લખાણ પર જાઓ

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

વિકિપીડિયામાંથી
ચઉપ્પન્નમહાપુરિસચરિયં
લેખકવિમલમતિ શીલાચાર્ય (શીલાંકાચાર્ય)
મૂળ શીર્ષકचउप्पन्नमहापुरिसचरियं
દેશભારત
ભાષામહારાષ્ટ્રી પ્રાકૃત
વિષયજૈન શલાકાપુરુષોનાં ચરિત્રો
પ્રકારધાર્મિક સાહિત્ય, પુરાણ, મહાકાવ્ય
પ્રકાશિતઈ. સ. ૮૬૮ (રચના)
ઈ. સ. ૧૯૬૧ (આધુનિક પ્રકાશન)
પ્રકાશકપ્રાકૃત ગ્રંથ પરિષદ (આધુનિક)
માધ્યમ પ્રકારતાડપત્ર હસ્તપ્રત
ગ્રંથાગ્ર: ૧૦,૮૦૦
સંપાદક: પં. અમૃતલાલ મોહનલાલ ભોજક
ગ્રંથાંક: ૩ (પ્રાકૃત ગ્રંથ પરિષદ)

ચઉપ્પન્નમહાપુરિસચરિયં પ્રાકૃત ભાષાનો એક બૃહદ ગ્રંથ છે જેમાં જૈન ધર્મના શલાકાપુરુષોના સમુદિત ચરિત્રનું પ્રથમ વાર વર્ણન થયું છે.[] આ ગ્રંથની રચના નિર્વૃતિકુળના આચાર્ય માનદેવસૂરિના શિષ્ય વિમલમતિ શીલાચાર્ય અથવા શીલાંકાચાર્યે ઇ.સ. ૮૬૮માં કરી હતી.[]

આ ગ્રંથના રચયિતા નિર્વૃત્તિકુળના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય અથવા શીલાંકાચાર્ય હતા; જે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી અલગ હતા. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. ૮૬૮માં આ ગ્રંથની રચના થઈ હતી.[]

હસ્તપ્રતો અને પ્રકાશન

[ફેરફાર કરો]

આ ગ્રંથની બે મહત્વપૂર્ણ હસ્તપ્રતો મળી છે:

  1. જેસલમેરની હસ્તપ્રત: જેસલમેરના બડાભંડારમાં સંગ્રહિત તાડપત્રની હસ્તપ્રત, જે ઈ. સ. ૧૧૭૦માં લખાયેલી છે અને તેમાં ૩૨૪ પત્રો છે.
  2. અમદાવાદની હસ્તપ્રત: વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની તાડપત્રની હસ્તપ્રત, જે ઈ. સ. ૧૨૬૯માં લખાયેલી છે અને તેમાં ૩૭૬ પત્રો છે.

આ બંને હસ્તપ્રતોને આધારે પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે સંપાદન કરી પ્રાકૃત ગ્રંથ પરિષદના ગ્રંથાંક ૩ તરીકે ઈ. સ. ૧૯૬૧માં પ્રકાશિત કર્યું હતું.[]

વિષયવસ્તુ

[ફેરફાર કરો]

ગ્રંથમાં કુલ ૫૪ મહાપુરુષોનાં ચરિત્રો સમાવિષ્ટ છે: ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, અને ૯ બલદેવો. શાંતિનાથ, કુંથુનાથ તથા અરનાથ એ ત્રણ તીર્થંકર ચક્રવર્તી પણ હોવાથી વાસ્તવમાં ૫૧ જીવનવૃત્તાંતો થાય છે. પિતા-પુત્ર અને અગ્રજ-અનુજનાં વૃત્તાંતો ભેગાં હોવાથી વસ્તુતઃ ૪૦ ચરિત્રો જ છે. આમાંથી ૨૧ કથાનકો અતિસંક્ષિપ્ત છે, જ્યારે બાકીના ૧૯ ચરિત્રો વિવિધ કારણો જેવાં કે પૂર્વભવવર્ણન, શુભાશુભકર્મવિપાક-ઉપદેશ, પ્રસંગ-વિસ્તાર, અવાન્તરકથાવિસ્તાર, અને કર્મબન્ધ અને દેવનરકગતિ વિષે ઉપદેશના લીધે વિસ્તૃત બન્યાં છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • કહાવલી, અન્ય જૈન ગ્રંથ જેમાં તીર્થંકરો, ભાવિ તીર્થંકરો, અને જૈન ધર્મના નાયકોનું વર્ણન થયું છે

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 5 "ચઉપ્પન્નમહાપુરિસચરિયં – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-10-15. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)