બળેજ (તા. પોરબંદર)
દેખાવ
બળેજ | |
|---|---|
ગામ | |
| અક્ષાંશ-રેખાંશ: 21°22′31″N 69°51′43″E / 21.375241°N 69.862046°E | |
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | પોરબંદર |
| તાલુકો | પોરબંદર |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બળેજ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક ગામ છે. બળેજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન તથા ખેતમજુરી છે. આ ગામમાં મુખ્યત્વે ચણા, મગફળી, જુવાર, જીરુ , ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]

બળેજ ગામમાં સોરઠીયા રબારી સમાજના ઈષ્ટ માતાજી શ્રી મમ્માઈ (મોમાઈ) માતાના મુખ્ય પાંચ મઢ પૈકીનો એક મઢ આવેલો છે. મમ્માઈ માતાના મઢના મંદિરની બિલકુલ બહાર વીર જેતમાલ મહેરનો પાળીયો પૂજાય છે. વીર જેતમાલ મંદિરની રક્ષા કાજે શહીદ થયેલા.
ગામમાં અને નજીકમાં મૈત્રકકાલીન મંદિરો આવેલાં છે, જે રાજ્યરક્ષિત સ્મારક છે.
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |