તક્ષશિલા સંગ્રહાલય
ٹیکسلا عجائب گھر | |
તક્ષશિલા સંગ્રહાલયનું પ્રવેશદ્વાર | |
![]() | |
| સ્થાપના | 1918 |
|---|---|
| સ્થાન | Shahpur Rd, Bhir Mound City Walls, Taxila, Rawalpindi, Punjab |
| અક્ષાંશ-રેખાંશ | 33°44′45″N 72°49′07″E / 33.7459°N 72.8186°E |
| પ્રકાર | પુરાતત્વીય અને ઐતિહાસિક |
| વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
તક્ષશિલા સંગ્રહાલય એ પાકિસ્તાનના પંજાબના તક્ષશિલા ખાતે આવેલું છે. આ સંગ્રહાલય પહેલી સદીથી સાતમી સદી સુધીની ગાંધાર કલાનો નોંધપાત્ર અને વ્યાપક સંગ્રહ ધરાવે છે. સંગ્રહમાં મોટાભાગની વસ્તુઓ પ્રાચીન તક્ષશિલાના ખંડેરોમાંથી ખોદકામ કરીને મેળવવામાં આવી હતી.
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]
તક્ષશિલા સંગ્રહાલય રાવલપિંડી જિલ્લાના તક્ષશિલામાં આવેલું છે. આ એક સ્થળ સંગ્રહાલય છે અને તેનો સંગ્રહ મુખ્યત્વે ગાંધાર કલા પર કેન્દ્રિત છે. તક્ષશિલા ખાતેના આ સ્થળો ઇ.સ.પૂ. ૬૦૦ થી ઇ.સ.પૂ. ૭૦૦ ના સમયના છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]તક્ષશિલા સંગ્રહાલયનું બાંધકામ ૧૯૧૮માં શરૂ થયું હતું, તેનો શિલાન્યાસ ૧૯૧૮માં ભારતના વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. બાંધકામ ૧૯૨૮માં પૂર્ણ થયું હતું અને તે સમયના શિક્ષણ પ્રધાન સર મુહમ્મદ હબીબુલ્લાહ દ્વારા સંગ્રહાલય જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ૧૯૨૮માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડિરેક્ટર જનરલ પદ પરથી નિવૃત્ત થનાર સર જોન માર્શલ તેની મૂળ યોજના પૂર્ણ કરી શક્યા ન હતા. પાકિસ્તાન સરકારે ૧૯૯૮માં ઉત્તરીય ગેલેરીનું નિર્માણ કર્યું હતું.
સંગ્રહ અને પ્રદર્શન
[ફેરફાર કરો]અહીં લગભગ ૪૦૦૦ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં પથ્થર, સ્ટુકો, ટેરાકોટા, ચાંદી, સોનું, લોખંડ અને અર્ધ કિંમતી પથ્થરોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે પ્રદર્શનમાં ઇ.સ.પૂ. ૬૦૦ થી ઇ.સ. ૫૦૦ના સમયગાળાની વસ્તુઓનો સમાવેશ થાય છે. ત્રણ પ્રાચીન શહેરો અને પ્રદેશના બે ડઝનથી વધુ બૌદ્ધ સ્તૂપ અને મઠો અને ગ્રીક મંદિરોમાંથી મળી આવેલી આ વસ્તુઓ દ્વારા બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું સારી રીતે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે.
ગાંધાર કલા
[ફેરફાર કરો]તક્ષશિલા સંગ્રહાલયમાં પાકિસ્તાનમાં પહેલી થી સાતમી સદી સુધીના પથ્થરના બૌદ્ધ શિલ્પના સૌથી મહત્વપૂર્ણ અને વ્યાપક સંગ્રહોમાંથી એક છે (જેને ગંધાર કલા તરીકે ઓળખવામાં આવે છે. આ સંગ્રહનો મુખ્ય ભાગ તક્ષશિલા ખીણમાં ખોદકામ કરાયેલા સ્થળો, ખાસ કરીને સર જોન માર્શલના ખોદકામમાંથી આવે છે. અન્ય વસ્તુઓ ગંધારામાં અન્યત્ર ખોદકામ કરાયેલા સ્થળો, રામ દાસ સંગ્રહ જેવા દાનમાંથી અથવા પોલીસ અને કસ્ટમ અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલી સામગ્રીમાંથી આવે છે. આખા સંગ્રહમાં ૧૪૦૦થી વધુ વસ્તુઓ છે.[૧]
સિક્કાઓનો સંગ્રહ
[ફેરફાર કરો]તક્ષશિલા મ્યુઝિયમ એક સ્થળ સંગ્રહાલય છે અને તે તક્ષશિલામાં પુરાતત્વીય કાર્ય દરમિયાન મળેલી મોટાભાગના સિક્કાઓનો સંગ્રહ ધરાવે છે. ખોદકામ ૧૯૧૭માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડિરેક્ટર જોન માર્શલના નેતૃત્વ હેઠળ શરૂ થયું હતું અને ૧૯૩૪ સુધી ચાલુ રહ્યું. તે ખોદકામ કાર્ય આજ સુધી ચાલુ છે. સંગ્રહાલયમાં ઇન્ડો-ગ્રીકના સમયગાળાથી લઈને કુશાન વંશના અંત સુધીના સિક્કાઓનો મોટો સંગ્રહ છે. આમાંથી કેટલાક માર્શલના મૂળ ખોદકામ અહેવાલોમાં પ્રકાશિત થયા છે,[૨] અને સંપૂર્ણ સંગ્રહ પ્રકાશિત કરવા માટે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.[૩]
