દ્વયાશ્રય
દેખાવ
| લેખક | હેમચંદ્રાચાર્ય |
|---|---|
| દેશ | ભારત |
| ભાષા | સંસ્કૃત, પ્રાકૃત |
| પ્રકાર | જીવન ચરિત્ર, વ્યાકરણ ઉદાહરણ |
દ્વયાશ્રય બારમી સદીના ઉત્તરાર્ધમાં હેમચંદ્રાચાર્યે સંસ્કૃત તથા પ્રાકૃતભાષામાં રચેલું મહાકાવ્ય છે. મહાવ્યાકરણ સિદ્ધહેમશબ્દાનુશાસનના પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ હેમચંદ્રાચાર્યે સૂત્રોમાં આપ્યું છે. આ પ્રતિપાદિત નિયમોનાં ઉદાહરણ આપવા માટે અને સોલંકી વંશી રાજાઓના જીવનચરિતનું આલેખન કરવા માટે તેમણે દ્વયાશ્રય નામના ગ્રંથની રચના કરી.[૧]
લેખન
[ફેરફાર કરો]આ ગ્રંથમાં મૂળભૂત રીતે બે ભાગ છે. પહેલા ભાગમાં મૂળરાજથી સિદ્ધરાજ જયસિંહ સુધીના રાજાઓનાં ચરિત્રને ૨૦ સર્ગોમાં સંસ્કૃતભાષામાં વર્ણવ્યાં છે. બીજા ભાગમાં--જે 'કુમારપાલચરિયં' તરીકે પ્રસિદ્ધ છે-- ૮ સર્ગોમાં ૬ પ્રાકૃતભાષાઓનાં ઉદાહરણ વડે કુમારપાળ સોલંકીનું ચરિત્ર વર્ણવ્યું છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ શાહ, રમણિકભાઈ (જાન્યુઆરી ૨૦૦૮). "કુમારપાલચરિયં – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-07-08.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: url-status (link) - ↑ શાસ્ત્રી, કેશવરામ (૧૯૭૩). "સાહિત્ય: પ્રાચીન કાળ (ઇ.૧૧૫૦-૧૪૫૦)". In જોષી, ઉમાશંકર (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ:૧. અમદાવાદ: ગુજરાત સાહિત્ય પરિષદ. pp. ૯૫.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |