જટાયુ (કવિતા સંગ્રહ)

વિકિપીડિયામાંથી
જટાયુ
લેખકસિતાંશુ યશશ્ચન્દ્ર
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકાશકઆર. આર. શેઠની કંપની, મુંબઈ
પ્રકાશન તારીખ
૧૯૮૬
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં૧૩૦ (૧લી આવૃત્તિ)
પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૭)
ISBN978-93-80051-19-2 (૪થી આવૃત્તિ)
OCLC20357562
દશાંશ વર્ગીકરણ
891.471
LC વર્ગMLCMA 2009/00327 (P) PK1859.S5638

જટાયુ એ ૧૯૮૬ માં પ્રકાશિત સિતાંશુ યશશ્ચન્દ્રનો ગુજરાતી કાવ્યસંગ્રહ છે. ભારતીય પુરાણકથા, રંગદર્શી, આધુનિક ચેતના અને પ્રકૃતિ પર આધારિત કવિતાઓનો આ પુસ્તકમાં સંગ્રહ છે. આ પુસ્તકને ૧૯૮૭ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

સમાવિષ્ટ કૃતિઓ[ફેરફાર કરો]

જટાયુ ૩૪ કવિતાઓનો સમાવેશ કરે છે જે પરસ્પર જોડાયેલા આઠ ભાગોમાં વહેંચાયેલી છે. દરેક વિભાગમાં આવેલી કવિતાની કોઇ એક કડી પરથી તે કવિતાનું શિર્ષક આપેલું છે. વિવેચક ધીરુભાઈ ઠાકરે આ કવિતાઓને પાંચ વિભાગોમાં વર્ગીકૃત કરી છે; અતિવાસ્તવવાદી કવિતાઓ, ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત કવિતાઓ, રંગદર્શી પ્રકારની કવિતાઓ, પ્રકૃતિ કાવ્યો અને આધુનિક ચેતનાને પ્રતિબિંબિત કરતી કવિતાઓ.[૧]

છ અતિવાસ્તવવાદી કવિતાઓમાંથી, "પ્રલય" (પૂર) અને "મોહેં-જો-ડરો: એક અતિવાસ્તવ અકસ્માત" ઘણા વિવેચકો દ્વારા શ્રેષ્ઠ માનવામાં આવી છે. "પ્રલય" મૃત્યુ અથવા વિનાશની ભાવના રજૂ કરે છે, જેમાં નિવેદનની ઘણી રીતોમાં વર્ણવેલ પરિસ્થિતિઓની સહાયથી કવિએ મૃત્યુ અથવા વિનાશની ભાવનાને જાગૃત કરવા માટે કોબ્રા, ચંદ્ર, ડાઘુઓ, કીટકો, સગર્ભા સ્ત્રી, પૂર, દુકાળ, આગ, સ્ત્રી જેવી છબીઓનો ઉપયોગ કર્યો છે.[૧] મહાકાવ્ય રામાયણમાં જટાયુના પાત્રથી પ્રેરિત, મધ્યયુગીન ગુજરાતી સાહિત્યનું એક કાવ્યાત્મક રૂપ એવું એક કાવ્ય આ પુસ્તકમાં છે જેનું શીર્ષક "જટાયુ" છે. તે આધુનિક માણસની ત્રાસદાયક સ્થિતિની લાગણી રજૂ કરે છે.[૨]

પ્રતિભાવ[ફેરફાર કરો]

વાચકો અને વિવેચકો દ્વારા જટાયુની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુભાઇ ઠાકરે કવિની કવિતાઓને શબ્દો, પ્રતીકો અને અતિવાસ્તવની કલ્પના કરવાની તેમની આવડત માટે વખાણ્યા. તેમણે વધુમાં ઉમેર્યું કે "હા" અને "ઘેરો" જેવી કેટલીક કવિતાઓ સાહિત્યની સુંદર કૃતિઓ છે, પરંતુ લાંબી અને અસ્પષ્ટ અભિવ્યક્તિઓને કારણે તે તેની સચોટ અસર ગુમાવે છે.[૧]

આ પુસ્તકની પસંદગી ૧૯૮૭ માં સાહિત્ય અકાદમી એવોર્ડ માટે કરવામાં આવી હતી.[૩] ૧૯૮૬ માં તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ, ત્યાર બાદ ૧૯૯૧ માં બીજી, ૨૦૦૦ માં ત્રીજી, અને ૨૦૦૯ માં ચોથી આવૃતિ પ્રગટ થઇ હતી. ચોથી આવૃત્તિમાં કવિ દ્વારા જાતે પઠિત કવિતાઓની ઓડિઓ સીડી શામેલ કરવામાં આવી છે.

અનુવાદ[ફેરફાર કરો]

૧૯૯૬ માં ચંદ્ર પ્રકાશ દેવલ દ્વારા આ પુસ્તકનો અનુવાદ રાજસ્થાનીમાં કરવામાં આવ્યો હતો.[૪] શીર્ષક કવિતા, જટાયુ, રશેલ ડવાયરે અંગ્રેજીમાં અનુવાદિત કરી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Thaker, Dhirubhai P. (1999). Glimpses of Gujarati literature. Gandhinagar: Gujarat Sahitya Akademy. પૃષ્ઠ 122–177. ISBN 81-7227-061-5.
  2. Chandrakant, Topiwala (2001). "Chapter 7: The Legacy of Modernism in Gujarati". માં K. Satchidanandan (સંપાદક). Indian Poetry: Modernism and After : a Seminar. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 93. ISBN 978-81-260-1092-9.
  3. K. M. George (1992). Modern Indian Literature, an Anthology: Surveys and poems. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 579. ISBN 978-81-7201-324-0.
  4. D. S. Rao (2004). Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 135. ISBN 978-81-260-2060-7.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]