લખાણ પર જાઓ

બળેજ (તા. પોરબંદર)

વિકિપીડિયામાંથી
બળેજ
ગામ
બળેજ is located in ગુજરાત
બળેજ
બળેજ
બળેજ is located in India
બળેજ
બળેજ
અક્ષાંશ-રેખાંશ: 21°22′31″N 69°51′43″E / 21.375241°N 69.862046°E / 21.375241; 69.862046
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
તાલુકોપોરબંદર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

બળેજભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક ગામ છે. બળેજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન તથા ખેતમજુરી છે. આ ગામમાં મુખ્યત્વે ચણા, મગફળી, જુવાર, જીરુ , ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]
મૈત્રકકાલીન મંદિર
ગામમાં આવેલ પાર્શ્વનાથ જૈનમંદિર

બળેજ ગામમાં સોરઠીયા રબારી સમાજના ઈષ્ટ માતાજી શ્રી મમ્માઈ (મોમાઈ) માતાના મુખ્ય પાંચ મઢ પૈકીનો એક મઢ આવેલો છે. મમ્માઈ માતાના મઢના મંદિરની બિલકુલ બહાર વીર જેતમાલ મહેરનો પાળીયો પૂજાય છે. વીર જેતમાલ મંદિરની રક્ષા કાજે શહીદ થયેલા.

ગામમાં અને નજીકમાં મૈત્રકકાલીન મંદિરો આવેલાં છે, જે રાજ્યરક્ષિત સ્મારક છે.