લખાણ પર જાઓ

ખેરાળી વાવ

ખેરાળી વાવ અથવા રાજબાઈની વાવ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં આવેલી વાવ છે.[]

આ વાવની અંદરના સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિમાં લખાયેલ શિલાલેખ મુજબ તેનું બાંધકામ સન ૧૪૬૩માં થયું હતું. લોકવાયકા પ્રમાણે પરમાર રાજા જગદેવના મંત્રી લખધીર સિંહે પોતાની પત્નીની યાદમાં આ વાવ બનાવી હતી. શિલાલેખ મુજબ તેનું નામ વેજલદેવી હતું.[]

વાવના પ્રથમ કૂટના ગવાક્ષમાં માત્રી માતા અને ચામુંડા માતાની પ્રતિમા છે. વાવ સાત માળ ધરાવે છે. તેમાં ૧૦૮ પગથિયાં છે અને તે ૧૧૦ ફૂટ ઉંડી છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 Mehta Bhatt, Purnima (2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. New Delhi: Zubaan. p. 64. ISBN 9789383074495.

22°41′23″N 71°36′02″E / 22.68961085°N 71.60063816°E / 22.68961085; 71.60063816