જયગઢ કિલ્લો
| જયગઢ કિલ્લો | |
|---|---|
जयगड किल्ला | |
| મરાઠા સામ્રાજ્યનો ભાગ | |
| જયગઢ, રત્નાગિરી જિલ્લો, મહારાષ્ટ્ર | |
જયગઢ કિલ્લાની પશ્ચિમ દિશાની દિવાલ | |
| અક્ષાંશ-રેખાંશ | 17°18′03″N 73°13′17″E / 17.3007°N 73.2215°E |
| પ્રકાર | દરિયાકાંઠાનો કિલ્લો |
| સ્થળની માહિતી | |
| નિયંત્રણ | બીજાપુર કોંકણના ચાંચિયાઓ સંગમેશ્વર બ્રિટિશરો |
| જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
| સ્થિતિ | સંરક્ષિત ઈમારત |
| સ્થળ ઈતિહાસ | |
| બાંધકામ કરનાર | બીજાપુરના સુલતાન, મજબૂત નિર્માણ: કાન્હોજી આંગ્રે |
જયગઢ કિલ્લો (મરાઠી:जयगड किल्ला; અંગ્રેજી:Jayagaḍa killā) (જૂના બ્રિટીશ રેકોર્ડમાં Zyghur તરીકે પણ લિપ્યાંતરિત છે.[૧]) દરિયાકિનારા પર સ્થિત એક કિલ્લો છે કે જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના મંદિરના નગર એવા ગણપતિપુલે ખાતેથી ૧૪ કિલોમીટરના અંતરે એક ભેખડ પર આવેલ છે, જ્યાં શાસ્ત્રી નદી અરબી સમુદ્રમાં પ્રવેશે છે.[૨]
આ એક વ્યુહાત્મક સ્થળ છે, જ્યાંથી ખાડી તેમ જ નજીકના પાવર પ્લાન્ટ અને ખુલ્લા સમુદ્રનાં દૃશ્યો જોઈ શકાય છે. જેટી પોર્ટ આંગ્રે અને એક દીવાદાંડી આ કિલ્લા નજીકના આવેલ છે. ખંડેર હાલતમાં હોવા છતાં કિલ્લાના મોટા ભાગની બાહ્ય દિવાલો અને સંરક્ષણ દિવાલો હજુ પણ અડીખમ ઊભા છે. કિલ્લાની આસપાસ એક ઊંડી ખાઈ છે, જે દરિયા તરફની ભેખડવાળી ધાર તરફ નથી. મધ્યમાં ૧૩ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ આ કિલ્લા ખાતે કાન્હોજી આંગ્રેનો મહેલ, ગણપતિ મંદિર અને પાણીના સંગ્રહ માટે કુવા છે. આ એક રક્ષિત સ્મારક છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Naravane, M. S. (૧૯૯૮). The Maritime and Coastal Forts of India. Pg. 70: APH Publishing. pp. ૧૯૬. ISBN 8170249104.
{{cite book}}: CS1 maint: location (link) - ↑ "India travelogue entry about Ganepatipule and Jaigad Fort". મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૦૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "List of the protected monuments of Mumbai Circle district-wise" (PDF). મૂળ (PDF) માંથી 2016-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-12.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) સંગ્રહિત ૨૦૧૬-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન