તુલસી ગૌડા
તુલસી ગૌડા | |
|---|---|
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી મેળવી રહેલા ભારતીય પર્યાવરણશાસ્ત્રી તુલસી ગૌડા | |
| જન્મની વિગત | ૧૯૩૭ અથવા ૧૯૩૮ હોન્નાલી, મૈસૂસ સ્ટેટ, બ્રિટિશ કાલીન ભારત. |
| મૃત્યુ | ૧૬-૧૨-૧૦૨૪ (૮૬ વર્ષ) હોન્નાલી, ઉત્તર કન્નડા જિલ્લો, કર્ણાટક, ભારત |
| અન્ય નામો | જંગલનો વિશ્વકોષ |
| વ્યવસાય | પર્યાવરણશાસ્ત્રી |
| સન્માનો |
|
તુલસી ગૌડા (૧૯૩૭ અથવા ૧૯૩૮-૧૬ ડિસેમ્બર ૨૦૨૪) હોન્નાલી ગામના ભારતીય પર્યાવરણવાદી હતા. તેમણે ૩૦,૦૦૦ થી વધુ રોપાઓ રોપ્યા અને વન વિભાગની નર્સરીઓની સંભાળ રાખી હતી. તેમના કાર્યને ભારત સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. ૨૦૨૧માં, ભારત સરકારે તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. વૃક્ષની કોઈપણ પ્રજાતિના મૂળ વૃક્ષ કે માતૃવૃક્ષને ઓળખવાની તેમની ક્ષમતા માટે તેમને "જંગલના જ્ઞાનકોશ" તરીકે ઓળખવામાં આવે છે.[૧]
પ્રારંભિક જીવન અને કારકિર્દી
[ફેરફાર કરો]તુલસી ગૌડાનો જન્મ ભારતના કર્ણાટક રાજ્યના ઉત્તર કન્નડા જિલ્લામાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર વચ્ચે આવેલા હોન્નાલ્લી ગામમાં હલક્કી આદિવાસી પરિવારમાં થયો હતો. કર્ણાટક દક્ષિણ ભારતનું એક રાજ્ય છે જે પર્યાવરણ-પ્રવાસન માટે જાણીતું છે, તેમાં ૨૫થી વધુ વન્યજીવ અભયારણ્યો અને પાંચ રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
તુલસી ગૌડાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, અને જ્યારે તેઓ ૨ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આર્થિક સંકડામણને કારણે જ્યારે તેઓ મોટા થયાં ત્યારે સ્થાનિક નર્સરીમાં તેઓ તેમની માતા સાથે દિવસે મજૂર તરીકે કામ કરતાં. તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું કે વાંચવાનું શીખ્યા ન હતા.[૨]
નર્સરીમાં, ગૌડા કર્ણાટક વન વિભાગમાં ઉગાડવામાં અને લણણી કરવા માટેના બીજની સંભાળ રાખવાના કાર્ય માટે જવાબદાર હતા. ખાસ કરીને અગાસુરના બીજદાનના ભાગ રૂપે બનાવાયેલા બીજની જાળવણી માટે. ગૌડાએ તેમની માતા સાથે ૩૫ વર્ષ સુધી દૈનિક વેતન કામદાર તરીકે કામ કર્યું. ત્યાર બાદ તેમને તેમના કાર્ય અને વનસ્પતિશાસ્ત્રના તેમના જ્ઞાનને અનુલક્ષીને કાયમી હોદ્દાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. તેમણે સિત્તેર વર્ષની ઉંમરે નિવૃત્ત થતાં પહેલાં ૧૫ વર્ષ સુધી આ હોદ્દા પર નર્સરીમાં કામ કર્યું હતું. નર્સરીમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જમીન વિષેના તેમના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને વન વિભાગના વનીકરણ પ્રયત્નોમાં યોગદાન આપ્યું. રોપાઓ રોપવાની સાથે સાથે તેમણે શિકારીઓ અને જંગલની આગને વન્યજીવનનો નાશ કરતા અટકાવવા માટે કામ કર્યું હતું.
ગૌડાએ કર્ણાટક વન વિભાગમાં ૬૦ વર્ષથી વધુ સમય કામ કર્યું હતું. તેમાં એક સામુદાયિક અભયારણ્ય, પાંચ વાઘ અભયારણ્ય, પંદર સંરક્ષણ અભયારણ્ય અને ત્રીસ વન્યજીવ અભયારણ્યનો સમાવેશ થાય છે. તેઓ તેમના ઉદ્દેશને સમુદાયો અને ગામડાઓને પ્રકૃતિ સાથે ફરીથી જોડવાના પ્રયત્ન તરીકે વર્ણવે છે. તેઓ એવા ભવિષ્ય તરફ કામ કરતા હતાં જેનું લક્ષ્ય રાજ્યના એક તૃતીયાંશ વિસ્તારમાં જંગલ અથવા વૃક્ષ આચ્છાદન કરવાનું હતું.[૩]
જ્ઞાન
[ફેરફાર કરો]તુલસી ગૌડા, જંગલ અને છોડવા વિષેના તેમના જ્ઞાનને કારણે પર્યાવરણવાદીઓ દ્વારા "જંગલના જ્ઞાનકોશ" તરીકે અને તેમની જનજાતિમાં "વૃક્ષ દેવી" તરીકે ઓળખાતા હતા. તેઓ જંગલમાં વૃક્ષની દરેક પ્રજાતિના માતૃવૃક્ષને ઓળખવાની તેમની ક્ષમતા માટે જાણીતા હતા, પછી ભલે તે ગમે ત્યાં હોય. તેમની ઉંમર અને કદને કારણે માતૃવૃક્ષો મહત્વપૂર્ણ હોય છે, જે તેમને જંગલમાં સૌથી વધુ જોડાણ ગાંઠો ધરાવતા બિંદુઓ બનાવે છે. આ ભૂગર્ભ ગાંઠો માતૃવૃક્ષોને રોપાઓ અને રોપાઓ સાથે જોડવા માટે વપરાય છે કારણ કે માતૃવૃક્ષ નાઇટ્રોજન અને પોષક તત્ત્વોનું વિનિમય કરે છે. સમગ્ર છોડની પ્રજાતિઓનું પુનર્જીવન અને પુનઃઉત્પાદન કરવા માટે માતૃવૃક્ષોમાંથી બીજ કાઢવામાં અને બીજ સંગ્રહમાં પણ તેઓ નિષ્ણાત હતા. આ એક મુશ્કેલ પ્રક્રિયા છે કારણ કે રોપાઓના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે માતૃવૃક્ષમાંથી અંકુરણના ટોચના સમય પર બીજ એકત્રિત કરવા આવશ્યક છે અને ગૌડા આ ચોક્કસ સમય નક્કી કરવામાં સક્ષમ હતા. [સંદર્ભ આપો][citation needed]
તેમણે જંગલ વિશેનું જ્ઞાન કેવી રીતે મેળવ્યું તે તેઓ સમજાવી શક્યા નહીં પરંતુ તેમણે કહ્યું કે એવું લાગે છે કે તેઓ "જંગલની ભાષા બોલી શકે છે". તેમની આદિજાતિ, હલક્કી વોક્કાલિગાની પરંપરાઓમાં પ્રકૃતિ સાથે જોડાયેલી છે અને જમીનની સંભાળ રાખે છે.[૪]
વારસો
[ફેરફાર કરો]ગૌડાએ કર્ણાટકમાં પોતાની જાતે એક લાખ (૧,૦૦,૦૦૦) વૃક્ષો રોપ્યા હોવાનો અંદાજ છે. આ યોગદાનની તેમના સમુદાયના સભ્યો પર પણ કાયમી અસર પડી છે. હલાક્કી જનજાતિના કલ્યાણ માટે કામ કરતા ઉત્તર કન્નડ જિલ્લાના નાગરાજા ગૌડા કહે છે કે તુલસી ગૌડા તેમના સમુદાયનું ગૌરવ છે. "તેમને જંગલ અને ઔષધીય વનસ્પતિઓનું અમૂલ્ય જ્ઞાન હતું. કોઈએ તેનું દસ્તાવેજીકરણ કર્યું નથી અને તે સારી વાતચીત કરી શકતા નથી, તેથી જ્યાં સુધી તમે તેમનું કાર્ય ન જોયું હોય ત્યાં સુધી તેમના યોગદાનને સમજવું મુશ્કેલ છે".[૫]
યેલપ્પા રેડ્ડી, એક નિવૃત્ત અધિકારી, પણ ગૌડા દ્વારા તેમના સમુદાય પ્રત્યેની તેમની અવિરત ચાલેલી પ્રતિબદ્ધતાની પ્રશંસા કરે છે અને એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે ગૌડાએ ૩૦૦ થી વધુ ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કર્યું હતું અને તેમની ઓળખ કરી હતી, જેનો ઉપયોગ તેમના ગામમાં બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે.[૫]
ગૌડા કર્ણાટક વન વિભાગમાંથી નિવૃત્ત થયા હોવા છતાં, તેમણે તેમના ગામના બાળકોને જંગલના મહત્વ તેમજ બીજ કેવી રીતે શોધવું અને તેની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે શીખવવાનું ચાલુ રાખ્યું.[૪]
ગૌડા તેમના ગામમાં મહિલાઓના અધિકારો માટે પણ કાર્ય કરતા હતા. જ્યારે તેમના ગામની એક હલ્લાકી મહિલાને બંદૂક દેખાડી ધમકાવવામાં આવી ત્યારે તેઓ આગળ આવ્યા અને કહ્યું કે જો ગુનેગારો ને સજા નહિ મળે તો તેઓ આક્રમક પ્રદર્શન કરશે.
મૃત્યુ
[ફેરફાર કરો]ગૌડાનું ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું.
પુરસ્કારો અને માન્યતા
[ફેરફાર કરો]૧૯૮૬માં, ગૌડાને ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર પુરસ્કાર મળ્યો, જેને આઈ.પી.વી.એમ. પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈ.પી.વી.એમ. પુરસ્કાર વનીકરણ અને ઉજ્જડ જમીનના વિકાસ માટે વ્યક્તિઓ અથવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અગ્રણી યોગદાનને બિરદાવે છે.[૫]
૧૯૯૯માં, ગૌડાને કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર મળ્યો, આ પુરસ્કારને ક્યારેક કન્નડ રાજ્યોત્સવ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પુરસ્કાર ભારતના કર્ણાટક રાજ્યનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તે દર વર્ષે કર્ણાટક રાજ્યના ૬૦ વર્ષથી વધુ ઉંમરના પ્રતિષ્ઠિત નાગરિકોને આપવામાં આવે છે.[૬]
૮ નવેમ્બર ૨૦૨૦ના દિવસે, ભારત સરકારે ગૌડાને ભારતના નાગરિકોને આપવામાં આવતો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર - પદ્મશ્રી - એનાયત કર્યો હતો. પદ્મશ્રી, ભારત સરકાર દ્વારા દર વર્ષે ભારતના પ્રજાસત્તાક દિવસે આપવામાં આવતો પુરસ્કાર છે. ગૌડાએ કહ્યું કે, તેઓ પદ્મશ્રી પ્રાપ્ત કરીને ખુશ હતા, અને તેઓ જંગલો અને વૃક્ષોને વધુ મહત્વ આપે છે.[૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Video | 'Encyclopedia Of Forest' Tulsi Gowda Receives Padma Shri Award, https://www.ndtv.com/video/news/news/padma-shri-award-encyclopedia-of-forest-tulsi-gowda-receives-padma-shri-award-608598, retrieved 15 November 2021
- ↑ Yasir, Sameer (2 September 2022). "'Magic in Her Hands.' The Woman Bringing India's Forests Back to Life". The New York Times (અમેરિકન અંગ્રેજીમાં). ISSN 0362-4331. મેળવેલ 4 September 2022.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Karnataka Forest Department - Home page". aranya.gov.in. મેળવેલ 19 October 2021.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 "Tree goddess Tulasi Gowda, the barefoot Indian activist protecting the forest". LifeGate (અમેરિકન અંગ્રેજીમાં). 1 September 2020. મેળવેલ 19 October 2021.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)"Tree goddess Tulasi Gowda, the barefoot Indian activist protecting the forest". LifeGate. 1 September 2020. Retrieved 19 October 2021. - 1 2 3 4 Menon, Arathi; Chinnappa, Abhishek N. (10 June 2021). "Tulsi Gowda: Barefoot Ecologist Brings Forests to Life". The Beacon Webzine (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ 19 October 2021.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Karnataka Government". www.karnataka.gov.in. મેળવેલ 19 October 2021.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)