લખાણ પર જાઓ

નંદિતા શાહ

વિકિપીડિયામાંથી
નંદિતા શાહ
નારી શક્તિ પુરસ્કાર મેળવતા નંદિતા શાહ
જન્મની વિગત (૧૯૫૯-૦૨-૧૫) ફેબ્રુઆરી ૧૫, ૧૯૫૯ (ઉંમર ૬૭)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયહોમિયોપેથ
સક્રિય વર્ષો૧૯૮૧-
પ્રખ્યાત કાર્યશરણ
નોંધપાત્ર કાર્ય
રીવર્સિંગ ડાયાબિટીસ ઈન ૨૧ ડેઝ (મધુપ્રમેહને ૨૧ દિવસમાં ઊલટાવો)

નંદિતા શાહ (જન્મ ૧૯૫૯) એ એક ભારતીય હોમિયોપેથ અને લેખિકા છે. તેમણે ૧૯૮૧માં ડોક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ૨૦૦૫માં બિન-સરકારી સંસ્થા સેંચરી ફોર હેલ્થ એન્ડ રીકનેક્શન ટુ એનિમલ્સ એન્ડ નેચર (SHARAN - શરણ)ની સ્થાપના કરી હતી. તેમને ૨૦૧૬નો નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

નંદિતા શાહનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૫૯માં મુંબઈમાં થયો હતો.[] તેમણે મુંબઈની સી. એમ. પી. હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી હોમિયોપેથીમાં ડોક્ટરની પદવી મેળવી અને ૧૯૮૧થી તેઓ તબીબી સેવા આપી રહ્યા છે.[] તેઓ ૧૯૮૫ થી મૂળથી શાકાહારી (વેગન) બન્યા છે.[] તેમણે ન્યૂયોર્કના વોટકીન્સ ગ્લેનમાં પ્રાણીઓના આશ્રયસ્થાન, ફાર્મ સેન્ક્ચ્યુરીમાં ઇનટર્ન તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ ૧૯૯૯માં તેઓ ઓરોવિલેમાં જોડાયા.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

તેમણે ૨૦૦૫માં તંદુરસ્ત આહારને પ્રોત્સાહન આપવા માટે સેન્ક્ચ્યુરી ફોર હેલ્થ ઍન્ડ રિકનેક્શન ટુ એનિમલ્સ ઍન્ડ નેચર (SHARAN) નામની બિન-સરકારી સંસ્થાની સ્થાપના કરી.[] તેઓ માને છે કે મૂળથી શાકાહારી (વિગાન) બનવાથી અને કાચો ખોરાક ખાવાથી હતાશા, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદય રોગ જેવી તકલીફો ટાળી શકાય છે.[] ભારતમાં કોવીડ-૧૯ના રોગચાળા દરમિયાન, શરણે મફત ઓનલાઇન રસોઈ વર્કશોપ ચલાવી હતી.[]

તેમને ૨૦૧૬માં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિલનાડુની ચાર મહિલાઓમાંના તેઓ એક હતા.[] તેઓ રીવર્સિંગ ડાયાબિટીસ ઈન ૨૧ ડેઝ (મધુપ્રમેહને ૨૧ દિવસમાં ઊલટાવો) પુસ્તકના લેખક છે.[] તેઓ માને છે કે દૂધમાં રહેલા પ્રોટીન ડાયાબિટીસનું કારણ બની શકે છે.[] ૨૦૨૦ સુધી, તેઓ ઓરોવિલેમાં રહેતા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Nandita Shah". www.wholehealthnow.com. મૂળ સંગ્રહિત માંથી 22 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. 1 2 3 "Dr. Nandita Shah". SHARAN. મૂળ સંગ્રહિત માંથી 24 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. 1 2 Dadhwal, Sheetal (18 February 2020). "'Everything that is advertised is not healthy'". Tribune India (અંગ્રેજીમાં). મૂળ માંથી 16 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. 1 2 3 Anantharam, Chitra Deepa (31 March 2020). "SHARAN offers free online classes for building immunity using plant-based food". The Hindu (Indian Englishમાં). મૂળ માંથી 18 April 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  5. Special correspondent (9 March 2017). "Four from State receive Nari Shakti awards". The Hindu (Indian Englishમાં). મૂળ માંથી 16 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ); |last= has generic name (મદદ)
  6. Dundoo, Sangeetha Devi (16 November 2014). "Against the norm". The Hindu (Indian Englishમાં). મૂળ માંથી 16 January 2021 પર સંગ્રહિત. મેળવેલ 16 January 2021. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)