લખાણ પર જાઓ

કૃષ્ણનાથ સરમા

વિકિપીડિયામાંથી
૨૦૦૧ની ભારતીય ટપાલ ટિકિટ પર કૃષ્ણનાથ સરમા

કૃષ્ણનાથ સરમા (૧૮૮૭-૧૯૪૭) આસામના એક પ્રખ્યાત રાષ્ટ્રવાદી અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[] વિજ્ઞાન અને કાયદાના વિષયમાં પદવી મેળવ્યા બાદ, તેમણે ૧૯૧૭માં વકીલાત શરૂ કરી. મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને, તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા. તરુણ રામ ફુકન, નવીનચંદ્ર બારદોલોઈ અને ગોપીનાથ બોરદોલોઈ સાથે, તેઓ આસામમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણીઓમાંના એક હતા. ગાંધીજીના મિશન વિશે સાંભળીને, સરમાએ ગાંધીજીને 'નામઘર' (પ્રાર્થનાગૃહ) ખોલવા આમંત્રણ આપ્યું. આ ઘટના બાદ તેમણે દલિત સમુદાય માટે ૧૨ શાળાઓ પણ ખોલી.[]

  1. "This Forgotten Assam Freedom Fighter Opened Schools for Dalits, Marched in Dandi!". The Better India (અંગ્રેજીમાં). 2019-10-15. મેળવેલ 2022-01-11. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "This Forgotten Assam Freedom Fighter Opened Schools for Dalits, Marched in Dandi!". The Better India (અમેરિકન અંગ્રેજીમાં). 2019-10-15. મેળવેલ 2021-07-06. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)