લખાણ પર જાઓ

ગોમ્મટસાર

વિકિપીડિયામાંથી
ગોમ્મટસાર
ગોમ્મટસાર
ગોમ્મટસાર જીવકાંડ (પહેલો ભાગ)
માહિતી
ધર્મજૈન ધર્મ
લેખકઆચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી
સમયગાળોઇસુની ૧૦મી સદી

ગોમ્મટસાર એ આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીકૃત અને સૌથી મહત્વપૂર્ણ જૈન ગ્રંથોમાંનો એક છે.[][] આ ગ્રંથની ભાષા શૌરસેની પ્રાકૃત છે.[]

ઈતિહાસ

[ફેરફાર કરો]

ગોમ્મટસાર નેમીચંદ્ર દ્વારા ઇ. સ. ૧૦મી સદીમાં પ્રાકૃત લખવામાં આવ્યો હતો.[][] આ ગ્રંથ આચાર્ય ભૂતબલી અને આચાર્ય પુષ્પદંત દ્વારા લખાયેલા મુખ્ય જૈન ગ્રંથ શતખંડગમ પર આધારિત છે.[] હેમરાજ પાંડેના શિક્ષક રૂપચંદ પાંડે દ્વારા ૧૬૩૫માં ગોમ્મટસાર પરના ઉપદેશો આપવામાં આવ્યા હતા.[] ગંગવંશીય રાજા રાજમલ્લના મંત્રી ચામુંડરાય(બીજું નામ ગોમ્મટ)ની પ્રેરણાથી આ ગ્રંથની રચના થઈ તેથી તેનું નામ ‘ગોમ્મટસાર’ રખાયું. આ ગ્રંથ 'પંચસંગ્રહ', ‘પ્રથમ સિદ્ધાંતસૂત્ર’ અથવા ‘પ્રથમ શ્રુતસ્કંધ’ એ નામોથી પણ ઓળખાય છે.[]

કથાવસ્તુ

[ફેરફાર કરો]
આત્માઓનું વર્ગીકરણ ( ગાથા ૭૨ )

ગોમ્મટસાર દિગંબર પરંપરાનો વિગતવાર સારાંશ આપે છે.[] તેને પંચસંગ્રહ પણ કહેવામાં આવે છે, જે નીચેના પાંચ વિષયોનો સંગ્રહ છે: []

  1. જે બંધાયેલ છે, એટલે કે, આત્મા (બંધ);
  2. જે આત્મા સાથે બંધાયેલ છે (બધ્યમાન);
  3. જે બંધાય છે (બંધસ્વામી);
  4. બંધનની જાતો (બંધનો હેતુ);
  5. બંધનનું કારણ (બંધભેદ).

આ પૈકી બંધક એટલે કે આત્મા જીવકાંડનો વિષય છે. બાકીના ચાર વિષયો કર્મકાંડ પ્રકરણને લગતા છે.[]

ગોમ્મટસાર ઉપર સંસ્કૃત, પ્રાકૃત તથા અન્ય ભાષામાં વિવિધ વૃત્તિઓ અને ટીકાઓ રચાયેલી છે. આમાં અગત્યની કેટલીક ટીકાઓનો સમાવેશ થાય છે - આચાર્ય અભિનંદને લખેલી ટીકા, ગોમ્મટરાય દ્વારા કન્નડ ભાષામાં રચાયેલી વૃત્તિ, આચાર્ય અભયચંદ્રની સંસ્કૃત ટીકા, બ્રહ્મચારી કેશવવર્ણી દ્વારા સંસ્કૃતમાં લખાયેલી ટીકા, આચાર્ય નેમિચંદ્રે સંસ્કૃતમાં રચેલી 'જીવતત્ત્વપ્રબોધિની' નામની ટીકા, પંડિત હેમચંદ્ર (ઈ.સ. ૧૬૪૩-૭૦) દ્વારા લખાયેલી 'ભાષાવાચનિકા', પં. ટોડરમલની 'ભાષાવાચનિકા', પં. મનોહરલાલ દ્વારા રચિત 'સંસ્કૃત છાયા' તેમજ સંક્ષેપમાં લખાયેલી ભાષાટીકા ઇત્યાદિનો સમાવેશ થાય છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Ghoshal 1989, p. xi.
  2. Jaini 1927, p. 5.
  3. 1 2 3 "ગોમ્મટસાર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-10-05. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. Orsini & Schofield 1981, p. 71.
  5. Orsini & Schofield 1981, p. 73.
  6. Jaini 1927, p. 3.
  7. Orsini & Schofield 1981, p. 87.
  8. Orsini & Schofield 1981.
  9. 1 2 Jaini 1927.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]