બેવટા (તા. થરાદ)

વિકિપીડિયામાંથી
બેવટા
—  ગામ  —
બેવટાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર,રાયડો,એરંડા શાકભાજી

બેવટા (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. બેવટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં ઉગમણાવાસે પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. ગામમાં પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ ઉપરાંત હનુમાનજી મંદિર અને શ્રી ઓગડાપીર મંદિર આવેલ છે. ગામમાં કુવાળીયા તળાવના તટે રામદેવજી મહારાજનું મંદિર આવેલ છે. સનાતન ધર્મની આધ્યાત્મિકતાને ઉજાગર કરતા તપસ્વીઓ શ્રી જોધારામ રાજાજી રબારી અને પદમપુરીજી મહારાજની સમાધીઓ આવેલ છે.