ચર્ચા:બાબાસાહેબ આંબેડકર
નવો વિષયલાલ કડીઓ
[ફેરફાર કરો]મિત્રો, લેખમાં શક્ય તેટલી લાલ કડીઓ ઓછી કરવી. દરેક લેખમાં વિકિ પર હાજર લેખ હોય તેની અથવા જે શબ્દ/વિષય પર વહેલાસર લેખ બનાવી શકાય તેવી શક્યતા હોય તેને જ કડી ([[ ]]) આપવી. લેખમાં વારંવાર આવતા શબ્દો/વિષયોને દર વખતે કડી આપવી જરૂરી નથી, એકાદ બે વખત કડી આપવાથી કામ ચાલી જાય છે. લેખમાં રહેલી વધારે પડતી લાલ કડીઓ લેખની ગુણવત્તા ઘટાડે છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૭, ૧૩ મે ૨૦૧૨ (IST)
અશોકભાઈ ડો.ભીમા સાહેબ નું ઐતિહાસિક યોગદાન અને તેમાં લખેલ બૂક વિષે થોડું લખવા વિનંતી છે KRUNALPATEL86 (ચર્ચા) ૧૩:૩૨, ૨૫ જૂન ૨૦૧૭ (IST)
લેખનશૈલી
[ફેરફાર કરો]આ લેખની લેખનશૈલી અને ભાષા જ્ઞાનકોશને અનુરૂપ ન જણાતા બ્લોગ કે પ્રશસ્તિ પુસ્તકને અનુરૂપ વધુ લાગે છે. ઉદાહરણ તરીકે.. લેખનું એકદમ શરૂઆતનું ચોથું વાક્ય "આમ ભીમરાવ ખરેખર 'ચૌદમું રતન " થવાજ સર્જાયા હતા. " અને આગળ જતા ત્રીજા ફકરાની ત્રીજી લીટી "....પિતાનું મૃત્યુ એ મહત્વાકાંક્ષી ભીમરાવને કારી ઘા હતો. ભીમરાવનું નસીબ જોર કરતુ હતું,..." આમ ચૌદમું રતન, મહત્વાકાંક્ષી ભીમરાવ, કારી ઘા, નસીબ જોર કરતું.... વગેરે જેવા વાક્યો કોઈ ઇતિહાસમાં કે જ્ઞાનકોશમાં જોવા નથી મળતા. લેખ ખુબ સરસ લખાઈ રહ્યો છે, પણ આવા વાક્યોને કારણે આખા લેખની નીષ્પક્ષતા પર પ્રશ્ન ઊઠી શકે છે, માટે શરૂઆતથી જ ચેતીને ચાલવું વધુ સલાહભર્યું છે. એટલું જ નહિ, સંદર્ભોના અભાવે ભલે લેખ ગમે તેટલો સારો લખાયો હશે, તેને આપણે ગુણવત્તાસભર લેખમાં નહિ ગણાવી શકીએ, તો મારો અનુરોધ છે કે અત્યારથી જ લેખમાં સંદર્ભ ઉમેરતા જવું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૪, ૧૪ મે ૨૦૧૨ (IST)
- મિત્રો, આ લેખની ભાષા હજુ જ્ઞાનકોશને અનુરૂપ નથી થઈ રહી. આ એક નિબંધ કે પ્રશસ્તિ પત્ર જેવું વધુ લાગે છે. અનિલભાઈ, જો આપ આ સંદેશો વાંચો તો ખાસ આપને નિવેદન છે કે જ્યાં સુધી લેખમાં સંદર્ભો ના ઉમેરાય ત્યાં સુધી નિષ્પક્ષતા વાળો ઢાંચો દૂર ના કરશો. અને હા, આ લખાણ ક્યાંથી લેવામાં આવ્યું છે તેનો સ્રોત જણાવશો તો સંદર્ભ કેવી રીતે ઉમેરવા તે જણાવવામાં મદદરૂપ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૧૯ મે ૨૦૧૨ (IST)
સંદર્ભ વિશે
[ફેરફાર કરો]માર્ગદર્શન બદલ આભાર.... પરંતુ મને સંદર્ભ વિશે વધારે માહિતિ આપશો..... જય ભારત User:અનિલ કંટારિયાચર્ચા/યોગદાન
- કૃપયા અંગ્રેજી વિકિ પરનાં આ બે માર્ગદર્શક લેખનો અભ્યાસ કરવાથી સંદર્ભ વિષયનું સારું એવું જ્ઞાન મળશે. સંદર્ભ કઈ રીતે આપવા અને સંદર્ભ ક્યારે આપવા. આગળ આપણે માત્ર ગુજરાતી જાણતા મિત્રોનાં લાભાર્થે આ પ્રકારનાં માર્ગદર્શક લેખોને ગુજરાતીમાં લાવવા પણ પ્રયત્ન કરીશું. આપ મિત્રો આ ભાષાંતર કાર્યમાં પણ સહકાર આપશો જ તેવી આશા છે. સંદર્ભ માગવો અને સંદર્ભ આપવો એ જ્ઞાનકોશ પર નિરંતર ચાલતી પ્રક્રિયા છે, સંદર્ભ ચકાસણી કરી શકાય તે પ્રકારનો હોવો જોઈએ. માત્ર એક ઉદા. આપું તો, ’ફલાણાએ "આમ" લખ્યું કે "આમ" કહ્યું’ તેટલું માત્ર પૂરતું ન થતાં વાક્યને અંતે <ref> </ref> ની વચ્ચે ફલાણાએ આમ ક્યાં (પૂસ્તક, પ્રકરણ, પાનું કે કઈ તારીખનું, કયું, અખબાર કે અન્ય કોઈ પ્રસિદ્ધ થયેલી નોંધ) લખ્યું/કહ્યું તે (વેબ પર હોય તો લિંક સાથે) જણાવવું અને લેખને અંતે એક પેટા મથાળું ==સંદર્ભ== બનાવી તેની નીચે ઢાંચો {{reflist}} મુકવો. વધુ જાણકારી માટે પૃચ્છા સદાય આવકાર્ય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૮, ૧૪ મે ૨૦૧૨ (IST)
આભાર
[ફેરફાર કરો]અશોકભાઇ સહયોગ બદલ અભાર..... પ્રથમ પ્રયાસ વખતે desh border લાઇન વાળુ કોષ્ટક મારાથી નિકળતુ નહતુ....અને માહિતી ચોકઠા ઉપરથી લખાણ જતુ હતુ..ત્યાર બાદ આપે લેખ મા સુધારો કર્યો અપને પણ કદાચ આ સમસ્યા આવી હશે. તેના માટે શુ કરવાનુ હોય માર્ગદર્શન આપશો...-અનિલ કંટારિયાચર્ચા/યોગદાન
- અનિલભાઈ, અહીં નવી લીટી ચાલુ કરતાં પહેલાં એક સ્પેશ પણ ખાલી છોડીશું તો desh border લાઇન વાળુ, કોષ્ટક જેવું (અને પાનાની બહાર નીકળી જતું) લખાણ થશે. આથી નવી લીટી ચાલુ કરતાં પહેલાં સ્પેશ આપવી નહીં. આપે લીટીની શરૂઆતમાં એક સ્પેશ છોડી હશે તેથી કદાચ desh border લાઇન વાળુ કોષ્ટક બન્યું. ફકરો પાડવામાં પણ <br> આપવા કરતાં ફકરો પૂર્ણ થયે એક લીટીની જગ્યા છોડી નવો ફકરો ચાલુ કરવાથી ફકરાઓ સરસ પડશે. (લેખના શરૂઆતનાં કેટલાક ફકરાઓ મેં તે રીતે કર્યા છે. સમજવા માટે)
ઉદા:
અબકડ........(જુઓ આગળ એક સ્પેશ છોડી છે !) અમારે લાયક કામકાજ નિઃસંકોચ જણાવવું. આભાર.
૨૨ પ્રતિજ્ઞા
[ફેરફાર કરો]પ્રિય અશોકભાઇ જ્યા સુધી મને ખ્યાલ છે ત્યા સુધીબૌદ્ધ ધર્મ વિભાગમા ૨૨ પ્રતિજ્ઞા હ્તી(૪ રેફરન્સ સાથે) જે અત્યારે નથી.મારે અભ્યાસ ચાલુ હોવાથી હુ બધુ ચકાસી શકુ તેમ નથી.તો ઘટતુ કરવા વિનન્તી.ને આવી તોડ-ફોડ વાળી પ્રવ્રૂતિ કરતા હોય તેવા તત્વો પર ધ્યાન આપવુ.મે આ પ્રતિજ્ઞા ઓને ઘણી બધી જગ્યા એ રેફરન્સ આપેલો છે તેથી ઘટતુ કરશો-અનિલ કંટારિયાચર્ચા/યોગદાન
- એ ભાગ કોઈ અનામી સંપાદકે હટાવ્યો હોવાનું જણાય છે. જો કે તે તોડફોડ ન જણાતા, અસંદર્ભ લખાણ હટાવવાની બાબત જણાયેલી હોય અને અસંદર્ભ અથવા અયોગ્ય સંદર્ભ વાળું લખાણ કોઈપણ હટાવી શકે તથા આમાં જે ત્રણ સંદર્ભ હતા તે "અયોગ્ય" હતા તેથી તેને રિવર્ટ કરાયું નહિ હોય. (અયોગ્ય એ અર્થમાં કે બે તો ખાનગી બ્લૉગનાં હતા અને એક હિંદી વિકિપીડિયાનો, જે ત્રણે અમાન્ય છે.) પણ............આપની વાત સાચી છે કે આ ૨૨ પ્રતિજ્ઞાઓ વાળો મુદ્દો પ્રસિદ્ધ છે એટલે યોગ્ય સંદર્ભ શોધવો જોઈએ એમ માની શોધ્યો તો (વાયા અંગ્રેજી વિકિ) એક પ્રકાશિત પુસ્તકમાં આ ઉલ્લેખ જણાયો તેને સંદર્ભ લેખે અને સાથે એક ચિત્ર પણ અહીં મુકી આખો ફકરો ફરી અહીં દર્શાવ્યો છે. જોઈ જશો. જો કે એમાં વ્યાકરણ અને શબ્દોની ભુલ ઘણી છે એટલે હજુ સુધારવું જરૂરી છે. આશા છે આપ તેમાં સહકાર કરશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૦, ૧૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
આભાર અશોક્ભાઇ સહયોગ બદલ.મારો સહકાર હમેંશા રહેશે.-અનિલ કંટારિયાચર્ચા/યોગદાન ૦૨:૧૫, ૨૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
નામ
[ફેરફાર કરો]@Aniket, @Dsvyas, આ લેખનું નામ બાબાસાહેબ આંબેડકર કરવા વિનંતી છે. હાલમાં આ નામનું દિશાનિર્દેશન છે, એટલે મારાથી તે શક્ય નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૩, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
'. કામ થઈ ગયું. --A. Bhatt (ચર્ચા) ૦૮:૧૮, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
કાર્તિક મિસ્ત્રી શું સમસ્યા છે સારો લેખ કેમ હટાવો છો?
[ફેરફાર કરો]તમને વિનંતી છે કે મેં જે લેખ લખ્યો છે તે બાબાસાહેબ ના સમ્માનમાં છે બદલશો નહીં જો બદલવો હોય તો બીજો કોઈ તમારી રીતે સાચો અને સારી માહિતી આપતો લેખ લખો. જૂના લેખ માં અધૂરી અને ઉલટ સુલટ માહિતી છે.
- તમે જે ફેરફારો કરો છો, તે ભાંગફોડમાં ગણાય છે. વિકિપીડિયામાં સંદર્ભ રહિત કોઇપણ માહિતી મૂકી શકાતી નથી. આ બાબતે તમારા ચર્ચા પાનાં પર સંદેશો મૂક્યો છે. --કાર્તિક ચર્ચા ૧૧:૪૯, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- તેમાં શું ખોટું છે? તેમાં ક્યાં સંદર્ભની જરૂર છે અને જરૂર હોય તો શાનો સંદર્ભ જોઈએ છે બોલો?
- આ વિકિપીડિયા છે અને જો તમને વિકિપીડિયા શું છે અને કેવી રીતે તેમાં માહિતી ઉમેરાય છે તેનો ખ્યાલ ના હોય તો અહીં કોઇ ફેરફાર ના કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૨:૪૬, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- આ સંદર્ભ ચાલશે?
- તેમાં શું ખોટું છે? તેમાં ક્યાં સંદર્ભની જરૂર છે અને જરૂર હોય તો શાનો સંદર્ભ જોઈએ છે બોલો?
Dr. Bhimrao Ambedkar, His Life and Work published by NCERT https://ncsc.nic.in/files/review%20proforma/Life%20and%20works.pdf uploaded on National Commission for Scheduled Castes website.
Bharat Ratna Dr. Babasaheb Ambedkar, An Intellectual Colossus, Great National Leader and Universal Champion of Human Rights published by Municipal Corporation of Greater Mumbai, Maharashtra https://spentamultimedia.com/flipbooks/dr-ambedkar/english/files/assets/common/downloads/publication.pdf
- @RONAKKUMAR PARMAR: અહીં કોઈના સન્માનમાં કશું લખાતું નથી. તમે પહેલા વિકિપીડિયા શું છે તે જાણો, અહીં કેવી ભાષામાં અને શું લખાય છે તે શીખો અને પછી લખો. વળી તમારો લખેલો લેખ કોઈએ હટાવ્યો નથી, બાબાસાહેબ આંબેડકર નામનો લેખ તમારા આવ્યા પહેલાથી અહીં છે અને રહેવાનો જ છે. એ લેખમાં તમે અષ્ટંપષ્ટં ઉમેરે રાખો એ અમે રહેવા દઈએ એવો આગ્રહ તમે ન કરી શકો. જો તમે આવી ભાંગફોડ ચાલુ રાખશો તો મારે તમારા પર ફરી પ્રતિબંધ મૂકવો પડશે. મને એમ હતું કે તમારી પર મૂકેલા એક દિવસના પ્રતિબંધથી તમે કશુંક શીખશો અને એ ભૂલો કરતા અટકશો, પણ હવે એવું લાગતું નથી. કાયમી પ્રતિબંધ મૂકતા ખચકાઈશ નહીં.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૨, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- @Dsvyas @KartikMistry
- શું આ સંદર્ભ દ્વારા પણ ના બદલી શકાય?
- Dr. Bhimrao Ambedkar, His Life and Work published by NCERT (PDF) uploaded on National Commission for Scheduled Castes website. [1]
- Bharat Ratna Dr. Babasaheb Ambedkar, An Intellectual Colossus, Great National Leader and Universal Champion of Human Rights published by Municipal Corporation of Greater Mumbai, Maharashtra [2] RONAKKUMAR PARMAR (ચર્ચા) ૧૫:૪૩, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- શું બદલવું છે તમારે આ સંદર્ભનો ઉપયોગ કરી ને? બાબાસાહેબ આંબેડકરને તમે ડૉ. બાબાસાહેબ આંબેડકર ન લખી શકો, એના માટે કોઈ પણ સંદર્ભ કામ ન આવે. એ ફક્ત માનવાચક છે, જે વિકિમાં વપરાતાં નથી. ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૫, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- @Dsvyas @KartikMistry
- તે છોડી ને બીજું બધું લખવું હોય તો લખી શકાય? RONAKKUMAR PARMAR (ચર્ચા) ૧૭:૩૫, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- બીજું શું લખવું છે એના પર આધાર છે, દા.ત. તમે પહેલા જે એમના માટે મહાનાયક, મહામાનવ, સંઘર્ષવીર, ધર્મના વ્યાખ્યાકાર, વગેરે ઉમેર્યું હતું તે ન ઉમેરાય. કેમ કે એ બધી એમની પ્રશસ્તિ છે, તમે એમના ભક્ત તરીકે તમારા અંગત મંતવ્યોમાં એમને એ બધું ગણાવી શકો પણ અહીં વિકિપીડિયામાં ગાંધીજીને પણ મહામાનવ અને મહાનાયક નથી ગણાવાયા. અને આ સિવાય કોઈ ખાસ ફેરફાર તમે આ લેખમાં કર્યા નહોતા. એટલે ફરી એક વખત કહું છું, કે બાબાસાહેબની પ્રશસ્તિ સિવાયનું યોગ્ય લખાણ ઉમેરી શકાય જે અહીં ન હોય. ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૦, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- શું બદલવું છે તમારે આ સંદર્ભનો ઉપયોગ કરી ને? બાબાસાહેબ આંબેડકરને તમે ડૉ. બાબાસાહેબ આંબેડકર ન લખી શકો, એના માટે કોઈ પણ સંદર્ભ કામ ન આવે. એ ફક્ત માનવાચક છે, જે વિકિમાં વપરાતાં નથી. ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૫, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
Ok સારું કંઈ વાંધો નહીં સમજી ગયો . પણ પેહલા પેજની માહિતી મને થોડી ઓછી લાગે છે જો થોડી વધારે અને વ્યવસ્થિત લખવામાં આવે તો સારું લાગે કારણ કે લોકો બીજા બધા પેજ કરતા પેહલા પેજને ધ્યાનથી જોતાં હોય છે એટલે મેં લખેલો લેખ પાછો મોકલું છું તેમાંથી તમને જે યોગ્ય લાગે તે ઉમેરો. જો તમને યોગ્ય લાગે તો જ.
- ધન્યવાદ
- બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ - ભીમરાવ રામજી આંબેડકર; ૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬). તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી જાણીતા છે. તેઓ એક મહાનાયક, મહામાનવ, સંઘર્ષવીર, સમાજ સુધારક, તત્વચિંતક, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને ધર્મના વ્યાખ્યાકાર હતા, જેમણે દલિતો સામે થતા સામાજિક ભેદભાવની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું અને મજૂરો, ખેડૂતો તથા સ્ત્રીઓના અધિકારોનું પણ સમર્થન કર્યુ હતું પછી તેમણે જ ભારતની બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યુ અને સ્વતંત્રતા અને સમાનતા થી પરિપૂર્ણ ભારતનું બંધારણ બનાવ્યું. તેથી તેમને ભારતીય 'બંધારણના જનક' તથા 'બંધારણના ઘડવૈયા' તરીકે ઓળખવામાં આવે છે અને પછી તેઓ જ ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી બન્યા હતા. તેમણે ૧૯૫૬માં હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. તેઓ ભારત ગણરાજ્યના નિર્માતાઓમાંના એક હતા. તેમને મરણોપરાંત ૧૯૯૦માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' થી નવાજવામા આવ્યા હતા.
- સંદર્ભ :
- Dr. Bhimrao Ambedkar, His Life and Workpublished by NCERT (PDF) uploaded on National Commission for Scheduled Castes website [1]
- Bharat Ratna Dr. Babasaheb Ambedkar, An Intellectual Colossus, Great National Leader and Universal Champion of Human Rights published by Municipal Corporation of Greater Mumbai, Maharashtra [2]
- " RONAKKUMAR PARMAR (ચર્ચા) ૨૦:૩૧, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)
- ના, આ ન ચાલે. એ જ વાત મેં તમને મારા પાછલા સંદેશામાં સ્પષ્ટ ઉદાહરણ સાથે સમજાવી હતી. તમને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોય તેમ લાગતું નથી. મેં ઉપર ઘાટા અક્ષરોમાં જે શબ્દો લખ્યાં છે અને કહ્યું છે કે તે સ્વીકાર્ય નથી તે શબ્દો સિવાય બીજું કાંઈ ખાસ તમે અહિં ઉમેર્યું લાગતું નથી. એટલે ટૂંકો ને ટચ જવાબ, "ના, આ લખાણ ન ચાલે. હાલમાં જે લખાણા છે તે યોગ્ય જ છે, એમાં કોઈ સુધારો કરવાની જરુર નથી." આશા રાખું કે તમે તમારો દુરાગ્રહ છોડી ને કોઈ અન્ય કામે વળગશો. ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૦, ૨૮ માર્ચ ૨૦૨૫ (IST)