ચર્ચા:પુષ્યમિત્ર શૃંગ
નવો વિષયદેખાવ
છેલ્લી ટીપ્પણી: સંદર્ભો વિષય પર भाविक नकुम વડે ૬ મહિના પહેલાં
સંદર્ભો
[ફેરફાર કરો]@भाविक नकुम:, આપ આ સુંદર લેખ બનાવી રહ્યા છો તે માટે સરાહના. એક વાત તરફ ધ્યાન દોરવાનું કે અહીં સંદર્ભો ચોક્કસ પ્રકરણ, પૃષ્ઠ, વગેરેના ઉમેરવા. આપે હાલમાં પતંજલિ કૃત મહાભાષ્ય, વિષ્ણુધર્મોત્તર પુરાણ , પ્રાચીન બૌદ્ધ ગ્રંથ દિવ્યાવદાન, વગેરે રુપે સંદર્ભ ઉમેર્યા છે, જે ખરેખર કોઈ ખાસ કામમાં આવે એવા નથી. દા.ત. પતંજલિ કૃત મહાભાષ્ય અને વિષ્ણુધર્મોત્તર પુરાણ બે અલગ અલગ ગ્રંથો છે. આ બન્ને ગ્રંથો બે સંદર્ભ તરીકે વપરાય અને અહીં એ પણ સ્પષ્ટ થતું નથી કે જે દાવા માટે આ સંદર્ભ આપ્યો છે તે આ ગ્રંથોમાં ક્યાં વર્ણવવામાં આવ્યા છે. આશા રાખું છું કે આપ આ સંદર્ભોનો યોગ્ય વિસ્તાર કરશો. ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૧, ૨૬ જૂન ૨૦૨૫ (IST)
- આપની પ્રતિક્રિયા અને કિંમતી સૂચન આપવા માટે આપનો આભાર ! આનાથી મને વધુ ગુણવત્તાયુક્ત લેખો તૈયાર કરવામાં ઘણી મદદ મળશે.
- હાલ તો મેં આ પૃષ્ઠમાં પતંજલિના ગ્રંથોના શ્લોકો, સર્ગ સહિતના સંદર્ભો, પ્રો રોમિલા થાપરના પુસ્તકોના પૃષ્ઠ સહિત સંદર્ભો સિવાય પણ બીજા કેટલા સંદર્ભો ઉમેરવાનો પ્રયાસ કર્યો છે. જરુરી લાગશે તો હજુ કેટલાક ઉમેરીશ !
- આશા છે કે આ વાચકો માટે ઉપયોગી નીવડશે...
- ધન્યવાદ ! भाविक नकुम (ચર્ચા) ૨૦:૩૪, ૨૬ જૂન ૨૦૨૫ (IST)