જોરડીયાળી (તા. ધરણીધર)
| જોરડીયાળી | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | વાવ-થરાદ |
| તાલુકો | ધરણીધર તાલુકો |
| વસ્તી | ૧,૬૯૮ (૨૦૧૧[૧]) |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
જોરડીયાળી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા વાવ-થરાદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ધરણીધર તાલુકામાં આવેલું એક ગામ છે. જોરડીયાળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભૂગોળ
[ફેરફાર કરો]જોરડીયાળી ગામ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. આ ગામ લુણી નદીના ડાબા કાંઠે આવેલું છે. ગામના દક્ષિણ ભાગમાં એક વિશાળ તળાવ આવેલું છે, જે પિપળીયા તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવની પાળ પર પર એક મોટુ પીપળાનુ વૃક્ષ આવેલુ હોવાથી આ તળાવનુ નામ પીપળીયા તળાવ પડ્યું છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]પિપળીયા તળાવની પાળ ઉપર ચામુંડા માતાજીનું એક મોટું મંદિર આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |