ભારતીય જળહળ
| ભારતીય જળહળ | |
|---|---|
| પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
| વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
| Unrecognized taxon (fix): | Laridae |
| Genus: | Rynchops |
| Species: | ''R. albicollis'' |
| દ્વિનામી નામ | |
| Rynchops albicollis Swainson, 1838 | |
| સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
Rhynchops albicollis | |
ભારતીય જળહળ (રેન્ચોપ્સ આલ્બિકોલિસ) એ આખી દુનિયામાં જોવા મળતા જળહળ પંખીની ત્રણ જાતિઓમાંથી એક છે, જે લેરિડે કુટુંબમાં 'સ્કિમર પ્રજાતિ' રેન્ચોપ્સની એક જાતિ છે. તેઓ કંઈક અંશે ધોમડી પંખીઓને મળતા આવતા દેખાવના હોય છે પરંતુ આ જળહળની ચાંચની રચનામાં પણ બાકીના અન્ય જળહળની માફક ઉપરની ચાંચ ટુંકી અને નિચેની ચાંચ લાંબી હોય છે. નિચેની લાંબી ચાંચ વડે એ પાણીની સપાટીની સાવ નજીક ઉડીને જાણે એ ચાંચ રૂપી હળ વડે પાણી ખેડતું હોય તેઓ આભાસ પેદા કરે છે. આ કારણે જ એનું ગુજરાતી નામ આવું અપાયું છે. ભારતીય જળહળ સમગ્ર દક્ષિણ એશિયા જોવા મળે છે, જ્યાં તે ઓછા પ્રમાણમાં ફેલાયેલું છે અને સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતીય જળહળ મુખ્યત્વે નદીઓ અથવા નદીમુખમાં જોવા મળે છે. તેઓ કાળા, સફેદ અને નારંગી રંગમાં ખૂબ જ તેજસ્વી રીતે ચિહ્નિત થયેલાં છે, જેનાથી તે સહેલાઈથી ઓળખાઈ જાય છે.
વર્ણન
[ફેરફાર કરો]
આ પક્ષીની કાળી ટોપી અને નારંગી ચાંચ એના સફેદ શરીરથી અલગ તરી આવે છે. તેની ૧૦૮ સે.મી. લાંબી પાંખો સાથે તે ૪૦-૪૩ સે.મી. લાંબી ધોમડી જેવી લાગે છે. શરીરના ઉપલા ભાગો ઘેરા કાળા હોય છે અને નીચેના ભાગો સફેદ હોય છે. માથા પર કાળી ટોપી કપાળ અને ગરદન સફેદ હોય છે. પાંખો લાંબી સફેદ હોય છે અને પાછળની ધાર તરફ અણીયાળી હોય છે. ટૂંકી, ફાંટાવાળી સફેદ પૂંછડીના મધ્યભાગના પીંછા કાળાં હોય છે. લાંબી, જાડી ચાંચ પીળા રંગની ટોચ સાથે નારંગી રંગની હોય છે અને અન્ય જળહળની જેમ, નીચલી ચાંચ ઉપરની ચાંચ કરતા લાંબી હોય છે. પગ અને પંજા લાલ હોય છે. નીચલી ચાંચ છરી જેવી અને લવચીક હોય છે છેડેથી કાપેલી હોય એવી દેખાય છે. યુવાન પક્ષીઓની ચાંચ સામાન્ય હોય છે પરંતુ ઉંમર વધવાની સાથે નીચલી ચાંચ વધે છે. ઉપલી ચાંચ નોંધપાત્ર રીતે હલનચલન માટે સક્ષમ હોય છે.[૨]
પ્રજનન સમય સિવાયના પુખ્તવયના જળહળ પ્રજનન સમયના જળહળ કરતાં વધુ નિસ્તેજ અને ભૂખરા રંગના હોય છે. કિશોર વયના પંખીઓ ઉપરના ભાગે રાખોડી-કથ્થઈ રંગના હોય છે અને પીઠ અને પાંખો પર પીંછા પર નિસ્તેજ કિનારીઓ હોય છે. પુખ્ત પક્ષીઓ કરતાં માથું વધુ સફેદ હોય છે અને ચાંચની ટોચ શ્યામ હોય છે જ્યારે આખી ચાંચ નારંગી-કથ્થઈ રંગની હોય છે.[૩]
આ પંખી મોટેભાગે એકદમ શાંત રહે છે પણ ક્યારેક તે ઉચ્ચ, અનુનાસિક, ચીસો પાડતું હોય એવું લાગે એવો ક્યપ-ક્યપ અવાજ કરે છે.[૩]
વિતરણ અને નિવાસસ્થાન
[ફેરફાર કરો]

ભારતીય જળહળ દક્ષીણ એશીયાની મોટી નદીઓ અને સરોવરો, ભેજવાળી જમીન અને મુખત્રિકોણ જેવા દરિયાકાંઠાના ભેજવાળી જમીન પર જોવા મળે છે. તે મીઠા પાણી પર જોવા મળવું સૌથી સામાન્ય છે, ખાસ કરીને પ્રજનનની ઋતુ દરમિયાન. પ્રજનન વસાહતો સામાન્ય રીતે નદીઓના ટાપુઓ પર અથવા રેતાળ ફાંટાઓ પર હોય છે. તાજેતરના દાયકાઓમાં તેનો વસવાટનો વિસ્તાર વધુને વધુ ખંડિત થયો છે. જો કે તે હજુ પણ પાકિસ્તાનના કેટલાક ભાગોમાં, કાશ્મીર સિંધુ નદી પ્રણાલીમાં અને ઉત્તર અને મધ્ય ભારતમાં ગંગા આસપાસ, ઉપરાંત બાંગ્લાદેશ અને બર્મામાં જોવા મળે છે. અને ભુતકાળમાં લાઓસ, કમ્બોડિયા અને વિયેતનામમાં પણ જોવા મળતો હતો. તે નેપાળમાં દુર્લભ બિન-પ્રજનન મુલાકાતી તરીકે જોવા મળી જાય છે. ઈરાન અને ચીનમાં એ દેખાયાની જૂની નોંધ છે, ઓમાન અને મધ્ય થાઇલેન્ડમાં એક રખડતા ફરતા પંખી તરીકે તે જોવા મળે છે. હાલમાં ભારતીય જળહળનો છેલ્લો ગઢ ભારત અને બાંગ્લાદેશ છે. ભારતીય જળહળ શિયાળામાં વધુ વ્યાપક હોય છે અને પશ્ચિમ અને પૂર્વ ભારતના દરિયાકાંઠાના મુખત્રિકોણમાં જોવા મળે છે, જેમાં દક્ષિણમાં પશ્ચિમ કિનારે કારવાર અને પૂર્વ કિનારે ચેન્નાઈ અને પોંડિચેરીનો સમાવેશ થાય છે.[૪]
ભારતીય જળહળની પ્રજનન વસાહતો ચંબલ નદી વિસ્તારમાંથી જોવા મળે છે, જે વિસ્તાર ઘડિયાલ માટે પણ મહત્વનો છે. ભારતીય જળહળ કટકમાં ચંડકા વન્યજીવ વિભાગમાં મુંડુલી બેરેજ ખાતે મહાનદી નદીના કાંઠે પ્રજનન કરતા પણ નોંધાયેલા છે.[૪]
ભાવનગરમાં ૨૦૨૦ના વર્ષમાં ૪૫ જેટલાં જળહળ જોવાં મળ્યાં હતાં. જ્યારે જામનગરમાં દર વર્ષે શિયાળા દરમ્યાન આશરે ૨૦૦ની સંખ્યામાં જળહળ જોવા મળી જાય છે. ભારતમાં ભારતીય જળહળની વસ્તી બે હજાર હોવાનો અંદાજ છે.[૫] દાંતીવાડા બંધ નજીક પણ વર્ષ ૨૦૨૪-૨૫માં એક જળહળ દેખાયું હોવાના સમાચાર છે.[૬]
વર્તન
[ફેરફાર કરો]
ભારતીય જળહળ પક્ષીઓ પાણી પર સાવ નીચે ચાંચ ખુલ્લી રાખીને નિચલી ચાંચ પાણીમાં પસાર કરીને ઉડતા ઉડતા ખોરાક લે છે. એને કારણે પાણીમાં ચાસ પાડતું હોય એવું ભાસે છે. આ પંખી નાનાનાના સમુહોમાં ખોરાક શોઘતું જોવા મળે છે. જળહળ પંખીનું મુખ્ય ભોજન માછલી છે પણ અન્ય જલજ સજીવોનો પણ ચારો બનાવી લે છે. મોટેભાગે વહેલી સવારે અને મોડી સાંજે ભોજનમગ્ન જોવા મળ છે પણ નિશાચર વર્તણુક પણ જોવા મળે છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2020). "Rynchops albicollis". IUCN Red List of Threatened Species. 2020 e.T22694268A178970109. doi:10.2305/IUCN.UK.2020-3.RLTS.T22694268A178970109.en. મેળવેલ 19 November 2021.
{{cite journal}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Ali, S; Ripley, SD (1981). Handbook of the birds of India and Pakistan. Volume 3 (2nd આવૃત્તિ). Oxford University Press. pp. 74–76. OCLC 1224667606.
- 1 2 3 Rasmussen, PC; Anderton, JC (2005). Birds of South Asia: The Ripley Guide. Volume 2. Smithsonian Institution & Lynx Edicions. p. 201. ISBN 84-87334-66-0.
- 1 2 Le Messurier, A (1904). Game, shore, and water birds of India. W. Thacker & Co. p. 230. મેળવેલ 12 January 2025 – Internet Archive દ્વારા.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "અનોખા પક્ષીઓનું આગમન:ભાવનગરમાં મળ્યા ઈન્ડિયન સ્કીમર જાતિના 45 પક્ષી, ચંબલમાં બ્રીડ કરતા 2000 માંથી 200 પક્ષીઓ જામનગર ખાતે, બાકીના રેકોર્ડ વિહોણા". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨૦૨૬-૦૨-૦૩.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "પ્રથમ વાર દેખાયાનો રેકોર્ડ: 'ઇન્ડિયન સ્કીમર જળહળ પ્રવાસી પક્ષી 'દાંતીવાડામાં જોવા મળ્યું,ઉ.ગુજરાતમાં પ્રથમ વાર દેખાયાનો રેકોર્ડ". દિવ્ય ભાસ્કર. ૨૦૨૫-૦૧-૦૬. મેળવેલ ૨૦૨૬-૦૨-૦૩.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)