લખાણ પર જાઓ

ધરમાભાઈ શ્રીમાળી

વિકિપીડિયામાંથી
ધરમાભાઈ નાગરદાસ શ્રીમાળી
જન્મ૨૧ ડિસેમ્બર ૧૯૫૭
ગાદલવાડા (તા. પાલનપુર), બનાસકાંઠા જિલ્લો
વ્યવસાયવાર્તાકાર, નવલકથાકાર
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
લેખન પ્રકારદલિતસાહિત્ય
નોંધપાત્ર સર્જનો
  • 'સાંકળ' (૧૯૯૭)
  • 'નરક' (૨૦૦૩)
  • 'રવેશ' (૨૦૦૫)
નોંધપાત્ર પુરસ્કારોસંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ (૨૦૨૨), સંત કબીર એવોર્ડ, ગિરા ગુર્જરી પારિતોષિક, દાસી જીવણ એવોર્ડ
સંબંધીઓમાતા: રાજુબહેન; પિતા: નાગરદાસ

ધરમાભાઈ શ્રીમાળી (મૂળ નામ: ધરમાભાઈ નાગરદાસ શ્રીમાળી) (જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૫૭) ગુજરાતી સાહિત્યના વાર્તાકાર અને નવલકથાકાર છે.

ધરમાભાઈ નાગરદાસ શ્રીમાળીનો જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ ગાદલવાડા ખાતે થયો હતો. માતાનું નામ રાજુબહેન હતું. છ ધોરણ સુધી વતનમાં ભણીને સાતથી જૂની એસ.એસ.સી. સુધી બાજુના ગામ ટાકરવાડામાં ભણેલા. કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ તેમણે બી.કે. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ પાલનપુરથી અને દ્વિતિય વર્ષથી અનુસ્નાતક સુધીનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી બાહ્ય વિદ્યાર્થી તરીકે કર્યો હતો. નોકરીની શરૂઆત સ્નાતકના અભ્યાસ સમયે જ કરી હતી. ધરોઈ મુખ્ય બંધ વિભાગ, ધરોઈ કોલોની અને સિપુ યોજના વિભાગ, પાલનપુરથી નિવૃત થયા છે.[][] તેઓ હાલ પાલનપુર ખાતે સ્થાયી છે.

પ્રકાશિત પુસ્તકો

[ફેરફાર કરો]

તેમના વાર્તાસંગ્રહોમાં 'સાંકળ' (૧૯૯૭), 'નરક' (૨૦૦૩), 'રવેશ' (૨૦૦૫), 'ઝાંખરું' (૨૦૧૨), 'પીઠી' (૨૦૧૬), 'શરત' (૨૦૨૪) વગેરેનો સમાવેશ થાય છે. 'નદી અને કિનારો' (૨૦૨૪) તેમની લઘુનવલ છે. 'કેસુડાં' (૨૦૦૮) તેમના સંપાદનો છે જેમાં બનાસકાંઠાના સર્જકોનો વાર્તાઓ સંગ્રહિત છે. 'દલિત વાર્તા અને કેફીયત' (૨૦૧૭) તેમણે અન્ય સાથે મળીને કરેલ સંપાદન છે. 'ભંડારીયું' (૨૦૦૩) પુસ્તકમાં તેમના સંસ્મરણો છે.[][]

એવોર્ડ

[ફેરફાર કરો]

તેમને મળેલા પારિતોષિકો:[][][]

  • 'સાંકળ' માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક
  • 'સાંકળ' માટે મુંબઈ કલા ગુર્જરીનું ગિરા ગુર્જરી પારિતોષિક
  • 'નરક' માટે ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શ્રેષ્ઠ દલિત કૃતિ નો દાસી જીવણ એવોર્ડ.
  • 'નરક' માટે મુંબઈ કલાગુર્જરીનું ગિરા ગુર્જરી પારિતોષિક
  • 'રવેશ' માટે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા ડૉ. રમણ પાઠક વાચસ્પતિ.. શ્રેષ્ઠ નવલિકા પારિતોષિક
  • 'રવેશ' માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક
  • 'ઝાંખરું' માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક
  • 'ભંડારીયું' શ્રેષ્ઠ દલિત નિબંધ માટે ગુજરાત દલિત સાહિત્ય અકાદમી નું પારિતોષિક
  • સમગ્ર દલિત સાહિત્યમાં કરેલ સર્જન ને ધ્યાન માં લઈને ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકરિતા વિભાગ દ્વારા સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ (૨૦૨૨ )
  • દલિત સાહિત્ય પ્રતિસ્થાન, અમદાવાદ દ્વારા બનાસકાંઠાના શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર તરીકે પ્રતિસ્થાન સન્માન (૨૦૨૧)
  • સ્વ. ડાહ્યાભાઈ રણછોડભાઈ જાદવ સાહિત્ય સન્માન ધોળકા દ્વારા સાહિત્ય રત્ન સન્માન (૨૦૨૧ )

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 મનોજ પરમાર (સંપાદક), 'પ્રતિતી', રન્નાદે પ્રકાશન, ૨૦૧૭, પૃષ્ઠ. ૨૫૮
  2. 1 2 3 "ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધરમાભાઈ શ્રીમાળી". Ekatra Wiki. 2024-12-29. મેળવેલ 2025-03-30. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. "એવોર્ડ: સાહિત્યકાર પ્રવીણ જોશીને 'સંતશ્રી દાસી જીવણ એવોર્ડ' અને ધરમાભાઈ શ્રીમાળીને 'સંત કબીર એવોર્ડ'થી સન્માનિત કરાયા". Divya Bhaskar. 2022-10-18. મેળવેલ 2025-03-30. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)