દુર્ગાવતી દેવી
દુર્ગાવતી દેવી | |
|---|---|
| જન્મ | ૭ ઓક્ટોબર ૧૯૦૭ |
| મૃત્યુ | ૧૫ ઓક્ટોબર ૧૯૯૯ ગાજિયાબાદ જિલ્લો |
| વ્યવસાય | ક્રાંતિકારી |
| જીવન સાથી | ભગવતી ચરણ વોહરા |
દુર્ગાવતી દેવી (દુર્ગા ભાભી) (૭ ઓક્ટોબર ૧૯૦૭ – ૧૫ ઓક્ટોબર ૧૯૯૯) ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રસેનાની હતા. તેઓ બ્રિટિશ રાજની સામે સશસ્ત્ર લડત ચલાવી રહેલા જૂજ મહિલા ક્રાંતિકારીઓમાંના એક હતા. તેઓ અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા પછી ભગતસિંહ સાથે ટ્રેનમાં નાસી છૂટવાની ઘટનાથી જાણીતા બન્યા હતા,[૧] અને તેઓ ક્રાંતિકારી ભગવતીચરણ વોહરાના પત્નિ હતા[૨], તેથી હિંદુસ્તાન રીપબ્લિકન એશોસિયેશનના અન્ય સભ્યો તેમને ભાભી કહીને સંબોધતા હતા અને આમ તેઓ ક્રાંતિકારીઓમાં દુર્ગા ભાભી વડે જાણીતા બન્યા હતા.[૩]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ પિતા બાંકે બિહારીલાલ ભટ્ટ, વડનગરા નાગરને ત્યાં ૭ ઓક્ટોબર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમના પિતા એક નિવૃત્ત જજ હતાં. દુર્ગાદેવીની માતા દુર્ગાદેવીના નાનપણમાં જ અવસાન પામેલા. માતાના અવસાન પછી માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમના લગ્ન ભગવતીચરણ વોહરા, વિસનગરના વતની સાથે થયા હતા.[૪][૨] ભગવતી ચરણ વેપારી અને એક ક્રાંતિકારી પણ હતા. તેમના સંબંધો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ સાથે હતા. તેમણે જ દુર્ગાદેવીને ક્રાંતિના પાઠ ભણાવ્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Tribune...Sunday Reading". Tribuneindia.com. મેળવેલ ૯ નવેમ્બર ૨૦૧૨.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 "ભગવતીચરણ વોહરા : મહાન વિચારક, ઉત્તમ વ્યવસ્થાપક અને ક્રાંતિકારી". દિવ્ય ભાસ્કર. ૧૯ એપ્રિલ ૨૦૧૫. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "શું ભગતસિંહ વડોદરામાં છૂપાયા". www.gujarat-samachar.com. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ વિનુભાઈ યુ. પટેલ (૨૦૧૪). મહિમા ૩૬૬ દિવસનો. એમ.એસ. સાહિત્ય પ્રકાશન, આણંદ.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |