પુષ્યમિત્ર શૃંગ
| પુષ્યમિત્ર શૃંગ | |
|---|---|
| મૌર્યવંશના નાશક, શૃંગ વંશના સ્થાપક, વૈદિક ધર્મોદ્ધારક, અશ્વમેઘ પુનરોદ્ધારક, પરમ શૈવ | |
પુષ્યમિત્ર શૃંગ | |
| શાસન | ઈ.પૂ. ૧૮૭ થી ઈ.પૂ. ૧૪૭ સુધી |
| પુરોગામી | બૃહદ્રથ મૌર્ય |
| અનુગામી | અગ્નિમિત્ર |
| જન્મ | ઈ.સ. પૂર્વે ત્રીજી સદીના અંતમાં મગધ, મૌર્ય સામ્રાજ્ય (હાલનું બિહાર ) |
| મૃત્યુ | ઇ.સ. પૂર્વે ૧૪૭ પાટલીપુત્ર, બિહાર |
| અંતિમ સંસ્કાર | અજ્ઞાત |
| જીવનસાથી |
|
| વંશજ |
|
| રાજવંશ | શૃંગ વંશ |
| પિતા | પુષ્યધર્મન |
| માતા | અજ્ઞાત |

પુષ્યમિત્ર શૃંગ શૃંગ સામ્રાજ્યના સ્થાપક અને પ્રથમ શાસક હતા. તેમણે મૌર્ય વંશના અંતિમ નબળા રાજા બૃહદ્રથની હત્યા કરી ને મૌર્ય વંશનો અંત આણ્યો અને શૃંગ વંશનો આરંભ કર્યો હતો.[૧] હિન્દુ ધર્મને રાજ્યાશ્રય આપી ને પુનર્જીવિત કર્યો હતો.[૨]
તેઓ હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા હતા. હરિવંશ પુરાણ અને મહાકવિ કાલિદાસ અનુસાર તેઓ કશ્યપ ગોત્રના બ્રાહ્મણ હતા. પ્રારંભિક જીવનમાં તેઓ મૌર્ય વંશના પ્રધાન સેનાપતિ હતા. તેમણે નબળા અને વિલાસી શાસક બૃહદ્રથ મૌર્યની લશ્કરી કવાયત દરમિયાન હત્યા કરી ને મૌર્ય વંશનો અંત કરી શક્તિશાળી શૃંગ સામ્રાજ્યની શરૂઆત કરી.
તેમણે ભારતની પશ્ચિમી સરહદની આક્રમણકારીઓથી રક્ષા કરી. તેમણે ગ્રીક શાસક સ્ટ્રેબો, મેનેન્ડર અને ડમેટ્રિયસને યુદ્ધમાં હરાવ્યા હતા. યવનો પર આ વિજયના ઉપલક્ષમાં તેમણે પતંજલિ પાસેથી બે અશ્વમેધ યજ્ઞો કરાવ્યા હતા.[૩] તેમણે બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપવાનો બંધ કર્યો અને હિન્દુ ધર્મને સમર્થન આપ્યું. કર્મકાંડો અને યજ્ઞપ્રથાને પુનર્જીવિત કરી. યોગાચાર્ય પતંજલિ તેમના ગુરુ હતા.
તેમણે મિનેન્ડર વગેરે યવન રાજાઓ અને કલિંગ નરેશ ખારવેલને હરાવ્યા, વિદિશા પર પણ વિજય મેળવ્યો. દક્ષિણમાં બરારથી લઈ ને પશ્ચિમમાં પંજાબ અને પૂર્વમાં મગધ સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.[૪]
અશ્વમેધ, રાજસૂય વગેરે યજ્ઞ કરાવ્યા, પતંજલિ વગેરે વિદ્વાનોને સંરક્ષણ આપી કલા સાહિત્યનું પોષણ કર્યું, કરવેરા ઓછા કર્યાં, રાજ્ય વ્યવસ્થાઓ સુદૃઢ કરી, જે તેમના શાસનકાળની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ કહી શકાય.[૫]
તેમણે શાક્ય રાજકુંવરી દેવમાળા સાથે ગાંધર્વ વિવાહ કર્યા હતા, તેનાથી તેમને પરાક્રમી અગ્નિમિત્ર નામક પુત્ર પ્રાપ્ત થયો હતો. તેમણે ૩૬ વર્ષ શાસન કર્યા બાદ રાજગાદી પુત્ર અગ્નિમિત્રને સોંપી હતી. ઇસ પૂર્વે ૧૪૭માં તેમનું અવસાન થયું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ રોમિલા થાપર લિખિત અશોક અને મૌર્ય વંશનું પતન, પૃષ્ઠ નંબર ૭૮,૭૯
- ↑ "https://byjus.com/free-ias-prep/ncert-notes-post-mauryan-india-sunga-dynasty/". BYJUS (અંગ્રેજીમાં). મેળવેલ 2025-06-26.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ); External link in(મદદ)|title= - ↑
"इह पुष्यमित्रं याजयामः"। અર્થ: મેં (પતંજલિએ) પુષ્યમિત્ર માટે યજ્ઞો કર્યા છે. {પતંજલિ મહાભાષ્ય, સર્ગ ૩, સૂત્ર ૧૫}
- ↑ પ્રાચીન બૌદ્ધ ગ્રંથ દિવ્યાવદાન અધ્યાય ૬, સમુલ્લસ પહેલો
- ↑ પતંજલિ કૃત મહાભાષ્ય, સર્ગ ૩, સૂત્ર ૨૧, ચૌખાંબા પ્રકાશન દ્વારા પ્રકાશિત
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |