ચર્ચા:દ્વયાશ્રય
નવો વિષયદેખાવ
છેલ્લી ટીપ્પણી: ત્રાંસા અક્ષરો વિષય પર Dsvyas વડે ૮ મહિના પહેલાં
આ લેખ વિકિપીડિયા:વિકિપરિયોજના પ્રાચીન તથા મધ્યયુગીન સાહિત્યના ભાગ રૂપે બનાવાયો હતો.
ત્રાંસા અક્ષરો
[ફેરફાર કરો]દ્વયાશ્રય કે દ્વયાશ્રય એવો સવાલ ઉપજે ત્યારે એ વાત નોંધવી આવશ્યક છે કે, ગુજરાતી ભાષામાં લખતી વખતે ત્રાંસા અક્ષરોમાં નામો લખવાની કોઈ પ્રથા નથી. અંગ્રેજી ભાષામાં નિયમ છે કે મૂળ ભાષા સિવાયના એટલે કે અન્ય અજાણી ભાષાના શબ્દો (ખાસ કરી ને નામો) ત્રાંસા અક્ષરો (Italics)માં લખવા જેથી એ શબ્દ અંગ્રેજી ભાષાનો નથી એમ જણાઈ આવે. તમે અંગ્રેજીમાં કોઈ લેખનો અનુવાદ કરો ત્યારે ત્યાં આમ ગુજરાતી, હિંદી કે સંસ્કૃત શબ્દો ઇટાલિક્સમાં લખેલા હોય તો જરુરી નથી કે આપણે ગુજરાતીમાં પણ તેમ જ લખવા. ઘણા સંસ્કૃત અને હિંદી શબ્દો તો ગુજરાતી ભાષામાં તત્સમ કે તદ્ભવ તરીકે આપોઆપ જ ગ્રાહ્ય હોય છે, એટલે એમને તો કોઈ કારણે ત્રાંસા ન જ લખી શકીએ કેમકે એ શબ્દો આપણી જ ભાષાના ગણાતા અંગ્રેજીનો ઇટાલિક્સનો નિયમ પણ તેમને લાગુ પડે નહીં. ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૮ જુલાઇ ૨૦૨૫ (IST)