જીતગઢ (તા.નાંદોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટીમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા નાંદોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. જીતગઢ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
જીતગઢ પાસે કરજણ નદી પર કરજણ બંધ આવેલો છે, જેના જળાશયને કિનારે વિસલખાડી અને જૂના રાજ ખાતે વન વિભાગ દ્વારા પ્રવાસન કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે.