બલેશ્વર મંદિર, ચંપાવત

વિકિપીડિયામાંથી
બલેશ્વર મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાબલેશ્વર (શિવ)
સ્થાન
સ્થાનચંપાવત
રાજ્યઉત્તરાખંડ
દેશભારત
બલેશ્વર મંદિર, ચંપાવત is located in Uttarakhand
બલેશ્વર મંદિર, ચંપાવત
ઉત્તરાખંડમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ29°20′12″N 80°05′25″E / 29.3366°N 80.0904°E / 29.3366; 80.0904
સ્થાપત્ય
નિર્માણકારચાંદ રાજવંશ
પૂર્ણ તારીખઇ.સ. ૧૦મી-૧૨મી સદી

બલેશ્વર મંદિર એક પ્રાચીન મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ઉત્તરાખંડમાં આવેલા ચંપાવત શહેરમાં છે.

આ મંદિર ચાંદ રાજવંશના શાસકો દ્વારા બાંધવામાં આવ્યું હતું. બલેશ્વર મંદિર પથ્થર કોતરકામનું એક શાનદાર પ્રતીક છે. મંદિર નિર્માણની સમયનોંધ કે ઐતિહાસિક હસ્તપ્રતોની કોઇ નોંધ ત્યાં નથી; જો કે એમ માનવામાં આવે છે કે તે ઇ.સ. ૧૦મી અને ૧૨મી સદી વચ્ચેના સમયકાળમાં બનાવવામાં આવેલ છે.

ઝાંખી[ફેરફાર કરો]

મુખ્ય બલેશ્વર મંદિર ભગવાન શિવ (જે બલેશ્વર તરીકે પણ ઓળખાય છે), તેમને સમર્પિત છે. આ સંકુલના બે અન્ય મંદિરોમાં, એક રત્નેશ્વરને સમર્પિત છે અને બીજું ચંપાવતી દુર્ગાને સમર્પિત છે. બલેશ્વર મંદિર નજીક "નૌલા" (તાજા પાણીનો સ્ત્રોત) છે. મહાશિવરાત્રિના દિવસે બલેશ્વર મંદિર ખાતે ખૂબ જ મોટો મેળો રાખવામાં આવે છે.

રત્નેશ્વર અને ચંપાવતી દુર્ગાના મંદિરના બાહ્ય ભાગમાં વિવિધ સ્થાનિક દેવતાઓના ચિત્રોની કોતરણી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]