મગની દાળનો શીરો
(મગની દાળનો શિરો થી અહીં વાળેલું)
મગની દાળનો શીરો એ મગની દાળને પલાળીને ઘી, ખાંડ (સાકર) આદિ ઉમેરીને બનતી વાનગી છે. આ શિરો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થય માટે પૌષ્ટિક છે. તે પચવામાં ભારે હોય છે. તેને બનાવવામાં ખૂબ સમય લાગે છે અને તે ઘણી કડાકૂટ ભર્યું કામ છે.
સામગ્રી[ફેરફાર કરો]
- ૧ ભાગ મગની દાળ (મોગર/ફોતરા વગરની)
- ૧ ભાગ ઘી
- ૨ ભાગ દૂધ
- ૧.૨૫ ભાગ ખાંડ
- કેસર
- એલચી પાવડર
- બદામ પિસ્તાની કતરી
કૃતિ[ફેરફાર કરો]
- મગની દાળને ૩-૪ કલાક પલાળી રાખો
- પાણી નીતારી તેને કરકરી વાટી લો
- ૨-૩ ચમચા ઘી ગરમ કરો અને તેમાં વાટેલી દાળને ધીમે તાપે શેકો.
- તોડું થોડું ઘી ઉમેરીને હલાવતાં રહો.
- આછા બદામી રંગનું થાય કે તેમાં દૂધ ઉમેરો.
- જ્યારે દૂધનો પ્રવાહી ભાગ ઉડી જાય ત્યારે ખાંડ ઉમેરો.
- ઘી છૂટું પડે ત્યારે ચુલેથી ઉતારી લો.
- બદામ પિસ્તાની કતરી, કેસરથી સજાવી પીરસો.[૧]