કોહોજ
| કોહોજ કિલ્લો | |
|---|---|
| વાઘોટે ગામ, પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર | |
કોહોજ કિલ્લો | |
| અક્ષાંશ-રેખાંશ | 19°40′12″N 72°59′15″E / 19.6700315°N 72.9875099°E |
| ઊંચાઈ | 2,000 feet (610 m) |
| સ્થળની માહિતી | |
| આધિપત્ય | |
| નિયંત્રણ | |
| જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
| સ્થળ ઈતિહાસ | |
| વપરાશમાં? | ત્યજેલ |
| નાશ | જર્જરિત |
કોહોજ ભારતના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પાલઘર નજીક મધ્યયુગના લશ્કરી કિલ્લાનું બાંધકામ છે.
સ્થાન
[ફેરફાર કરો]કોહોજ મુંબઈથી લગભગ ૧૦૪ કિમી દૂર મુંબઈ- અમદાવાદ માર્ગ પર મનોરથી મનોર-વાડા માર્ગ પર ૧૦ કિમી જમણે બાજુ વળ્યા પછી થોડા અંતરે આવેલો છે. કિલ્લાના તળેટી પર 'પઝાર' તરીકે ઓળખાતું તળાવ આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ કિલ્લો લગભગ ૮૦૦ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે અને તેનો ઉલ્લેખ પુરંદર સંધિમાં ૨૨ અન્ય કિલ્લાઓ સાથે જોવા મળે છે. જે શિવાજી મહારાજે ૧૧ જૂન ૧૬૬૫ના રોજ મુઘલોને સોંપી દીધા હતા. નજીકના દરિયાકાંઠા પર નજર રાખવા અને આ રીતે પ્રદેશને સુરક્ષિત રાખવા માટે પણ તે એક મહત્વપૂર્ણ કિલ્લો હતો.
સ્થાપત્ય
[ફેરફાર કરો]કોહોજ કિલ્લો જર્જરિત હાલતમાં છે અને સદીઓથી ત્યજી દેવાયેલો છે. કોહોજનું ચઢાણ મધ્યમ-કઠિન છે અને કિલ્લાના પાયામાં આવેલા વાઘોટે ગામથી તેના મુખ્ય સમતળ ઉચ્ચપ્રદેશ સુધી પહોંચવામાં લગભગ અઢી કલાક જેટલો સમય લાગે છે.
કોહોજ કિલ્લા સુધી પહોંચવા માટે મુખ્ય માર્ગ છે જે વાડા-મનોર માર્ગ પર ખારા પાણીના તળાવ પાસે કોહોજ કિલ્લાના રસ્તાથી જાય છે. કિલ્લાના ઉચ્ચપ્રદેશ પર પહોંચ્યા પછી, ભગવાન શંકરનું મંદિર જોઈ શકાય છે, જે હવે પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. કિલ્લા પર દસ ખડકમાંથી કાપેલા કુંડ હતા. મંદિરની સામે બે કુંડ જોઈ શકાય છે. એક રસ્તો મંદિરની ડાબી બાજુથી નીચે ઉતરે છે, જ્યાં સાત જોડાયેલા કુંડ આવેલા છે. એક કુંડમાં સ્વચ્છ પાણી આવે છે. અન્ય બે કુંડનું પાણી બગડી ગયું છે, અને બાકીના ચાર પૂરાઇ ગયા છે. મંદિરની જમણી બાજુએ જર્જરિત સ્થિતિમાં થોડા અવશેષો જોઈ શકાય છે. કિલ્લા પર કેટલીક જગ્યાએ કિલ્લેબંધી પણ જોવા મળે છે. બીજો રસ્તો મંદિરની જમણી બાજુથી ટેકરી ઉપર ફેલાયેલો છે. આ માર્ગ પર ત્રણ મોટા કુંડ જોઈ શકાય છે, જેમાંથી એક ભરાઈ ગયો છે અને બાકીના બેમાં પાણી છે. આ પાણી પીવા માટે વાપરી શકાય છે. આ કુંડોની નજીક ભગવાન હનુમાનની મૂર્તિ જોઈ શકાય છે.[૧]
પવન-ધોવાણને કારણે બનેલા માનવ આકાર જેવા દેખાવનું શિખર કિલ્લા પરના શ્રેષ્ઠ કુદરતી સ્થળોમાંનો એક છે. વિવિધ દિશાઓથી જોવામાં આવે ત્યારે આ શિખરના વિવિધ આકારો સ્પષ્ટ દેખાય છે. આ માર્ગ પર આગળ ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. સૌથી ઊંચા સ્થાને પહોંચવા માટે બીજા ૧૦-૧૫ મિનિટ લાગે છે. કિલ્લાની ઊંચાઈ લગભગ ૩૨૦૦ ફૂટ છે. કિલ્લાની ટોચ પરથી તાંદુલવાડી કિલ્લો, તકમક કિલ્લો, અશેરી કિલ્લો, મહાલક્ષ્મી શિખર અને અરબી સમુદ્ર દેખાય છે.
કિલ્લા પર રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ભગવાન શિવના મંદિરમાં એક સમયે બે વ્યક્તિઓ ભાગ્યે જ રહી શકે છે.
છબીઓ
[ફેરફાર કરો]- કિલ્લા પરના શિખરો
- કિલ્લાના રસ્તે આવતું જંગલ
- શિવ મંદિર
- માર્ગ
- ટોચના કિલ્લાનું પ્રવેશદ્વાર
- ખડકમાં પાણીનો કુંડ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "TrekKshitiz". મેળવેલ 12 October 2015.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)