લખાણ પર જાઓ

તનુબાઈ બિર્જે

વિકિપીડિયામાંથી

તનુબાઈ બિર્જે (૧૮૭૬-૧૯૧૩) એક સામાજિક કાર્યકર અને જ્યોતિરાવ ફુલે દ્વારા સ્થાપિત સત્યશોધક સમાજના સભ્ય હતા.[] તેમણે ૧૯૦૮ થી ૧૯૧૨ સુધી દીનબંધુ સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું. તેઓ અખબારનું સંપાદન કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા.[સંદર્ભ આપો]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તનુબાઈનો જન્મ ૧૮૭૬માં થયો હતો. તેમના પિતા દેવરાવ કૃષ્ણરાવ થોસર સરકારી કર્મચારી હતા અને મહાત્મા જોતિરાવ ફુલેના સાથી હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ સાવિત્રીબાઈ ફુલે દ્વારા સ્થાપિત શાળામાં થયું હતું.[] તેમના લગ્ન ૨૬ જાન્યુઆરી ૧૮૯૩ના રોજ વાસુદેવરાવ લિંગોજી બિરજે સાથે થયા હતા. આ લગ્ન સત્યશોધક પદ્ધતિથી, એટલે કે બ્રાહ્મણ પૂજારી વિના સંપન્ન થયા હતા.[]

દીનબંધુ એ ૧૮૭૭માં કૃષ્ણરાવ ભાલેકર દ્વારા સત્યશોધક સમાજની વિચારધારાને લોકપ્રિય બનાવવા માટે સ્થાપિત એક સમાચાર સામયિક હતું. તનુબાઈના પતિ વાસુદેવરાવે ૧૯૦૩ થી ૧૯૦૮માં તેમના મૃત્યુ સુધી આ સામયિકનું સંપાદન કર્યું હતું. તેમના મૃત્યુ પછી, તનુબાઈએ પોતે સંપાદકીય જવાબદારીઓ સંભાળી હતી.

૧૯૧૩માં તેણીનું અવસાન થયું હતું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Savitribai: The woman who started girls' school". Deccan Herald (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-23. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. "Savitribai: The woman who started girls' school 171 years ago". Economic Times. Pune. PTI. 2020-01-03. મૂળ માંથી 2021-07-01 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2021. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  3. "Tanubai Birje: Marathis woman editor of a century ago". Loksatta (મરાઠીમાં). 2016-03-06. મેળવેલ 2025-05-23. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)

પૂરક વાંચન

[ફેરફાર કરો]