તનુબાઈ બિર્જે
તનુબાઈ બિર્જે (૧૮૭૬-૧૯૧૩) એક સામાજિક કાર્યકર અને જ્યોતિરાવ ફુલે દ્વારા સ્થાપિત સત્યશોધક સમાજના સભ્ય હતા.[૧] તેમણે ૧૯૦૮ થી ૧૯૧૨ સુધી દીનબંધુ સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું. તેઓ અખબારનું સંપાદન કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા.[સંદર્ભ આપો]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તનુબાઈનો જન્મ ૧૮૭૬માં થયો હતો. તેમના પિતા દેવરાવ કૃષ્ણરાવ થોસર સરકારી કર્મચારી હતા અને મહાત્મા જોતિરાવ ફુલેના સાથી હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ સાવિત્રીબાઈ ફુલે દ્વારા સ્થાપિત શાળામાં થયું હતું.[૨] તેમના લગ્ન ૨૬ જાન્યુઆરી ૧૮૯૩ના રોજ વાસુદેવરાવ લિંગોજી બિરજે સાથે થયા હતા. આ લગ્ન સત્યશોધક પદ્ધતિથી, એટલે કે બ્રાહ્મણ પૂજારી વિના સંપન્ન થયા હતા.[૩]
દીનબંધુ એ ૧૮૭૭માં કૃષ્ણરાવ ભાલેકર દ્વારા સત્યશોધક સમાજની વિચારધારાને લોકપ્રિય બનાવવા માટે સ્થાપિત એક સમાચાર સામયિક હતું. તનુબાઈના પતિ વાસુદેવરાવે ૧૯૦૩ થી ૧૯૦૮માં તેમના મૃત્યુ સુધી આ સામયિકનું સંપાદન કર્યું હતું. તેમના મૃત્યુ પછી, તનુબાઈએ પોતે સંપાદકીય જવાબદારીઓ સંભાળી હતી.
૧૯૧૩માં તેણીનું અવસાન થયું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Savitribai: The woman who started girls' school". Deccan Herald (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-23.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Savitribai: The woman who started girls' school 171 years ago". Economic Times. Pune. PTI. 2020-01-03. મૂળ માંથી 2021-07-01 પર સંગ્રહિત. મેળવેલ 12 November 2021.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Tanubai Birje: Marathis woman editor of a century ago". Loksatta (મરાઠીમાં). 2016-03-06. મેળવેલ 2025-05-23.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)
પૂરક વાંચન
[ફેરફાર કરો]- Ugale, G. A. दीनबंधु आणि तानुबाई बिर्जे (Marathiમાં). Swaroop Prakashan.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - "तानुबाई बिर्जे : शतकापूर्वीची मराठी स्त्री-संपादक" (Marathiમાં). Loksatta. 2016-03-06. મૂળ માંથી 2021-10-17 પર સંગ્રહિત. મેળવેલ 17 October 2021.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)CS1 maint: unrecognized language (link)