મીઠો

વિકિપીડિયામાંથી
(મીઠાભગત થી અહીં વાળેલું)

મીઠો, મીઠો ઢાઢી અથવા મીઠો ભગત એ મધ્યકાલીન કૃષ્ણ કીર્તન કરનાર, જન્મે એક મુસલમાન ભક્ત કવિ હતા. [૧]

જીવન[ફેરફાર કરો]

મીઠા ભગતનો જન્મ ૧૭૯૪ની આસપાસ લીંબડી ગામે ઢાઢી મુસલમાન કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સાહેબો હતું. તેમનું મન વૈષ્નવ ધર્મ પ્રત્યે વળેલું હતું. [૧]

એક એવી કથા પ્રચલિત છે કે મીઠો ઢાઢીને સુરેન્દ્રનગરના રાજાએ શ્રી કૃષ્ણ સાથે પોતાના પણા ગુણગાન કરવા જણાવ્યું હતું, તેમ કરવાનો મીઠો ઢાઢીએ ઈનકાર કર્યો હતો.[૨]

તેમનું અવસાન ઈ.સ. ૧૮૭૨માં થયું. [૧]

સાહિત્ય રચનાઓ[ફેરફાર કરો]

કૃષ્ણ ભક્તિ તથા જ્ઞાન બોધ દેનારી ઘણી ગરબી, રાસ, થાળ, ભજન આદિ લખ્યાં છે.[૩] 'સાંભળ સૈયર વાતડી' અને 'ઓધાજી, રે મારા વા'લાને વઢીને કે'જો રે' એ તેમની રચેલી લોકપ્રિય કૃતિઓ છે. તેમની કૃતિઓ આ પુસ્તકોમાં પ્રકાશિત થયેલી છે:[૧]

  1. લીંબડી નિવાસે ભક્ત મીઠાના કેટલાંક કાવ્યો (ઈ.સ.૧૯૨૭)
  2. અભમાલા
  3. ગુજરાતી જૂનાં ગીતો - ગુજરાતીસાહિત્ય પરિષદ અહેવાલ
  4. નભોવિહાર - રામનારાયણ પાઠક (ઈ.સ.૧૯૬૧)
  5. પ્રમાનંદ પ્રકાશ માલા (સં. ૨૦૩૦)
  6. બૃહદ્ કાવ્ય દોહન
  7. ભજનિક કાવ્ય સંગ્રહ (ઈ.સ ૧૮૮૭)
  8. ભસાસિંધુ
  9. શ્રીમદ્ ભગવતી કાવ્ય (ઈ.સ. ૧૮૮૯)
  10. સતવાણી

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ કોઠારી, જયંત; ગાડીત, જયંત, સંપાદકો (૧૯૮૯). ગુજરાતી સાહિત્ય કોષ. ખંડ ૧ (મધ્યકાળ) (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્યપરિષદ. પૃષ્ઠ ૩૧૬.
  2. "Following in the Lord's footsteps - Times of India". The Times of India. મેળવેલ 2018-12-14.
  3. Paniker, K. Ayyappa (1997). Medieval Indian Literature: Surveys and selections (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126003655.