગળી તેની હડપચી નીચે મૂકે છે, અને આંગળીઓ ઉંચી કરે છે. આનાથી તેનું શરીર સીધું થઈ ગયું. કુબ્જા તેના તારણહારની તીવ્ર કામનાથી ભરાઈ છલકાઈ છે, અને કૃષ્ણનું ઉપરી પહેરણ ખેંચે છે. જોકે, કૃષ્ણ નમ્રતાથી ઇનકાર કરે છે અને તેની મુલાકાતનો હેતુ પૂર્ણ કર્યા પછી તેની પાસે પાછા ફરવાનું વચન આપે છે.[][]

સૂરદાસની કવિતામાં આ ઘટનાનો ઉલ્લેખ થોડા સંદર્ભમાં કરવામાં આવ્યો છે, જોકે, તે લખાણમાં ધ્યાન કેન્દ્રિત ભગવાનની બચાવ કૃપા પર છે, જે ભક્તોમાં ભેદભાવ રાખતા નથી અને એક નીચા વર્ગની દાસીને પણ મદદ કરે છે.[] કંસનો વધ કર્યા પછી, કૃષ્ણ વચન મુજબ ઉદ્ધવ સાથે કુબ્જાની મુલાકાત લે છે. કુબ્જા તેના સાથીઓ સાથે કૃષ્ણની પૂજા કરે છે અને તેમને સન્માનનું આસન આપે છે. જ્યારે કુબ્જા કૃષ્ણ સાથે મુલાકાત માટે તૈયાર થાય છે ત્યારે, કૃષ્ણ અંદરના ખંડમાં કુબ્જાના પલંગમાં આરામથી બેસી જાય છે. કૃષ્ણને ભેટીને, કુબ્જાની અભિલાષા પૂર્ણ થાય છે. તે કૃષ્ણને તેની સાથે રહેવા વિનંતી કરે છે, જોકે કૃષ્ણ ઉદ્ધવના નિવાસસ્થાન તરફ રવાના થઈ ગયા, અને વચન આપે કે તે ફરીથી તેની ઇચ્છાઓ પૂર્ણ કરશે.[][]

સુરદાસ કુબ્જા અને કૃષ્ણના બીજા મિલન વિશે વધુ વિગતવાર વાત કરે છે. તેઓ ઉલ્લેખ કરે છે કે કુબ્જાનું નસીબ તેના પાછલા જન્મના ગુણને કારણે છે. કંસાને માર્યા પછી, કૃષ્ણ તેની ઇચ્છા પૂર્ણ કરવા માટે કુબ્જાના ઘરે પ્રયાણ કરે છે.[]

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, કુબ્જા એ શૂર્પણખાનો પુનર્જન્મ છે, જે એક રાક્ષસી સ્ત્રી છે જેણે પૃથ્વી પર કૃષ્ણના પાછલા જન્મમાં રામને પામવા માટે ઈચ્છા કરી હતી. શૂર્પણખાની તપસ્યાનું ફળ કુબ્જા તરીકે તેના જન્મમાં મળે છે, જ્યારે તેની રામ સાથે એક થવાની ઇચ્છા પૂર્ણ થાય છે.[] તેથી તેણી કૃષ્ણ (રામનો પુનર્જન્મ) ને પતિ (આધ્યાત્મિક રીતે) તરીકે પ્રાપ્ત કરે છે. કૃષ્ણ સાથેના જોડાણ પછી તેણીને ગોલોક પ્રાપ્ત થઈ અને તે ચંદ્રમુખી નામની ગોપાલિકા (ગોપી) બની જાય છે.[]

વિષ્ણુ પુરાણ જેવી શાસ્ત્રીય કૃતિઓમાં કૃષ્ણની કુબ્જાના ઘરે મુલાકાતની નોંધ નથી.[૧૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Doniger, Wendy (2014-03-03), Nagar, Shantilal, ed., "The Scrapbook of Undeserved Salvation: The Kedara Khanda of the Skanda Purana 1", On Hinduism (Oxford University Press): pp. 233–256, http://dx.doi.org/10.1093/acprof:oso/9780199360079.003.0017, retrieved 2023-01-06
  2. Bhagavata Purana 10.42 સંગ્રહિત ૨૦૧૩-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન by Prabhupada
  3. Pauwels 2008, pp. 331-2.
  4. Pauwels 2008, pp. 330, 332.
  5. Pauwels 2008, pp. 333-4.
  6. Bhagavata Purana 10.48 સંગ્રહિત ૨૦૧૩-૧૨-૩૦ ના રોજ વેબેક મશિન by Prabhupada
  7. Pauwels 2008, p. 335.
  8. Pauwels 2008, pp. 336.
  9. Shanti Lal Nagar (2003-01-01). Brahma Vaivarta Purana - English Translation - All Four Kandas. ખંડ  2. p. 477. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  10. Pauwels 2008, p. 337.