દલપત ચૌહાણ
દલપત ચૌહાણ | |
---|---|
જન્મ | ૧૦ એપ્રિલ ૧૯૪૦ મંડાલી, મહેસાણા જિલ્લો |
વ્યવસાય | કવિ,વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક |
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
લેખન પ્રકાર | દલિતસાહિત્ય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો | ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૦૨નો શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય) - (“ક્યાં છે સૂરજ' (કાવ્યસંગ્રહ) |
સંબંધીઓ | માતા: પિતા: |
દલપત ચૌહાણ (જન્મ: ૧૦ એપ્રિલ ૧૯૪૦) એક ગુજરાતી કવિ અને નાટકકાર છે. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના મંડાલી ગામે થયો હતો. પ્રવીણ ગઢવીએ દલપત ચૌહાણને ‘ગુજરાતી દલિત કવિતાના આદ્ય’ કહ્યા છે.[સંદર્ભ આપો] તેમણે કવિતા, નવલકથા, વાર્તા અને વિવેચન ક્ષેત્રમાં યોગદાન કર્યું છે. તેમણે પાંચ નવલકથા, સાઈઠેક વાર્તાઓ, નિબંધો, પ્રવાસ નિબંધો, નાટકો, કવિતાઓ, વગેરેની રચના કરેલ છે. ગામ મંડાલી ગાયકવાડીમાં ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કરી પરિવારને ગામ સાથે સંઘર્ષ થવાથી ૧૯૪૯થી અમદાવાદના રખિયાલ ખાતે સ્થાયી થયા જ્યાં ગુજરાતી શાળા નં. ૧માં ફરીથી ધોરણ ૧થી ૭નું ભણતર પૂરું કર્યું. ૧૯૬૪માં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની અદવી મેળવી. ત્યાર બાદ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)માં અને ૧૯૬૫માં કંડલા પોર્ટ ટ્રસ્ટમાં નોકરી કરી. ૧૯૬૬માં ગુજરાત સરકારમાં નોકરી લીધી અને એકાઉન્ટન્ટ તરીકે ૧૯૯૮માં નિવૃત્ત થયા.[૧][૨][૩]
સાહિત્યિક સર્જનો
[ફેરફાર કરો]કવિતા સંગ્રહો : “તો પછી’ (૧૯૮૩), “ક્યાં છે સૂરજ (૨૦૦૦) અને નવલકથાઓ : “મલક’ (૧૯૯૧), ગીધ (૧૯૯૯), 'ભળભાંખળું' (૨૦૦૪),[૪] 'રાશવા સૂરજ (૨૦૧૨), બપોર' (૨૦૨૧) નવલકથા મળે છે. [૪] વાર્તાસંગ્રહો :- અને 'ચૂંટેલી વાર્તાઓ : દલપત ચૌહાણ (૨૦૧૯) ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરી છે. “ઘાબાજરિયું” નામે વાર્તાસંગ્રહ આવનારાં વર્ષોમાં પ્રકાશિત થશે. ‘બદલો’, મૂંઝારો' (૨૦૦૨), 'ડર' (૨૦૭૯), ‘ભેલાણ’ (૨૦૧૩) વાર્તાસંગ્રહ, જેમાં ‘ગાંઠ’, ‘ભેલાણ’, ‘ઘાબાજરિયું’, ‘ચાંલ્લો’, વગેરે તેમની ખૂબ જ જાણીતી વાર્તાઓ છે. તેમની પાસેથી ઘણી વાર્તાઓ અને નવલકથારૂપે દલિતચેતનાને ઉજાગર કરતી કૃતિઓ મળી છે. તેમણે ‘અનાર્યવર્ત' (૨૦૦૦) નાટક સંગ્રહ જેમાં ત્રણ નાટક છે. “હરીફાઈ” (૨૦૦૩-૨૦૧૧) એકાંકી સંગ્રહ આપ્યા છે. ‘અનાર્યવર્ત’ બહુ ચર્ચિત નાટક છે. 'સંભારણા અને સફર' નામે નિબંધસંગ્રહ, પદ્ ચિહ્ન' (૨૦૦૩), 'દલિત સાહિત્યની કેડીએ’ (૨૦૦૮), સમર્થન (૨૦૦૯), ‘શબ્દભેદ’ (૨૦૧૫) જેવા દલિત સાહિત્ય વિવેચનના સ્વતંત્ર પુસ્તકો છે. સંપાદન ‘વણબોટી વાર્તાઓ’ (૨૦૦૦), "ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓ' (૨૦૦૯) જેવા વાર્તા સંપાદનો અને ‘દુંદુભિ’ (કાવ્યસંગ્રહ અન્ય સાથે), (૨૦૦ર અન્ય સાથે) "સ્વકીય' સમગ્ર દલિત સાહિત્ય (૨૦૧૨ – અન્ય સાથે) અને શબ્દે બાંધ્યો સૂરજ (કાવ્યસંગ્રહ અન્ય સાથે), (૨૦૧૨– અન્ય સાથે) જેવા દલિત કવિતા સંપાદનો કર્યા છે. દલપત ચૌહાણ માને છે કે દલિત સાહિત્યના વિવિધ સ્વરૂપોની તુલનાએ સૌથી ઓછું કામ થયું છે તે નાટ્યસાહિત્યમાં, તેમણે નાટક – એકાંકીમાં પણ ઉલ્લેખનીય અને મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. અહીં પણ તેમનો ઉદ્દેશ તો દલિત ચેતના જગાવવાનો જ રહ્યો છે. તેમના એકાંકીસંગ્રહ ‘હરિફાઈ’માં ‘હરિફાઈ’, ‘અંતિમચરણ’, ‘અંગરાજ’, ‘સંજય અને છગન’, ‘પોપટ ભૂખ્યો નથી” વગેરે છે, જેનાં કેટલાંક એકાંકી અંગ્રેજી-હિન્દી, ભાષામાં ભજવાયાં છે. ડૉ. બાબાસાહેબના નિર્વાણ વેળા ૧૯૫૬માં સો જેટલા કવિઓ દ્વારા કવિતાઓ (શ્રદ્ધાસુમન રૂપે) લખાયેલી આ કવિતાઓનું ‘અંજલિ' નામે ૧૯૮૫માં સંપાદન આપ્યું છે. [૧][૨]
પુરસ્કાર
[ફેરફાર કરો]તેમને મળેલા પારિતોષિકો:
- ‘ક્યાં છે સૂરજ?’ (૨૦૦૦) કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
- ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૦૨નો શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય) - (“ક્યાં છે સૂરજ' (કાવ્યસંગ્રહ)
- ‘પાટણને ગોંદરે’ અને ‘અનાર્યાવર્ત’ નાટકને અખિલ ભારતીય રેડિયો નાટ્યલેખન પ્રતિયોગિતા પુરસ્કાર,
- ‘અનાર્યવર્ત’ ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક. ‘ગીધ’ (2001) નવલકથાને ગુજરાત દલિત સાહિત્ય અકાદમી સંતોકબા સુવર્ણચંદ્રક, ‘ભળભાંખળું’ (2004) નવલકથાને
- ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક, શ્રી દોલત ભટ્ટ પારિતોષિક, પ્રિયકાન્ત પરીખ નવલકથા પારિતોષિક, અને ગુજરાત સરકાર દ્વારા
- ‘દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ’, ‘હરીફાઈ' (2001) એકાંકીસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક અને એમાં સંગૃહીત ‘દીવાલો’[૧]
એકાંકી માટે બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક.
- 'બાનું મૃત્યુ’ વાર્તાને ‘તાદર્થ્ય’ માસિકનો શ્રેષ્ઠ વાર્તા પુરસ્કાર, ‘ડર’ વાર્તાસંગ્રહને
- ધૂમકેતુ પરિવાર દ્વારા ધૂમકેતુ વાર્તા પુરસ્કાર, ‘ભેલાણ’ને
- ‘જલારામદીપ’ માસિકનો દ્વિતીય પુરસ્કાર,
- ‘દરબાર’ વાર્તાને ગુજરાત સમાચારનું આશ્વાસન ઇનામ,
- ગુજરાત સરકાર, ગાંધીનગર તરફથી સમગ્ર દલિત સાહિત્ય સર્જન માટે નરસિંહ મહેતા ઍવૉર્ડ. દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ દ્વારા
- ઇબ્રાહિમ મોહમ્મદ સરવૈયા ઍવૉર્ડ, સંશોધન ‘ગુજરાતી દલિત સાહિત્યની કેડીએ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર
- શ્રી હરિજન કેળવણી મંડળ, વિસનગર સન્માનિત પુરસ્કાર (દલિત સાહિત્યકાર સન્માન),વગેરે સન્માન મળી ચૂક્યાં છે.
ગુજરાતી દલિત સાહિત્યમાં તેમની કૃતિઓ સૌથી વધુ પુરસ્કૃત થઈ છે.
- ઈસ્કસ એવોર્ડ (૧૯૮૩ કવિતા)
- અખિલ ભારતીય રેડિયો નાટ્ય લેખન પ્રતિયોગિતા પુરસ્કાર (૧૯૮૭ ‘પાટણને ગોંદરે') અને
- (૧૯૮૯-૯૦ “અનાર્યાવર્ત')
- ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય) – (‘અનાર્યાવર્ત')
- ગુજરાતી સાહિત્ય પરિષદનું બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક ૧૯૯૮-૯૯ (પ્રથમ) (‘દીવાલો’ એકાંકી)
- ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (પ્રથમ) –(૨૦૦૩-‘હરીફાઈ’ એકાંકી)
- સંતોકબા સુવર્ણ ચંદ્રક ૨૦૦૦ (‘ગીધ’ નવલકથા)
- ગુજરાત સરકારનો 'દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય પુરસ્કાર – ૨૦૦૫/૦૬ ('ભળભાંખળું')
- ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘પ્રિયકાન્ત પરીખ' નવલકથા પારિતોષિક (ભળભાંખળું')
- ગુજરાતી સાહિત્ય પરિષદનો 'દોલત ભટ્ટ પારિતોષિક ૨૦૦૪' (‘ભળભાંખળું')
- ગુજરાત સાહિત્ય અકાદમીનો 'શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક – ૨૦૦૪' (પ્રથમ) ('ભળભાંખળું')
- તાદર્થ્ય વાર્તા પુરસ્કાર (પ્રથમ) ૧૯૯૫' ('બાનું મૃત્યુ’ વાર્તા)
- જલારામદીપ વાર્તા પુરસ્કાર ૨૦૦૮ (દ્વિતિય) (‘ભેલાણ’ વાર્તાસંગ્રહ)
- કવિ નરસિંહ મહેતા દલિત સાહિત્યકાર પુરસ્કાર -૨૦૦૧/૦૨ (દલિત સાહિત્ય સર્જન અને સેવા)
- ગુજરાત દલિત સાહિત્ય અકાદમીનો શ્રી ઈબ્રાહીમ સરવૈયા પુરસ્કાર ૨૦૦૯ (શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર)
- ધૂમકેતુ વાર્તા પુરસ્કાર ૨૦૦૯ (‘ડર’ વાર્તાસંગ્રહ)
- ગુજરાત સમાચાર વાર્તા હરીફાઈ પુરસ્કાર (વાર્તા ‘દરબાર’)
- સયાજી વિદ્યાર્થી આશ્રમ સાહિત્ય પુરસ્કાર.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ મનોજ પરમાર (સંપાદક), 'પ્રતિતી', રન્નાદે પ્રકાશન, ૨૦૧૭, પૃષ્ઠ. ૨૪૬
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "દલિત સાહિત્ય – પ્રતિબદ્ધ સર્જક : દલપત ચૌહાણ | Opinion Magazine" (અંગ્રેજીમાં). 2021-10-22. મેળવેલ 2025-03-31.
- ↑ "Dalpat Chauhan Profile & Biography | RekhtaGujarati". rekhtagujarati.org (અંગ્રેજીમાં). મેળવેલ 2025-03-31.
- ↑ ૪.૦ ૪.૧ "નવલકથાપરિચયકોશ/ભળભાંખળું". Ekatra Wiki. 2023-12-31. મેળવેલ 2025-03-31.