ભદ્રા (કૃષ્ણની પત્ની)
| ભદ્રા | |
|---|---|
| અષ્ટભાર્યાના સભ્ય | |
ભદ્રા અને શ્રી કૃષ્ણની અન્ય અષ્ટભાર્યા, મૈસૂર ચિત્રકળા. | |
| જોડાણો | દેવી, અષ્ટભાર્યા, લક્ષ્મી |
| રહેઠાણ | દ્વારકા |
| ગ્રંથો | ભાગવદ્ પુરાણ, મહાભારત |
| વ્યક્તિગત માહિતી | |
| જીવનસાથી | કૃષ્ણ |
| બાળકો | સંગ્રામજીત, બૃહતસેન, શૂર, પ્રહરણ, અરિજીત, જય, સુભદ્ર, વામ, આયુર, અને સત્યક (પુત્રો) |
| માતા-પિતા | દ્રિષ્ટકેતુ (પિતા) શ્રુતકીર્તિ (માતા) |
| કુળ | યદુવંશ (લગ્ન થકી) |
ભદ્રા ( સંસ્કૃત: भद्र ) [૧] શ્રી કૃષ્ણની અષ્ટભાર્યમાંની એક પત્ની છે [૨] ભાગવત પુરાણ અનુસાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણની આઠ મુખ્ય રાણી-પત્નીઓ હતી અને ભદ્રાને કૃષ્ણની આઠમી પત્ની તરીકે દર્શાવે છે; કેટલીકવાર તેણીને સાતમી પત્ની તરીકે વર્ણવવામાં આવે છે. જો કે વિષ્ણુ પુરાણ અને હરિવંશ નામના ગ્રંથમાં, અષ્ટભાર્યની યાદિમાં ભદ્રાનું નામ બિલકુલ નથી, પરંતુ તેમનો ઉલ્લેખ 'ધૃષ્ટકેતુની પુત્રી' અથવા 'કેકેયની રાજકુમારી' તરીકે કરવામાં આવ્યો છે. [૩]
દંતકથા
[ફેરફાર કરો]ભાગવત પુરાણ તેમને કૈકેય રાજ્યની રાજકુમારી તરીકે દર્શાવે છે અને તેમને કૈકેયી એવું ઉપનામ આપે છે. તે રાજા ધૃષ્ટકેતુ અને તેની પત્ની શ્રુતકીર્તિના પુત્રી હતા. શ્રુત કીર્તિ કુંતી અને વાસુદેવની બહેન કે પિતરાઈ હતી. ભદ્રાના પાંચ ભાઈઓ હતા, જેમાં સૌથી મોટા રાજકુમાર સંતર્દન હતા, તેમણે ભદ્રા સાથે કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા. અન્ય એક ગ્રંથમાં, તેણીએ સ્વયંવર (એવો લગ્ન ઉત્સ્વ કે જેમાં કન્યા તેમને પરણવા માટે દાવેદારી કરનાર લગ્નોત્સુક યુવકોમાંથી કોઈ એકની પસંદગી કરી તેના ગળામાં વરમાળાનું આરોપણ કરે છે.) સમારોહમાં કૃષ્ણને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હોવાનું વર્ણવવામાં આવ્યું છે. કૃષ્ણ અને તેમની રાણીઓ એકવાર કુન્તી, તેમના પુત્રો પાંડવો અને પાંડવોની પત્ની દ્રૌપદી મળવા હસ્તિનાપુર ગયા હતા. કુંતીના નિર્દેશ મુજબ દ્રૌપદી, ભદ્રા અને અન્ય રાણીઓની પૂજા કરે છે અને ભેટ આપીને તેમનું સન્માન કરે છે. ભદ્રા દ્રૌપદીને તેના કૃષ્ણ સાથેના લગ્નની વાર્તા કહે છે.[૪]
ભાગવત પુરાણ અનુસાર, ભદ્રાને દસ પુત્રો હતા, જેમ કે સંગ્રામજીત, બૃહત્સેન, શૂર, પ્રહરણ, અરિજીત, જય, સુભદ્ર, વામ, આયુર અને સત્યક. હિંદુ મહાકાવ્ય મહાભારત મૌસાલ પર્વમાં કૃષ્ણના મૃત્યુ અને તેમના કુળના અંતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે પુસ્તકમાં ભદ્રા અને અન્ય સાત મુખ્ય રાણીઓના વિલાપનું વર્ણન છે અને ત્યારબાદ કૃષ્ણની ચિતા પર આરોહણ કરી ભદ્રાના સતી થવાની વાતની પણ નોંધ કરવામાં આવી છે. જ્યારે ભાગવત પુરાણ કહે છે કે કૃષ્ણની બધી રાણીઓએ સતી વ્રત કર્યું હતું, મહાભારતમાં ભદ્રા સહિત માત્ર ચાર રાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[૫]
શ્રી કૃષ્ણ સાથેના તેમના લગ્ન પછી તેઓ દ્વારીકેશ્વરી ઓળખાવા લાગ્યા હતા.[૬]
અમુક પૌરણિક ગ્રંથો તેમને અષ્ટભાર્યામાંથી કૃષ્ણની સાતમી પત્ની તરીકે દર્શાવે છે જ્યારે અમુક તેમને સાતમી પત્ની દર્શાવે છે. [૬]
લોકપ્રિય સંસ્કૃતિમાં
[ફેરફાર કરો]ભદ્રા કલ્યાણમ (અર્થઃ ભદ્રાના લગ્ન) નામનું પુસ્તક તેલુગુ ભાષામાં ડૉ. કે. વી. કૃષ્ણાકુમારી દ્વારા લખવામાં આવ્યું હતું. તેમણે આ પુસ્તક સત્ય સાઈ બાબાને તેમના ૮૦મા જન્મદિવસ પર સમર્પિત કર્યું હતું. આ પુસ્તકમાં, તેમણે ભદ્રાને મહાલક્ષ્મી (વિષ્ણુની પત્ની) તરીકે દર્શાવી છે તેઓ કહે છે કે જેમ શ્રી કૃષ્ણ વિષ્ણુના આઠમા અવતાર હતા તેવી જે રીતે ભદ્રા અને અષ્ટભાર્યા પણ વિષ્ણુના પત્ની મહા લક્ષ્મીનો જ અવતાર હતાં અને કૃષ્ણ સાથેના તેના લગ્ન, તેની સાતમી પત્ની તરીકે, "સુંદરતા, ભક્તિ અને પ્રેમના સંગમ" તરીકે વર્ણવી છે. કૃષ્ણા કુમારી કહે છે કે ભદ્રા એ પવિત્રતા, અપ્રતિમ સૌંદર્ય, પ્રેમ, કાળજી અને અમર ભક્તિનું પ્રતિક છે.[૭]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ www.wisdomlib.org (2009-04-11). "Bhadra, Bhadrā, Bhādra: 51 definitions". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-11-13.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. p. 62. ISBN 978-0-8426-0822-0.
- ↑ Horace Hayman Wilson (1870). The Vishńu Puráńa: a system of Hindu mythology and tradition. Trübner. pp. 82–3. મેળવેલ 20 February 2013.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Prabhupada. "Bhagavata Purana 10.71.41-42". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 2006-09-11 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ Prabhupada. "Bhagavata Purana 11.31.20". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 13 June 2010 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - 1 2 "Bhadra: Ashtabharya Of Krishna, 8th Wife Of Govardhan". www.vedicstory.com (અમેરિકન અંગ્રેજીમાં). 2023-12-13. મેળવેલ 2025-02-25.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari. Archive. org. મેળવેલ 9 February 2013.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ)