કુમ્માપુત્તચરિય
કુમ્માપુત્તચરિય (સંસ્કૃત: કુર્માપુત્રચરિત્ર) ૧૯૮ પ્રાકૃત પદ્યોમાં રચાયેલું એક જૈન લઘુ કથાકાવ્ય છે. તેની રચના જિનમાણિક્યસૂરિ અથવા તો તેમના શિષ્ય અનંતહંસે કરી હોવાનું સંભવ છે. ઇ.સ. ૧૬૧૩માં ઉત્તર ગુજરાતમાં આ કથાકાવ્યની રચના થઈ હતી.[૧]
| રચનાર: માણિક્યસૂરિ અથવા અનંતહંસ | |
| દેશ | ભારત |
|---|---|
| ભાષા | મહારાષ્ટ્રી પ્રાકૃત |
| વિષય(યો) | જૈન ધર્મ, વૈરાગ્ય |
| પ્રકાર(રો) | લઘુકથાકાવ્ય |
| પ્રકાશન તારીખ | ઇ.સ. ૧૬૧૩ |
લેખન
[ફેરફાર કરો]કર્તા
[ફેરફાર કરો]આ કાવ્યની અંદર કવિ પોતાના ગુરૂને હેમતિલક જણાવે છે. તપાગચ્છની પટ્ટાવલિ પ્રમાણે આ ગુરૂ ૧૬મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. વિદ્વાનોના મતે જિનમાણિક્ય અથવા તો તેમના શિષ્ય અનંતહંસે તેની રચના કરી હોવી જોઈએ.[૧] ઇ.સ. ૧૬૧૩માં ઉત્તર ગુજરાતમાં આ કથાકાવ્યની રચના થઈ હતી.[૧]
ભાષા
[ફેરફાર કરો]કાનજીભાઇ પટેલના મતે "આ ધર્મકથાની ભાષા સરળ અને સુમધુર છે" અને " સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે". કથાકાવ્યની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે.[૧]
સંપાદન
[ફેરફાર કરો]પ્રાધ્યાપક કાશીનાથ વાસુદેવ અભ્યંકરે તેનું સંપાદન કરી ઇ.સ. ૧૯૩૩માં પ્રકાશિત કર્યું હતું.[૧]
કથા
[ફેરફાર કરો]જૈન માન્યતાના ‘ચતુર્વિધ’ ધર્મમાં દાન, શીલ, તપ અને ભાવના આદર્શ માટે કુમ્માપુત્તનું ઉદાહરણ અપાયું છે.[૧] ધર્મઘોષના ઋષિમંડળ પરની શુભવર્ધનની ટીકાનો કવિએ આધાર લીધો છે. પૂર્વજન્મે દુર્લભ નામનો રાજપુત્ર તેના બીજા ભવમાં રાજગૃહ નગરમાં કુમ્માપુત્ત નામે રાજકુમાર તરીકે જન્મે છે. પરંતુ રાજકુમારને પોતાના પૂર્વભવનું સ્મરણ થતાં તેઓ સંસારથી વિરક્ત બને છે. સાથે જ પોતાના માતાપિતા દુ:ખી ન થાય તેઓ માટે સંસારમાંથી દીક્ષા ન લેતાં તે ગૃહસ્થાશ્રમમાં જ રહે છે અને કેવળજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કરે છે.આ ચોવીશીમાં ગૃહસ્થાશ્રમમાં કેવલજ્ઞાન પામનાર એકમાત્ર મહાત્મા કુમ્માપુત્ત હતા.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2 3 4 5 6 "કુમ્માપુત્તચરિય – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-09-25.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: url-status (link) - ↑ શ્રી નમસ્કાર મહાત્મ્ય અને કૂર્માપુત્ર ચરિત્ર. ભાવનગર: શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. વિ.સ. ૧૯૭૯. pp. iii.
{{cite book}}: Check date values in:|year=(મદદ)CS1 maint: year (link)