લખાણ પર જાઓ

ચૌમુખી વાવ, ચોબારી

વિકિપીડિયામાંથી

ચૌમુખી વાવ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામમાં આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-203) છે.[]

બાંધકામ

[ફેરફાર કરો]

ચૌમુખી વાવનું બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ જોતાં અગત્યનું છે. સામાન્ય વત્તાકાર સ્વરૂપે આ વાવનો ગ્રાઉન્ડ પ્લાન બનેલો છે અને નામ અનુસાર તેમાં પ્રવેશ માટે ચાર મુખ આવેલા છે.[] આ પ્રકારનું વાવનું બાંધકામ વિજયા પ્રકારનું ગણવામાં આવે છે.[] કૂવો બાંધકામની એકદમ મધ્યમાં છે અને તેની ચાર તરફ પ્રવેશથી લઈને કૂવા સુધી પહોંચવા માટે પગથિયાવાળી પરસાળ આવેલી છે. દક્ષિણ દિશામાં મંડપ હજુ પણ બચી રહ્યો છે. આ વાવની દિવાલોમાં સપ્તમાતૃકા, શેષશાયી વિષ્ણુ, મહિષાસુર મર્દિની તથા શિવનાં શિલ્પો આવેલાં છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૬૮. ISBN 978-0-391-02284-3.