થાણાપીપળી (તા. વંથલી)

વિકિપીડિયામાંથી
થાણાપીપળી (તા. વંથલી)
—  ગામ  —
થાણાપીપળી (તા. વંથલી)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°24′29″N 70°21′44″E / 21.408007°N 70.362225°E / 21.408007; 70.362225
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

થાણાપીપળી (તા. વંથલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વંથલી તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો, લસણ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં મગફળીમાંથી તેલ કાઢવા માટેના બે થી ત્રણ નાના ઘાણા પણ આવેલા છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અને તેની વસ્તી આશરે ૨૫૦૦ છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, થાણાપીપળી છે.

આવાગમન[ફેરફાર કરો]

આ ગામ જુનાગઢથી ૩૦ કિ.મી દુર છે. અહીં આવવા જવા માટે એસ.ટી. બસ તેમજ છક્ડો રીક્ષા નજીકના તાલુકા મથક વંથલી, કેશોદ અને જિલ્લા મથક જુનાગઢથી મળી રહે છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, વેરાવળ, ધોરાજી અને પોરબંદરથી લોકલ ટ્રેન પણ મળી રહે છે, જે નજીકના સ્ટેશન લુશાળા સુધી હોય છે.

ગામના મંદીરો[ફેરફાર કરો]

  1. રામજી મંદીર - ચોક વિસ્તાર
  2. હવેલી - હવેલી ગલ્લી
  3. હનુમાનજી મંદીર - પ્રાથમિક શાળા પાસે
  4. સ્વામી નારાયણ મંદીર-થાણાપીપળી, ગૌશાળા પાસે
  5. હનુમાનજી મંદીર - લુશાળા રોડ
  6. જુનુ સ્વામી નારાયણ મંદીર - મેઇન બજાર
  7. શિવ મંદીર - મેઇન બજાર
  8. શિવ મંદીર - ધ.કે. સમાજ પાસે
વંથલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "તા.પં.વંથલી, વેબસાઈટ". મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-09.