ચૌમુખી વાવ, ચોબારી
દેખાવ
ચૌમુખી વાવ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામમાં આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-203) છે.[૧]
બાંધકામ
[ફેરફાર કરો]ચૌમુખી વાવનું બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ જોતાં અગત્યનું છે. સામાન્ય વત્તાકાર સ્વરૂપે આ વાવનો ગ્રાઉન્ડ પ્લાન બનેલો છે અને નામ અનુસાર તેમાં પ્રવેશ માટે ચાર મુખ આવેલા છે.[૧] આ પ્રકારનું વાવનું બાંધકામ વિજયા પ્રકારનું ગણવામાં આવે છે.[૧] કૂવો બાંધકામની એકદમ મધ્યમાં છે અને તેની ચાર તરફ પ્રવેશથી લઈને કૂવા સુધી પહોંચવા માટે પગથિયાવાળી પરસાળ આવેલી છે. દક્ષિણ દિશામાં મંડપ હજુ પણ બચી રહ્યો છે. આ વાવની દિવાલોમાં સપ્તમાતૃકા, શેષશાયી વિષ્ણુ, મહિષાસુર મર્દિની તથા શિવનાં શિલ્પો આવેલાં છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ખેરાળી વાવ, વઢવાણ તાલુકામાં આવેલી વાવ
- માત્રી વાવ, ધ્રાંગધ્રા તાલુકામાં આવેલી વાવ
- ગુજરાતમાં વાવનો ઇતિહાસ