ફતેહસિંહરાવ ગાયકવાડ
| ફતેહસિંહરાવ ગાયકવાડ દ્વિતીય | |
|---|---|
| બરોડાના મહારાજા | |
મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ | |
| બરોડા સ્ટેટ | |
| Tenure | ૧૯૫૧–૧૯૭૧ |
| રાજ્યાભિષેક | ૧૯૫૧ |
| પુરોગામી | પ્રતાપસિંહરાવ ગાયકવાડ |
| અનુગામી | પદ સમાપ્ત રણજીતસિંહરાવ ગાયકવાડ (નામ માત્ર) |
| સંસદ સભ્ય, લોકસભા | |
| પદ પર ૧૯૫૭ – ૧૯૬૨ | |
| પુરોગામી | ઇન્દુભાઈ અમીન |
| અનુગામી | પશાભાઈ પટેલ |
| પદ પર ૧૯૭૧ – ૧૯૮૦ | |
| પુરોગામી | પશાભાઈ પટેલ |
| અનુગામી | રણજીતસિંહ ગાયકવાડ |
| બેઠક | વડોદરા (લોકસભા મતવિસ્તાર) |
| અંગત વિગતો | |
| જન્મ | ૨ એપ્રિલ ૧૯૩૦ |
| મૃત્યુ | ૧ સપ્ટેમ્બર ૧૯૮૮ (ઉંમર 58) |
| રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
| પિતા | પ્રતાપસિંહરાવ ગાયકવાડ |
| Cricket information | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| બેટિંગ શૈલી | જમણેરી | ||||||||||||||||||||||||||
| કારકિર્દી આંકડાઓ | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
| Source: ESPNcricinfo, 13 April 2023 | |||||||||||||||||||||||||||
ફતેહસિંહરાવ પ્રતાપરાવ ગાયકવાડ દ્વિતીય (૨ એપ્રિલ ૧૯૩૦ – ૧ સપ્ટેમ્બર ૧૯૮૮) એક ભારતીય રાજકારણી, ક્રિકેટર અને ૧૯૫૧ થી ૧૯૮૮ સુધી બરોડા સ્ટેટના મહારાજા હતા. ૧૯૭૧ માં રજૂ કરાયેલા ભારતના બંધારણના ૨૬મા સુધારા[૧] દ્વારા, ભારત સરકારે રજવાડાના ભારતના તમામ સત્તાવાર પ્રતીકો, પદવીઓ, વિશેષાધિકારો અને મહેનતાણાને નાબૂદ કરી દીધા.

ફતેહસિંહરાવ ગાયકવાડનો જન્મ બરોડાના છેલ્લા શાસક મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ અને તેમની પહેલી પત્ની મહારાણી શાંતાદેવી સાહેબ ગાયકવાડ (૧૯૧૪-૨૦૦૨) ને ત્યાં થયો હતો. ૧૯૫૧માં જ્યારે તેમના પિતાને ભારત સરકારે પદભ્રષ્ટ કર્યા ત્યારે તેઓ બરોડાના મહારાજા બન્યા.
તેમણે ૧૯૫૭ થી ૧૯૬૭ અને ૧૯૭૧ થી ૧૯૮૦ સુધી વડોદરાના સંસદ સભ્ય તરીકે સેવા આપી, જેમાં તેઓ કોંગ્રેસના વિવિધ જૂથોનું પ્રતિનિધિત્વ કરતા હતા. ૧૯૬૭માં તેમણે લોકસભા ચૂંટણી લડી ન હતી, અને સયાજીગંજ બેઠક પરથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. લોકસભામાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સંરક્ષણ મંત્રાલયના સંસદીય સચિવ, આરોગ્ય, મત્સ્યઉદ્યોગ અને જેલ મંત્રી, વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર અને ૧૯૬૨-૬૩ માં રાષ્ટ્રીય રમતગમત સંસ્થા (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ)ના, બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓએ 'ધ પેલેસિસ ઓફ ઇન્ડિયા' (૧૯૮૦) નામનું પુસ્તક લખ્યું છે.
ક્રિકેટર તરીકે, ફતેહસિંહરાવે ૧૯૪૬ થી ૧૯૫૮ દરમિયાન રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમની પ્રથમ સિઝનમાં તેમનો સર્વાધિક સ્કોર ૯૯ હતો. તેઓ જમણા હાથના આક્રમક બેટ્સમેન હતા. તેમણે ૧૯૪૮ થી ૧૯૫૪ દરમિયાન વિવિધ પ્રસંગોએ પ્રવાસી ટીમો સામે રમ્યા હતા. તેઓ રેડિયોમાં નિષ્ણાત ક્રિકેટ કોમેન્ટેટર હતા અને મેલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી) દ્વારા તેમને માનદ આજીવન સભ્ય બનાવવામાં આવ્યા હતા.
ગાયકવાડ ૧૯૬૩ થી ૧૯૬૬ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ હતા, ત્યારબાદ ૧૯૫૯ થી ૧૯૬૦ અને ફરી ૧૯૬૨-૬૩ માં ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૬૦ સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનના મેનેજર હતા. ઇંગ્લેન્ડમાં "જેકી બરોડા" તરીકે જાણીતા, તેમણે ૧૯૫૯ માં ઇંગ્લેન્ડના ભારતીય પ્રવાસ અને ૧૯૭૮-૭૯ અને ૧૯૮૨-૮૩ માં પાકિસ્તાનના પ્રવાસનું સંચાલન કર્યું. તેઓ હજુ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૌથી યુવા પ્રમુખ હોવાનો રેકોર્ડ ધરાવે છે.
૧ સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ ૫૮ વર્ષની વયે બોમ્બેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું, અને તેમના પછી તેમના નાના ભાઈ રણજીતસિંહરાવ ગાયકવાડ બરોડાના મહારાજા બન્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Constitution (26 Amendment) Act, 1971", indiacode.nic.in (Government of India), 1971, http://indiacode.nic.in/coiweb/amend/amend26.htm, retrieved 9 November 2011