મા બાપ (ગુજરાતી ચલચિત્ર)
| મા બાપ | |
|---|---|
| દિગ્દર્શક | કિશોર વ્યાસ |
| લેખક | અરૂણ ભટ્ટ |
| નિર્માતા | અરૂણ ભટ્ટ, કિશોર વ્યાસ |
| કલાકારો | અસરાની, સુષ્મા વર્મા, શશીકલા |
| સંગીત | અવિનાશ વ્યાસ |
નિર્માણ | લક્ષ્મી સ્ટુડીયો, વડોદરા |
રજૂઆત તારીખ | ૨૪ મે ૧૯૭૭ |
અવધિ | ૧૨૪ મિનિટ્સ |
| દેશ | ભારત |
| ભાષા | ગુજરાતી |
મા બાપ એ ૧૯૭૭ના વર્ષમાં રજૂ થયેલું ગુજરાતી ચલચિત્ર છે.[૧] ચલચિત્રમાં દર્શાવાયેલ સેન્સર બોર્ડના પ્રમાણપત્રમાં પ્રમાણપત્ર આપ્યાની તારીખ ૨૪ મે ૧૯૭૭ દર્શાવાયેલી છે. [૨]
કલાકાર
[ફેરફાર કરો]અસરાની આ ફિલ્મના મુખ્ય કલાકાર છે. એમની સાથે જોડીમાં મુખ્ય પાત્ર તરીકે સુષ્મા વર્મા છે. આ દવારા અસરાની પ્રથમ વખત કોઈ ગુજરાતી ચલચિત્રમાં અભિનય કરી રહ્યા છે. સાથે અરવિંદ પંડ્યા, પદ્મા રાણી, નરેન્દ્ર નાથ છે. મહેમાન કલાકાર તરીકે અરવિંદ રાઠોડ છે. કથા અરૂણ ભટ્ટ દ્વારા લખાયેલી છે અને પટકથા સંવાદ હરીન મહેતાએ લખ્યા છે.
કથાનક
[ફેરફાર કરો]ચલચિત્ર એક કાલ્પનિક વાર્તા ઉપર આધારીત છે.
બેંકમાં નોકરી કરતા દીનાનાથ ભાઈ ને ઘરેથી એમનો કોઈ દુરનો સંબંધી ભત્રીજો મફત દીનાનાથ ભાઈને કોઈએ બેંકમાં મુકવા આપેલા રૂપીયાની ચોરી કરીને જતો રહે છે. પોતાની ઉપર ચોરીનો આક્ષેપ આવશે એવી બીકથી નાસી છુટવા માટે દોટ મુકે છે પણ જેમની મુડી હતી એ વ્યક્તિ દિનાનાથને નાસતો જોઈને એમનો પીછો કરે છે. આથી નાલોશીના ભય થી નદી તરફ નાસે છે. મુડી જેની હોય છે એ વ્યક્તિ દિનાનાથના ઘરે પહોચી દીનાનાથના પત્ની, કરુણાબેન, ને એ ખબર આપે છે. કરુણાબેન કલ્પાંત કરતા નદીકાંઠે પહોચે છે જ્યાં એમને દિનાનાથની ઓઢેલી પછેડી મળે છે પણ દીનાનાથ મળતા નથી.[૨]
દીનાનાથની પાછળ એમના કુટુંબની હાલત ખરાબ થઈ જાય છે. કરૂણા અનેક લોકોના ઘરના કામ કરી ને પોતાના દિકરાને અભ્યાસ કરાવે છે. એ પછી એની આંખે અંધાપો આવતા એ લોકો અમદાવાદ આવીને ચી. હ. નગરી આંખની હોસ્પિટલમાં આંખની સારવાર માટે જાય છે. એ જગ્યાએ રીક્ષાવાળા તરીકે જીવન નિર્વાહ કરતા દીનાનાથનો ભેટો થાય છે, કરૂણાબેન ને અવાજ જાણીતો લાગે છે પણ દીનાનાથ પોતાનુ નામ બદલુકાકા કહેવાથી એ ઓળખી શકતી નથી. પણ અન્ય એક વખતે કરૂણાની દિકરીને બચાવવામાં બદલુંકાકા ફાળો આપે છે અને અન્ય કોઈ આશરો ન હોવાથી બદલુંકાકા કરુણા, એની દિકરી અને એના દિકરા સાથે પોતાના ઘરે રહેવા તેડી આવે છે. બદલુંકાકાની રીક્ષા ચલાવતો કરૂણાનો દિકરો એક વખત પોતાના જ ભત્રીજાના અપહરણ બદલ ઝડપાઈ જાય છે ત્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં એના મોટાભાઈ અને ભાભીને એ રીક્ષાચાલક હોવાની જાણ થાય છે. એ પછી એના મોટાભાઈની પત્નિની નાની બાહેન સાથે પ્રેમમાં પડે છે.[૨]
રસ્તામાં મોટરકાર બગડી જવાને કારણે કાળુપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેઈન માટે સમયસર પહોચવા અક્ષમ બની ગયેલા મુસાફરને રીક્ષાવાળો અમર મણીનગર સ્ટેશનથી ટ્રેઈનમાં ચડાવી આપે છે. પણ એ પછી એને ખબર પડે છે કે એ મુસાફર પોતાની બેગ રીક્ષામાં જ ભુલી ગયો છે. એ બેગને અને એમાં રહેલા નાણાને અમર પોલીસ સ્ટેશન પહોચાડી દઈ ને પોલીસ ઈન્સપેક્ટર પાસેથી શાબાશી મેળવે છે. એ મુસાફર અચાનક આવી ચડીને અમરની બહેનના લગ્ન પ્રસંગે મદદ કરે છે. જ્યારે બીજી તરફ કેતલાક ગઠીયાઓ અમરના મોટાભાઈના દિકરાનું અપહરણ કરીને એક લાખ રૂપિયા થલતેજ ટેકરા પર આપી જવા જાસો આપે છે. [૨]
અમરને આ વતની જાણ થતા એ રીકશઓનું ટોળું લઈ જઈને મોટાભાઈના દિકરાને ગુંડાઓ પાસેથી છોડાવે છે. આ પછી મોટાભાઈ અને અમર વચ્ચે સંબધ પુનઃસ્થાપિત થાય છે. બદલું કાકા પણ એ જ સમયે પોતાના કુટુંબીજનો ને ઓળખી જાય છે એટલે બધા જ કુટુંબીઓનો હૃદયદ્રાવક મેળાપ થાય છે. અચાનક બદલુકાકા જે હવે દિનાનાથ બની ગયા છે એ પોતાના મોટા દિકરાના દિકરાના અપહરણકર્તા ને પણ ઈન્સપેક્ટરની હાજરીમાં મફત તરીકે ઓળખી બતાવે છે આ રીતે એમના પર લાગેલું લાંછન પણ દુર થઈ જાય છે.[૨]
ગીતોની યાદી
[ફેરફાર કરો]| ક્રમ | ગીતના શબ્દો | ગાયક કલાકારો | ગીતકાર |
|---|---|---|---|
| ૧ | "હરી તું ગાડું મારુ ક્યાં લઈ જાય" યુટ્યુબ પર | પ્રફ્ફુલ્લ દવે | અવિનાશ વ્યાસ |
| ૨ | "અમૃત ભરેલું અંતર જેનું (આંધળી માનો કાગળ)" યુટ્યુબ પર | આશા ભોસલે | ઈન્દુલાલ ગાંધી |
| ૩ | "પ્રેમની રીત શી, વાતચીત શી (કવ્વાલી)" યુટ્યુબ પર | આશા ભોસલે, અઝીઝ નાઝા અને સાથીઓ | અવિનાશ વ્યાસ |
| ૪ | "હું અમદાવાદનો રીકશાવાળો, ૯૯૯ નંબર વાળો" યુટ્યુબ પર | કીશોરકુમાર | અવિનાશ વ્યાસ |
| ૫ | "નહી રાજાની, નહી રાણીની, નહી વાદળની નહી પાણીની, કથા આ કરૂણાની" યુટ્યુબ પર | મહેંદ્રકપુર | અવિનાશ વ્યાસ |
| ૬ | "એ મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ" યુટ્યુબ પર | હર્ષિદા રાવળ અને સાથીઓ | અવિનાશ વ્યાસ |